Kheda: ઠાસરામાં વૃદ્ધાની હત્યાનો ભેદ ઉકેલવા 21 હજારનું ઈનામ જાહેર, જાણો સમગ્ર ઘટના

Kheda: ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના આગરવા ગામ નજીક મહી કેનાલમાંથી 30 જુલાઈ, 2025ના રોજ 65 વર્ષીય વૃદ્ધા નંદાબેન રૂમાલસિંહ સોલંકીનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચાવી દીધી હતી. ડાકોર પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો, પરંતુ 9 દિવસ વીતવા છતાં આ હત્યાનો ભેદ ઉકેલાયો નથી. આથી, પોલીસે હવે સાચી માહિતી આપનારને 21,000 રૂપિયાનું ઈનામ જાહેર કર્યું છે, સાથે માહિતી આપનારની ઓળખ ગુપ્ત રાખવાની ખાતરી આપી છે.

ગત 30 જુલાઈના રોજ સવારે 7:30 વાગ્યાના અરસામાં આગરવા ગામની સીમમાંથી પસાર થતી મહી કેનાલમાં એક અજાણી વૃદ્ધાનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે તપાસ શરૂ કરતાં જાણવા મળ્યું કે મૃતદેહ અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના જાલમપુરા ગામના રહેવાસી નંદાબેન રૂમાલસિંહ સોલંકી (ઉંમર 65 વર્ષ)નો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જણાવાયું હતું કે, નંદાબેનના કપાળના મધ્ય ભાગે અને ગળાના ભાગે બોથડ પદાર્થથી હુમલો કરવામાં આવ્યો હતો, જેના કારણે તેમનું મોત નીપજ્યું હતું. હત્યા બાદ અજાણ્યા શખ્સોએ તેમની લાશને મહી કેનાલમાં ફેંકી દીધી હોવાનું સામે આવ્યું છે.

નંદાબેનનું અચાનક ગુમ થવું

નંદાબેન 28 જુલાઈ, 2025ના રોજ બપોરે 1:30 વાગ્યાના અરસામાં ઘરેથી કોઈને કંઈ કહ્યા વિના નીકળી ગયા હતા. પરિવારજનોના જણાવ્યા અનુસાર, નંદાબેન અગાઉ પણ વારંવાર ઘરેથી ખેતર, નજીકના સાઠંબા ગામના બજાર અથવા સગા-સંબંધીઓના ઘરે જતાં રહેતાં હતાં, જેના કારણે પરિવારજનોએ તેમની શોધખોળ કરી નહોતી. પરંતુ 28 જુલાઈની મોડી રાત સુધી તેઓ ઘરે પરત ન ફરતાં પરિવારજનો ચિંતામાં મુકાયા હતા.

29 જુલાઈના રોજ, નજીકમાં રહેતા વનરાજભાઈએ નંદાબેનના પુત્ર ઈશ્વર સોલંકીને જાણ કરી કે, આગરવા નજીક મહી કેનાલમાંથી એક વૃદ્ધાનો મૃતદેહ મળ્યો છે, જે નંદાબેનનો હોઈ શકે છે. આ જાણ થતાં ઈશ્વર અને પરિવારજનો તાત્કાલિક ડાકોર પોલીસ સ્ટેશન અને ત્યાંથી કરમસદ હોસ્પિટલ પહોંચ્યા, જ્યાં મૃતદેહની ઓળખ નંદાબેન તરીકે થઈ. શરીર પર ઈજાના નિશાન જોતાં હત્યાની પુષ્ટિ થઈ, અને 30 જુલાઈના રોજ ઈશ્વર સોલંકીની ફરિયાદના આધારે ડાકોર પોલીસે હત્યાનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી.

પોલીસ તપાસ અને ઈનામની જાહેરાત

ડાકોર પોલીસે આ કેસમાં ઊંડી તપાસ શરૂ કરી હતી, જેમાં આસપાસના વિસ્તારોમાં પૂછપરછ, સ્થાનિક લોકોના નિવેદનો અને સીસીટીવી ફૂટેજની તપાસનો સમાવેશ થાય છે. જોકે, નવ દિવસની ઝીણવટભરી તપાસ બાદ પણ પોલીસને હત્યારાઓનો કોઈ પગેરું મળ્યું નથી. આ રહસ્યમય હત્યા કેસને ઉકેલવા માટે ખેડા જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચે હવે જનતાની મદદ માંગી છે. પોલીસે જાહેરાત કરી છે કે, આ હત્યા કેસમાં સાચી અને મહત્વની માહિતી આપનાર વ્યક્તિને 21,000 રૂપિયાનું ઈનામ આપવામાં આવશે. આ ઉપરાંત, માહિતી આપનારની ઓળખને સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે, જેથી લોકો નિ:સંકોચ માહિતી આપી શકે.

આ ઘટનાએ આગરવા અને આસપાસના વિસ્તારોમાં ભય અને ચિંતાનું વાતાવરણ ફેલાવ્યું છે. સ્થાનિક લોકોમાં ચર્ચા છે કે, આવી ઘટનાઓ આ વિસ્તારમાં અગાઉ ભાગ્યે જ બની હતી, અને એક વૃદ્ધાની આવી નિર્દય હત્યાએ સમુદાયને હચમચાવી દીધો છે.

