Bhavnagar: ફૂલ સ્પીડમાં આવી રહી હતી ટ્રેન, પાયલટે દૂરથી 5 સિંહોને ટ્રેક પર સુતા જોયા, પછી શું કર્યું?

Bhavnagar: ભાવનગર રેલવે ડિવિઝન તળેના રેલવે ટ્રેક પર 5 સિંહો સુતા હતા, ત્યાંથી પસાર થઇ રહેલી ટ્રેનના લોકો પાયલટે દૂરથી સિંહોને જોઇ જતા ઇમરજન્સી બ્રેક લગાવી અને તમામ સિંહને બચાવી લીધા હતા, સ્થિતિ સામાન્ય બની ગયા બાદ ટ્રેનને ગંતવ્ય સ્થાન તરફ આગળ ધપાવવામાં આવી હતી.

રેલવે ટ્રેક પર સુતા 5 સિંહોને ટ્રેનની અડફેટે આવતા બચાવ્યા 

ગત 4થી ઓગસ્ટના રોજ લોકો પાયલટ બલિરામ કુમાર (મુખ્યાલય-જૂનાગઢ) અને સહાયક લોકો પાયલટ હરદીપ ગરલા (મુખ્યાલય-જૂનાગઢ) દ્વારા જૂનાગઢ-વેરાવળ મીટરગેજ સેક્શન વચ્ચે કિમી નં. 11/01 થી 11/02 વચ્ચે 5 સિંહો (એક સિંહ, એક સિંહણ અને તેમનાં ત્રણ બચ્ચાં)ને રેલવે ટ્રેક પર સૂતાં જોયા હતા, તત્કાળ લોકો પાયલટે જૂનાગઢથી વેરાવળ તરફ જતી પેસેન્જર ટ્રેન (52946)ને ઇમર્જન્સી બ્રેક લગાવીને રોકી દીધી. લોકો પાયલટ દ્વારા ટ્રેન મેનેજર (ગાર્ડ)ને જાણ કરવામાં આવી. બાદમાં ફોરેસ્ટ ટ્રેકરે આવીને સિંહોને ટ્રેક પરથી દૂર હટાવ્યા અને તમામ સ્થિતિ સામાન્ય હોવાનું નિરીક્ષણ કર્યા પછી લોકો પાયલટને ટ્રેન આગળ ચલાવવાની મંજૂરી આપી હતી.

 સિંહો અને અન્ય વન્યજીવોની સુરક્ષા માટે પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝનના પ્રયાસો

પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝન દ્વારા સિંહો અને અન્ય વન્યજીવોની સુરક્ષા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મંડળના નિર્દેશ મુજબ ટ્રેનો ચલાવતા લોકોપાયલટો નિર્ધારિત ઝડપનું પાલન કરીને વિશેષ સતર્કતાથી કામગીરી કરી રહ્યા છે.

 લોકો પાયલટોના કાર્યની પ્રશંસા કરાઈ 

આ ઘટના અંગે જાણ થતાં મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્મા, અપર મંડળ રેલ પ્રબંધક હિમાંશુ શર્મા તેમજ અન્ય અધિકારીઓ દ્વારા લોકો પાયલટોના આ પ્રશંસનીય કાર્ય માટે તેમની પ્રશંસા કરવામાં આવી.

વર્ષ 2024-25માં કુલ 159 સિંહોના જીવ બતાવ્યા 

ભાવનગર રેલવે મંડળના લોકો પાયલટોની સતર્કતા અને વન વિભાગના ફોરેસ્ટ ટ્રેકરોની મદદથી ગયા નાણાકીય વર્ષ 2024-25માં કુલ 159 સિંહોના જીવ બચાવવામાં આવ્યા હતા. હાલના નાણાકીય વર્ષ 2025-26માં અત્યાર સુધીમાં કુલ 29 સિંહોના જીવ બચાવાઈ ચૂક્યા છે.

અહેવાલ: નીતિન ગોહેલ

આ પણ વાંચો:

Ahemedabad: લો બોલો સરકારી કચેરીઓ માટે જગ્યા નહીં, કર્મચારીઓ રઝળતા થયા, લાભાર્થીઓની હાલત કફોડી

Delhi: ટ્રાન્સજેન્ડર ગર્લફ્રેન્ડની ગળું કાપી ખતમ કરી નાખી, કારણ જાણી હચમચી જશો!

