ભાજપ બંધારણમાંથી Socialist અને Secular શબ્દોને હટાવવવા કેમ માગે છે?

ભારતીય જનતા પાર્ટી (BJP) સરકાર બંધારણની પ્રસ્તાવનામાંથી “સમાજવાદી” (Socialist) અને “ધર્મનિરપેક્ષ” (Secular) શબ્દોને હટાવવાની સતત માગ કરી રહી છે. આ મુદ્દે સતત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) અને BJPના કેટલાક નેતાઓના નિવેદનો આપતાં રહે છે. આ શબ્દો 1976માં 42મા બંધારણીય સુધારા દ્વારા ઇન્દિરા ગાંધી સરકારે બંધારણની પ્રસ્તાવનામાં ઉમેર્યા હતા.

BJP અને RSSના કેટલાક નેતાઓએ “સમાજવાદી” અને “ધર્મનિરપેક્ષ” શબ્દોને બંધારણની પ્રસ્તાવનામાંથી હટાવવાની હિમાયત કરી છે, દલીલ કરીને કે આ શબ્દો મૂળ બંધારણનો ભાગ ન હતા અને ઇમરજન્સી દરમિયાન ઉમેરાયા હતા. જોકે, સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે “ધર્મનિરપેક્ષતા” બંધારણની મૂળ રચનાનો હિસ્સો છે. BJPનું સત્તાવાર વલણ એ છે કે તેઓ બંધારણમાં ફેરફાર નહીં કરે, પરંતુ વિપક્ષ આ મુદ્દે સતત સરકારની નીયત પર સવાલ ઉઠાવે છે.

ભાજપ પર મતદારો ખતમ કરવાનો આરોપ

બીજી તરફ હવે બિહારમાં ચૂંટણી આવી રહી છે. ત્યારે એક મહિના પહેલા જ ભારતનું ચૂંટણી પંચ (ECI) નિયમિત અંતરે મતદાર યાદીઓનું સુધારણા કરવા તૈયારી કરી છે. ઈલેક્શન કમિશનનું કહેવું છે કે દરેક યોગ્ય નાગરિકનું નામ યાદીમાં શામેલ થાય અને બિનજરૂરી અથવા ખોટા નામો દૂર થાય. બિહારમાં આગામી વિધાનસભા ચૂંટણી 2025ને ધ્યાનમાં રાખીને, ચૂંટણી પંચે વિશેષ ગહન પુનરીક્ષણ (Special Intensive Revision – SIR) ઝુંબેશ શરૂ કરી છે. આ ઝુંબેશ 1 જુલાઈ, 2025થી શરૂ થવાની છે, જેમાં ઘરે-ઘરે ચકાસણી અને યોગ્ય મતદારોની ઓળખનો સમાવેશ થાય છે.

જોકે ઈલેક્શન કરમિશનનના આ નિર્ણય સામે પણ વિરોધ થઈ રહ્યો છે. કારણ ઈલેક્શન કમિશન મતદારોની ખરાઈ કરવાનું છે. જેમાં મતદારોને પુરાવા આપવા પડશે. આવું થશે ઘણા મતદારો મતદાન કરી શકશે નહીં. ભાજપ સરકાર પર મતદારો ખતમ કરવાનો આરોપો લગાવવામાં આવી રહ્યા છે. જેનો વિપક્ષ અને લોકો વિરોધ કરી રહ્યા છે.

વિપક્ષી પક્ષો (ખાસ કરીને RJD, કોંગ્રેસ અને મહાગઠબંધનના અન્ય પક્ષો) નો આરોપ છે કે ચૂંટણી પંચે 2003 પછી નોંધાયેલા મતદારો પાસેથી નાગરિકતાના પુરાવા માંગ્યા છે. આને તેઓ “ખફી NRC” (નાગરિકતા રજિસ્ટરની ગુપ્ત પ્રક્રિયા) તરીકે ગણાવે છે.
આવી માંગ ખાસ કરીને લઘુમતી સમુદાયો (જેમ કે મુસ્લિમ અને નબળા વર્ગો) ને નિશાન બનાવવાનો પ્રયાસ હોઈ શકે, જે વિપક્ષના મતદાર આધારને અસર કરી શકે.

રાજકીય કારસો

બિહારમાં NDA (ભાજપ અને જેડીયુ) અને મહાગઠબંધન વચ્ચે તીવ્ર રાજકીય સ્પર્ધા છે. વિપક્ષનું માનવું છે કે આ ઝુંબેશ NDAના રાજકીય હિતોને અનુકૂળ થવા માટે હાથ ધરવામાં આવી છે, જેમાં વિપક્ષના મતદાર આધાર (ખાસ કરીને લઘુમતી અને ગરીબ વર્ગ) ને નબળો પાડવાનો પ્રયાસ થઈ શકે.

