
રાજકોટના ભગવતી એકડમી સેન્ટરના 11 વર્ષિય આર્યન ભીખુભાઈ લાઠીયા UCMAS INTERNATIONAL મેન્ટલ એરીથમેટિક સ્પર્ધામાં ચેમપીયન બનીને રાજકોટનું નામ રોશન કર્યું છે. જ્યારે નાના બાળકોને કાઈ પણ પડકારજનક કાર્ય મળે, તો તેમાં માનવ મગજનો નિખાર કંઇ અલગ જ જોવા મળતો હોય છે. UCMAS ભગવતી એકેડમી રાજકોટના 6 ભૂલકાઓએ ફરીથી એક વખત આવોજ કમાલ કરી બતાવ્યો છે.
વિશ્વના 6 હજાર કરતાં વધુ બાળકોએ લીધો હતો ભાગ
જ્યાં એક એક સેકન્ડ કિંમતી હોય અને પોતાની ઝડપ, એકાગ્રતા, તર્કશક્તિ અને ગાણિતિક ક્ષમતા સાબિત કરવાની હોય એવી યુસીમાસની મેન્ટલ એરિથમેટિક ઈનટરનેશનલ સ્પર્ધા દિલ્હી ખાતે 14 ડિસેમ્બર 2024ના રોજ યોજાઈ હતી. જેમાં અલગ-અલગ લેવલની સ્પર્ધામાં 6000થી પણ વધુ બાળકોએ સમગ્ર વિશ્વમાંથી ભાગ લીધો હતો.
કોઈ પણ પ્રકારના કેલ્ક્યુલેટર કે ઇલેક્ટ્રોનિક સાધનની મદદ વગર માત્ર 8 મિનિટમાં 200 અઘરા દાખલા આ બાળકોએ ઉકેલવાના હતા. જેમાં માત્ર 11 વર્ષના આર્યન ભીખુભાઈ લાઠીયા 8 જ મિનિટમાં પલક ઝપકાવતા 200 દાખલા ગણીને F2 કેટેગરીમાં ચેમપીયન એવોર્ડ મેળવ્યો છે. અને તેમને 15 ડિસેમ્બરે દિલ્હી ખાતે UCMAS ઇન્ડિયાના સીઈઓ ડો. સ્નેહલ કારીયાના હસ્તે ટ્રોફી અને સર્ટિફિકેટ અપાયા હતા.
તેમજ A2 કેટેગરીમાં ધર્મ ઠુમ્મર 3rd રનર અપ, 3 કેટેગરીમાં મહરસી રાછ 3rd રનર અપ, 01 કેટેગરીમાં દિવ્ય કારેલીયા 3rd રનર અપ,F2 કેટેગરીમા રીવાન બટાવીયા 3rd રનર અપ,F2 કેટેગરીમા દેવંશ કોથારી 3rd રનર અપ ઈનટરનેશનલ લેવલે મેળવ્યો. રાજકોટ ખાતે UCMAS ભગવતી એકેડમી ના મેનેજીંગ ડાયરેકટર ઉમેશ કાનપરાના હસ્તે ટ્રોફી અને સર્ટિફિકેટ આપી વિધાથી ને સનમાનીત કરવામાં આવયા હતા.
કોર્સ ઇન્સટ્રક્ટરે શું કહ્યું?
આ બાળકો ને તૈયાર કરનાર ભગવતી એકેડેમી એટલે કે UCMAS રાજકોટ સેન્ટરના કોર્સ ઇન્સટ્રક્ટર ઉમેશ ચંદુભાઈ કાનપરા કહ્યું કે હવે સમય આવી ગયો છે કે બાળકો નવી એજ્યુકેશન પોલિસી મુજબ તૈયાર થાય. વર્તમાન સમયમાં માત્ર ભણતર જ નહીં, પરંતુ દરેક બાળક પાસે કોઈને કોઈ એક એવી સ્કિલ પણ જોઈશે કે જે તેને ભવિષ્યમાં બીજાથી અલગ છે તેવું બતાવે અને આવા જ વિદ્યાર્થીઓ આજે અને ભવિષ્યમાં સમાજમાં યોગ્ય સ્થાન મેળવી શકશે.
UCMAS મલેશિયાની કંપની છે, તેના કેન્દ્રો 82 જેટલા વિદેશોમાં, ગુજરાતમાં લગભગ 250 થી વધારે શહેરોમાં અને આપણાં રાજકોટમાં 2 ચાલી રહ્યા છે. જેમાં લગભગ 3 લાખ કરતાં વધુ બાળકો આ કેન્દ્રોમાં અભ્યાસ કરી રહેલા છે. 4 થી13 વર્ષના બાળકો માટેનો મગજના સર્વાંગી વિકાસ માટેનો આ કાર્યક્રમ છે. જેમાં બાળકોમાં લેખન પધ્ધતિ, સાંભળવાની ક્ષમતા, એકાગ્રતા, કોન્ફિડન્સ, રીકોલિંગ સ્પીડ. ટાઈમ મેનેજમેંટ વગેરે જેવા મહાતવાના ફાયદાઓ થયા છે.
આ પણ વાંચોઃ હરણી બોટકાંડને 1 વર્ષ: પરિવારોને ન્યાય ક્યારે? સંતાનો ગુમાવનારા પરિવારો રડીને શું કહી રહ્યા છે?