જમ્મુ-કાશ્મીરમાં રહસ્યમય બીમારીથી એક મહિનામાં 14 લોકોના મોત

  • India
  • January 15, 2025
  • 0 Comments

જમ્મુ-કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશ રાજૌરીના બધાલ ગામમાં રહસ્યમય બીમારીને કારણે છેલ્લા 30 દિવસમાં અત્યાર સુધીમાં 14 લોકોના મોત થયા હોવાના ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. બીજી શોકિંગ માહિતી તેવી છે કે મૃત્યુ પામેલાઓમાં ત્રણ પરિવારોના 11 બાળકો અને ત્રણ પુખ્ત વયના લોકોનો સમાવેશ થાય છે. આ બનાવથી બધાલ ગામ અને આસપાસના વિસ્તારના લોકોમાં ભયનો માહોલ છે. સરકારે આ મામલાની તપાસ માટે આરોગ્ય ટીમો તૈનાત કરી છે.

એક પછી એક મોતના કારણે ડરનો માહોલ ઉભો થયો

મળતી માહિતી મુજબ સફીના કૌસરનું જમ્મુની એક હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. પછી બે દિવસમાં તેના અન્ય ત્રણ ભાઈ-બહેનો પણ મૃત્યુ પામ્યા. બે લોકો હજુ પણ મોત સાથે જંગ લડી રહ્યા છે. સોમવારે તેના દાદા મોહમ્મદ રફીકનું રાજૌરીની હોસ્પિટલમાં અવસાન થયું હતુ. ગયા મહિનાની શરૂઆતમાં ગામમાં બે પરિવારના નવ લોકોના મોત થયા હતા. પ્રાથમિક તબક્કે એવું લાગતું હતું કે આ મૃત્યુ ફૂડ પોઈઝનિંગના કારણે થયા છે. જો કે, મોટાભાગના ગ્રામજનોએ સમાન લક્ષણોની ફરિયાદ કરતા પરિસ્થિતિ ગંભીર માનવામાં આવી હતી. આ પછી સરકારે આ મામલામાં હસ્તક્ષેપ કર્યો અને દેશની ઘણી સ્વાસ્થ્ય સંસ્થાઓમાંથી નિષ્ણાતોને બોલાવવામાં આવ્યા હતા.

જમ્મુની સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલના એક ડૉક્ટરે કહ્યું હતું કે પ્રાથમિક તપાસ મુજબ રહસ્યમય મૃત્યુનું કારણ વાયરલ ઇન્ફેક્શન હતું. જો કે, ડૉક્ટરે એમ પણ કહ્યું કે અંતિમ નિર્ણય પર પહોંચવા માટે વધુ અભ્યાસની જરૂર છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી, પુણે, PGI ચંદીગઢ, AIIMS દિલ્હી અને નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (NCDC), દિલ્હીના નિષ્ણાતોની ટીમે પણ કેસની તપાસમાં મદદ કરવા ગામની મુલાકાત લીધી છે.

આ પણ વાંચો-ઉત્તરાયણના પર્વ વચ્ચે પાટણમાં ગમખ્વાર અકસ્માતમાં બે લોકોના મોત

Related Posts

Delhi AQI: દિલ્હીના ભયાનક પ્રદૂષણથી UK, કેનેડા, સિંગાપોરના લોકોને દિલ્હી પ્રવાસ ટાળવા અપીલ, 200થી વધુ ફ્લાઈટ રદ
  • December 16, 2025

Delhi AQI: દિલ્હીમાં કેટલાય સમયથી AQI સતત 400થી 450ને પાર રહ્યું છે જે હવે નીચે જતું નથી અને કેટલાય સમયથી સ્થાનિક તબીબો બાળકો અને વૃધ્ધો માટે દિલ્હી રહેવા લાયક નહિ…

Continue reading
Shashi Tharoor on MNREGA: ‘મહાત્મા ગાંધીના વારસાનું અપમાન ન કરો!’, મનરેગા નામ બદલવા પર શશિ થરૂરની પ્રતિક્રિયા
  • December 16, 2025

Shashi Tharoor on MNREGA: તિરુવનંતપુરમના કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના (મનરેગા) ના નામ બદલવા પર પોતાની પહેલી પ્રતિક્રિયા આપી છે. તેમણે આ વિવાદને દુર્ભાગ્યપૂર્ણ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Delhi AQI: દિલ્હીના ભયાનક પ્રદૂષણથી UK, કેનેડા, સિંગાપોરના લોકોને દિલ્હી પ્રવાસ ટાળવા અપીલ, 200થી વધુ ફ્લાઈટ રદ

  • December 16, 2025
  • 9 views
Delhi AQI: દિલ્હીના ભયાનક પ્રદૂષણથી UK, કેનેડા, સિંગાપોરના લોકોને દિલ્હી પ્રવાસ ટાળવા અપીલ, 200થી વધુ ફ્લાઈટ રદ

Shashi Tharoor on MNREGA: ‘મહાત્મા ગાંધીના વારસાનું અપમાન ન કરો!’, મનરેગા નામ બદલવા પર શશિ થરૂરની પ્રતિક્રિયા

  • December 16, 2025
  • 7 views
Shashi Tharoor on MNREGA: ‘મહાત્મા ગાંધીના વારસાનું અપમાન ન કરો!’, મનરેગા નામ બદલવા પર શશિ થરૂરની પ્રતિક્રિયા

Mexico Plane Crash: મેક્સિકોમાં ખાનગી જેટ ઇમારત સાથે અથડાયું, 7 લોકોના મોત, આકાશ ધુમાડાથી ભરાઈ ગયુ

  • December 16, 2025
  • 8 views
Mexico Plane Crash:  મેક્સિકોમાં ખાનગી જેટ ઇમારત સાથે અથડાયું, 7 લોકોના મોત, આકાશ ધુમાડાથી ભરાઈ ગયુ

Rana Balachoria Murder: મોહાલીમાં કબડ્ડી ખેલાડીની હત્યા! બંબીહા ગેંગે કહ્યુ,’સિદ્ધુ મૂસેવાલાની હત્યાનો અમે બદલો લીધો!’

  • December 16, 2025
  • 18 views
Rana Balachoria Murder: મોહાલીમાં કબડ્ડી ખેલાડીની  હત્યા! બંબીહા ગેંગે કહ્યુ,’સિદ્ધુ મૂસેવાલાની હત્યાનો અમે બદલો  લીધો!’

Gujarat Politics: ગુજરાત ભાજપના CM સહિત ત્રણ નેતા અચાનક સરકારી વિમાનમાં દિલ્હી કેમ પહોંચ્યા? PM સાથે સાથે શુ ચર્ચા થઈ?

  • December 16, 2025
  • 16 views
Gujarat Politics: ગુજરાત ભાજપના CM સહિત ત્રણ નેતા અચાનક સરકારી વિમાનમાં  દિલ્હી કેમ પહોંચ્યા? PM સાથે સાથે શુ ચર્ચા થઈ?

BJP Government: ચોર-લૂંટારાઓ અને અંધ ભક્તોની ભક્તિ વચ્ચે પીસતી જનતાની વ્યથા ! જુઓ સિનીયર પત્રકાર મેહુલભાઇ વ્યાસ શુ કહે છે!

  • December 15, 2025
  • 11 views
BJP Government: ચોર-લૂંટારાઓ અને અંધ ભક્તોની ભક્તિ વચ્ચે પીસતી જનતાની વ્યથા ! જુઓ સિનીયર પત્રકાર મેહુલભાઇ વ્યાસ શુ કહે છે!