
ઇઝરાયેલે ગુરુવારે યમનના સના એરપોર્ટ પર હુમલો કર્યો હતો. હુમલામાં એરપોર્ટને નિશાન બનાવવામાં આવ્યું હતુ. જ્યારે ઈઝરાયેલ દ્વારા એરપોર્ટ પર હુમલો કરવામાં આવ્યો ત્યારે WHO(વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન)ના ચીફ ડો. ટેડ્રોસ પણ ત્યાં હાજર હતા. WHO આ હુમલામાંથી માંડ માંડ બચ્યા છે. હૂતિ વિદ્રોહીઓએ છેલ્લા કેટલાક મહિનાઓથી યુએનના કર્મચારીઓને બંધક બનાવી રાખ્યા છે. WHO ચીફ આ કર્મચારીઓની મુક્તિ માટે વાટાઘાટો કરવા યમન પહોંચ્યા હતા. WHO માને છે કે શાંતિ વિના સ્વાસ્થ્ય નથી, અને સ્વાસ્થ્ય વિના શાંતિ નથી.
WHO ચીફે પોતે માહિતી આપી
એરપોર્ટ પરના હુમલા અંગે માહિતી આપતાં WHO ચીફ ટેડ્રોસને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, “યુએન સ્ટાફને મુક્ત કરવા અને યમનમાં સ્વાસ્થ્ય અને માનવતાવાદી પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટેનું અમારું મિશન આજે પૂર્ણ થયું. “અમે ચાલુ રાખીશું. કેદીઓને તાત્કાલિક મુક્ત કરવાની માંગ કરીએ છીએ, વધુમાં કહ્યું અમે જ્યારે એરપોર્ટ પહોંચ્યા ત્યારે ભારે બોમ્બમારથી હુમલા કરાયા. જેમાં અમારા વિમાનનો એક ક્રૂ મેમ્બર ઈજાગ્રસ્ત થયો છે.
એરપોર્ટ પર બે લોકોના મોતના અહેવાલ છે. હાલ WHOના અધિકારીઓને એરપોર્ટ પર રોકવામાં આવ્યા છે. એરપોર્ટ પર સાધારણ સ્થિતિ થાય ત્યાર બાદ તેમને જવાની વ્યવસ્થા કરવામાં આવશે.