આ પણ વાંચો:

UP: રાયબરેલીમાં દિગ્ગજ નેતા સ્વામી પ્રસાદ મૌર્યને ટપલી મારી, પછી આરોપીના સમર્થકોએ કેવા કર્યા હાલ?

SURAT: સુરતના યુવા એન્જિનિયર્સે બનાવી AI સંચાલિત બાઇક, ખાસિયતો જાણી દંગ રહી જશો!

Maharashtra: DJ ના તાલે નાચતાં યુવાનનું હાર્ટ એટેકથી મોત, વીડિયો વાયરલ

Gambhira Bridge Collapse: 27 દિવસ બાદ લટકતી ટ્રકને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા

Gambhira Bridge Collapse: 18 લોકોના મોત, 2 ગુમ, 4 એન્જિનિયરો સસ્પેન્ડ, સરકારે પોતાના દોષનો ટપલો ઢોળવાનું શરુ કર્યું?

Policemen Suspended: દિલ્હી પોલીસને નેતાઓની સુરક્ષા, સેલ્યૂટ મારવા સિવાય બીજું કંઈ આવડે છે?

Cloudburst: ઉત્તરકાશીમાં વાદળ ફાટતાં 4 લોકોના મોત, 50થી વધુ ગુમ, જુઓ ભારે વિનાશ વેર્યો

Related Posts

Surat Workers Protest: સુરતમાં 400થી 500 શ્રમિકો રસ્તા પર ઉતર્યા, શ્રમ કાયદાના અમલ અને સાપ્તાહિક રજાની માંગ સાથે કલેક્ટરને આવેદન
  • September 13, 2026

Surat Workers Protest: સુરતમાં 400થી 500 જેટલા શ્રમિકો એકસાથે ભેગા થઈ વિરોધ પ્રદર્શન કરતાં શ્રમિકોના હકો અને શ્રમ કાયદાના અમલનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. એમ્બ્રોઇડરી સહિત અલગ અલગ ક્ષેત્રોમાં…

Continue reading
Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી, પરિવર્તન પેનલની જીત બાદ રાજકીય સમીકરણોમાં મોટો વળાંક
  • September 13, 2026

Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીની બહુચર્ચિત ચૂંટણી બાદ આજે આખરે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. પ્રમુખ તરીકે મુકેશચંદ્ર નગીનભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે અનિલભાઈ હરિભાઈ પટેલની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Maharashtra FDA Survey: હોસ્પિટલના બિલિંગમાં નફાખોરીનો સવાલ, મેડિકલ કન્ઝ્યુમેબલ્સ પર 2841% સુધીના માર્જિનનો દાવો

  • September 17, 2026
  • 4 views
Maharashtra FDA Survey: હોસ્પિટલના બિલિંગમાં નફાખોરીનો સવાલ, મેડિકલ કન્ઝ્યુમેબલ્સ પર 2841% સુધીના માર્જિનનો દાવો

Pakistan China Boundary Joint Commission ને ભારતનો સખત વિરોધ, કહ્યું- ભારતીય વિસ્તાર અંગે સમજૂતી કરવાનો પાકિસ્તાનને અધિકાર નથી

  • September 17, 2026
  • 7 views
Pakistan China Boundary Joint Commission ને ભારતનો સખત વિરોધ, કહ્યું- ભારતીય વિસ્તાર અંગે સમજૂતી કરવાનો પાકિસ્તાનને અધિકાર નથી

Congress UPI MDR: UPI પર નવા MDRને લઈને કોંગ્રેસનો મોટો આરોપ, ‘અમેરિકી દબાણ સામે ઝૂકી મોદી સરકાર’

  • September 17, 2026
  • 6 views
Congress UPI MDR: UPI પર નવા MDRને લઈને કોંગ્રેસનો મોટો આરોપ, ‘અમેરિકી દબાણ સામે ઝૂકી મોદી સરકાર’

Modi Birthday Programs: મોદીના જન્મદિવસે સરકારી કાર્યક્રમોની ભરમાર, જાહેર નાણાંના ઉપયોગને લઈને ઉઠ્યા સવાલ

  • September 17, 2026
  • 10 views
Modi Birthday Programs: મોદીના જન્મદિવસે સરકારી કાર્યક્રમોની ભરમાર, જાહેર નાણાંના ઉપયોગને લઈને ઉઠ્યા સવાલ

Reporter TV Police Raid: Reporter TVની ઓફિસમાં પોલીસ કાર્યવાહી સામે પિનરાઈ વિજયનનો વિરોધ, પ્રેસની સ્વતંત્રતા પર સવાલ

  • September 17, 2026
  • 8 views
Reporter TV Police Raid: Reporter TVની ઓફિસમાં પોલીસ કાર્યવાહી સામે પિનરાઈ વિજયનનો વિરોધ, પ્રેસની સ્વતંત્રતા પર સવાલ

Delhi ECC Fund: દિલ્હીમાં પર્યાવરણ વળતરની 1,935 કરોડની રકમમાંથી 60 ટકા રકમ હજુ સુધી ખર્ચાઈ નથી

  • September 17, 2026
  • 13 views
Delhi ECC Fund: દિલ્હીમાં પર્યાવરણ વળતરની 1,935 કરોડની રકમમાંથી 60 ટકા રકમ હજુ સુધી ખર્ચાઈ નથી