
ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં ખરણા ગામે મંદિરનું કામ ચાલતું હતું. ત્યારે બાજુના મકાનની દીવાલ ધરાશાયી થતા 2 લોકોના મોત થયા છે. જ્યારે 1 વ્યક્તિની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મંદિરનું 0 લોકો કામ કરતા હતા, જેમાંથી દીવાલ ધરાશાયી થતા ઘટના બની હતી. માણસા તાલુકાના ખરણા ગામે મોટી દુર્ઘટના બની છે. જ્યાં ખરણા મેલડી માતાજીનું મંદિર બનાવવાનું કામ ચાલી રહ્યું હતું. જ્યાં સાત માણસો કામ કરી રહ્યા હતા. તે દરમ્યાન બાજુમાં રહેલ મકાનની દીવાલ એકાએક ધસી પડી હતી.
પોલીસ કાફલો ઘટના સ્થળે
દીવાલ ધરાસાયી એક યુવકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે બીજા અન્ય એક યુવકનું ગોઝારીયા સિવિલ હોસ્પિટલ ખાતે મોત થયું હતું. વધુમાં અન્ય એક યુવકને વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. ઘટનાને પગલે પોલીસ, બચાવ કામગીરીની ટીમ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.
BANASKANTHA: સ્પાની આડ ચાલતા દેહવ્યાપારનું રેકેટ ઝડપાયું, ડમી ગ્રાહક મોકલી પર્દાફાશ