આ ઝુંબેશને 2025ની વિધાનસભા ચૂંટણી પહેલાં રાજકીય ફાયદો મેળવવાના પ્રયાસ તરીકે જોવામાં આવે છે.

ત્યારે વધુ ચર્ચા જુઓ આ વીડિયોમાં.

આ પણ વાંચો:
 

 

Related Posts

બંધારણમાંથી ‘ધર્મનિરપેક્ષ’ શબ્દ હટાવવા પૂર્વ CM શિવરાજસિંહેેે માંગ કેમ કરી? | Secular
  • June 29, 2025

Demand to remove the word ‘secular’: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના મહાસચિવ દત્તાત્રેય હોસાબલેએ બંધારણમાં સમાજવાદી અને ધર્મનિરપેક્ષ શબ્દો જાળવી રાખવા પર સવાલ ઉઠાવ્યા હતા. તેમના નિવેદન બાદ રાજકીય ગરમાવો…

Continue reading
ઇન્દિરા ગાંધી: તાનાશાહ કે મજબૂત નેતા?, જાણો Emergency લગાવવાની સચ્ચાઈ?
  • June 26, 2025

ભારતના ઇતિહાસમાં 25 જૂન 1975ના રોજ લાગુ કરાયેલી ઇમરજન્સી (Emergency) એક એવી ઘટના છે જે આજે પણ ચર્ચા અને વિવાદનું કેન્દ્ર છે. ઇન્દિરા ગાંધી, જેઓ તે સમયે ભારતના વડાપ્રધાન હતાં,…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

 Vadodara: શાળાઓમાં RSS વિચારધારાનો પ્રચાર કરતી નોટબુકોનું વિતરણ, શિક્ષણનું ભગવાકરણ?

  • June 30, 2025
  • 3 views
 Vadodara: શાળાઓમાં RSS વિચારધારાનો પ્રચાર કરતી નોટબુકોનું વિતરણ, શિક્ષણનું ભગવાકરણ?

Harsukh Patel: ગુજરાતી ફિલ્મ ડિરેક્ટર હરસુખ પટેલ અવસાન બાદ વિક્રમ ઠાકોરે શું લખ્યું?

  • June 30, 2025
  • 9 views
Harsukh Patel: ગુજરાતી ફિલ્મ ડિરેક્ટર હરસુખ પટેલ અવસાન બાદ વિક્રમ ઠાકોરે શું લખ્યું?

સુપ્રીમ કોર્ટે લલિત મોદીને આપ્યો ઝટકો: BCCI ને ચૂકવવી પડશે મોટી રકમ, શું છે ષડયંત્ર?

  • June 30, 2025
  • 15 views
સુપ્રીમ કોર્ટે લલિત મોદીને આપ્યો ઝટકો: BCCI ને ચૂકવવી પડશે મોટી રકમ, શું છે ષડયંત્ર?

Sabarkantha: પ્રાંતિજ હાઈવે પર ત્રિપલ અકસ્માત, બે ટ્રક વચ્ચે સ્કોર્પિયોનું પડીકું થઈ ગયું

  • June 30, 2025
  • 8 views
Sabarkantha: પ્રાંતિજ હાઈવે પર ત્રિપલ અકસ્માત, બે ટ્રક વચ્ચે સ્કોર્પિયોનું પડીકું થઈ ગયું

 T. Raja Singh: કટ્ટર હિન્દુ નેતા ટી. રાજા સિંહ કોણ છે? જેમણે ભાજપમાંથી રાજીનામું આપતા મચ્યો ખળભળાટ!

  • June 30, 2025
  • 34 views
 T. Raja Singh: કટ્ટર હિન્દુ નેતા ટી. રાજા સિંહ કોણ છે? જેમણે ભાજપમાંથી રાજીનામું આપતા મચ્યો ખળભળાટ!

Gujarat politics: CR પાટીલએ તો ઉપાડો લીધો હતો, દમ હોય તો હવે આવી જાવ મોરેમોરો ના મારી દવ તો… : ગોપાલ ઈટાલિયા

  • June 30, 2025
  • 19 views
Gujarat politics: CR પાટીલએ તો ઉપાડો લીધો હતો, દમ હોય તો હવે આવી જાવ મોરેમોરો ના મારી દવ તો… : ગોપાલ ઈટાલિયા