Vadodara: પોલીસની કરતૂતનો વીડિયો વાયરલ, પકડાયેલા દારુને બારોબાર બુટલેગરોને ભરી આપ્યો

UP: ભોગનીપુરમાં ગંગા કે યમુના નદી વહે છે તેનાથી મંત્રી સંજય નિષાદ અજાણ, કહ્યું ‘ગંગા મૈયા પગ ધોવા આવે છે’

Amreli:ખાંભાની યુવતીને આપઘાત માટે મજબૂર કરનાર આરોપીઓ ઝડપાયા, ચીટર ગેંગને લઈને પોલીસનો ખુલાસો

Ahmedabad: અમદાવાદના બોપલમાં ફાયરિંગનો બનાવ, મૃતકના ખિસ્સામાથી મળી સુસાઈડ નોટ, શું છે સમગ્ર મામલો?

Related Posts

Bhavnagar: ભાવનગરમાં બોરતળાવના બુટિફિકેશનની વરસાદે ખોલી નાખી પોલ!, તપાસની ઉઠી માંગ
  • October 29, 2025

Bhavnagar News: ભાવનગર મહાનગરપાલિકાનાં વર્તમાન શાસકોની લાપરવાહી અને તંત્રની બેદરકારીના કારણે બોરતળાવ ની કૈલાશ બાલવાટીકાની સ્થિતિ દિવસેને દિવસે બદતર થતી જતી હોય છે. કરોડો રૂપિયાનો ખર્ચ છતાં કમોસમી વરસાદે નબળી…

Continue reading
Bhavnagar: 60 વર્ષ જૂની શાકમાર્કેટ જર્જરિત, વેપારીઓમાં વધી ચિંતા, તાત્કાલિક રીપેરીંગની માંગ
  • October 29, 2025

Bhavnagar: ભાવનગર શહેરનાં મધ્યમાં આવેલ ગંગાજળીયા તળાવ વિસ્તારની જૂની અને મોટી શાકમાર્કેટ અતિ જર્જરિત હાલતમાં થઈ ગઈ છે. વર્ષો જૂની આ માર્કેટમાં અનેક જગ્યાએ સ્લેબમાંથી ગાબડાં પડી રહ્યા છે, જેના…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Lucknow: રોંગ નંબરની કહાની… 400 વાર વાત, પત્નીએ પતિનો કાંટો કાઢવા બનાવ્યો ખૌફનાક પ્લાન

  • October 29, 2025
  • 2 views
Lucknow: રોંગ નંબરની કહાની… 400 વાર વાત, પત્નીએ પતિનો કાંટો કાઢવા બનાવ્યો ખૌફનાક પ્લાન

Bhavnagar: ભાવનગરમાં બોરતળાવના બુટિફિકેશનની વરસાદે ખોલી નાખી પોલ!, તપાસની ઉઠી માંગ

  • October 29, 2025
  • 13 views
Bhavnagar: ભાવનગરમાં બોરતળાવના બુટિફિકેશનની વરસાદે ખોલી નાખી પોલ!, તપાસની ઉઠી માંગ

3I/ATLAS ધૂમકેતુ શું છે?, તે પૃથ્વી સાથે અથડાશે?, જાણો

  • October 29, 2025
  • 14 views
3I/ATLAS ધૂમકેતુ શું છે?, તે પૃથ્વી સાથે અથડાશે?, જાણો

Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ

  • October 29, 2025
  • 18 views
Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ

Bhavnagar: 60 વર્ષ જૂની શાકમાર્કેટ જર્જરિત, વેપારીઓમાં વધી ચિંતા, તાત્કાલિક રીપેરીંગની માંગ

  • October 29, 2025
  • 17 views
Bhavnagar: 60 વર્ષ જૂની શાકમાર્કેટ જર્જરિત, વેપારીઓમાં વધી ચિંતા, તાત્કાલિક રીપેરીંગની માંગ

Narmada:”મનસુખ વસાવા શું કહેવા માંગે છે, એમને જ ખબર નથી હોતી” નિરંજન વસાવાના મનસુખ વસાવા પર ચાબખાં

  • October 29, 2025
  • 13 views
Narmada:”મનસુખ વસાવા શું કહેવા માંગે છે, એમને જ ખબર નથી હોતી” નિરંજન વસાવાના મનસુખ વસાવા પર ચાબખાં