
Tamil Nadu: ભારતમાં જ્યારે બ્રિટિશ રાજ હતું ત્યારે પ્રજા ઉપર દમન ગુજારવામાં આવતો હતો અને આઝાદીનું બ્યુગલ ફૂંકાયુ હતું ત્યારબાદ લોકશાહી અમલમાં આવી ત્યારે હવે ઘણી જગ્યાએ પોલીસ દ્વારા અત્યાચારના મામલા સામે આવી રહયા છે જેમાં કેટલીકવાર સામાન્ય બાબતમાં પણ ઢોર માર મારવામાં આવતો હોવાની જનતામાં વ્યાપક ફરિયાદ ઉઠી રહી છે.
આવા જ એક કિસ્સામાં કોરોના સમયમાં વધુ સમય સુધી પોતાની દુકાન ખુલ્લી રાખનાર પિતા-પુત્રને પોલીસે ઢોર માર મારી હત્યા કરી નાખી હોવાના આક્ષેપ સાથેનો કેસ ચાલી જતા નામદાર કોર્ટે નવ પોલીસવાળાને મૃત્યુદંડની સજા ફટકારી છે.
મદુરાઈ (તમિલનાડુ) ની જિલ્લા અદાલતે 6 એપ્રિલ, 2026 ના રોજ એક ઐતિહાસિક ચુકાદામાં નવ પોલીસકર્મીઓને મૃત્યુદંડની સજા ફટકારી છે. આ કેસ 2020 માં થુથુકુડીના સથનકુલમમાં પી. જયરાજ (58) અને તેમના પુત્ર જે. બેનિકસ (31) ના કસ્ટોડિયલ મૃત્યુ સાથે સંબંધિત છે.
જૂન 2020 માં કોવિડ લોકડાઉન દરમિયાન, પિતા અને પુત્રને નિર્ધારિત સમય પછી તેમની મોબાઇલ દુકાન ખુલ્લી રાખવા બદલ પોલીસ પહેલા પિતાને પોલીસ સ્ટેશને ઊંચકી ગઈ હતી ત્યારબાદ પિતાને છોડાવવા પુત્ર ત્યાં પહોંચ્યો તો તેને પણ બેસાડી દઈ બંનેને પોલીસ સ્ટેશનમાં રાતોરાત નગ્ન કરવામાં આવ્યા હતા અને લાકડીઓથી નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો.
ઢોર માર માર્યા બાદ બન્ને પિતા પુત્રોને પોતાના જ કપડાથી પોતાનું જ લોહી સાફ કરવા મજબૂર કરાયા હતા. પોલીસ સ્ટેશનના ડીએનએ સેમ્પલમાં આ સમગ્ર મામલાના અનેક રહસ્ય ખુલ્યા હતા, રાત્રે આઠ વાગ્યા પહેલા પોલીસે મારવાનું શરૂ કર્યું હતું જે મોડી રાત્રે ત્રણ વાગ્યા સુધી ચાલ્યું હતું જેઓને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઈ જવાયા જ્યાં બન્નેના મોત થઈ ગયા.
કેસ ચાલી જતા મદ્રાસની કોર્ટે નવ પોલીસ કર્મીઓને ફાંસીની સજા ફટકારી છે. સાથે જ કોર્ટે ઘટનાને રેરેસ્ટ ઓફ રેર એટલે કે અત્યંત જઘન્ય ગુનાની કેટેગરીમાં રાખી હતી ન્યાયાધીશ જી. મુથુકુમારને આ ઘટનાને ‘રેરેસ્ટ ઓફ રેર’ગણાવી હતી. તેમણે કહ્યું કે કાયદા અમલીકરણકર્તાઓ દ્વારા સત્તાનો આ પ્રકારનો દુરુપયોગ અને અમાનવીય ક્રૂરતા સમાજના અંતરાત્માને હચમચાવી નાખે છે.
સજા પામેલા લોકોમાં સથનકુલમ પોલીસ સ્ટેશનના તત્કાલીન ઇન્સ્પેક્ટર એસ. શ્રીધર, સબ-ઇન્સ્પેક્ટર રઘુ ગણેશ અને બાલકૃષ્ણન સહિત નવ પોલીસકર્મીઓનો સમાવેશ થાય છે. કેસના 10મા આરોપી, સ્પેશિયલ સબ-ઇન્સ્પેક્ટર પૌલદુરાઈનું ટ્રાયલ દરમિયાન કોવિડથી મૃત્યુ થયું હતું.
કોર્ટે આરોપી પર કુલ ₹1.40 કરોડનો દંડ ફટકાર્યો છે, જે પીડિતાના પરિવારને વળતર તરીકે આપવામાં આવશે પોલીસ સ્ટેશનના ટેબલ અને લાકડીઓ પર મળેલા લોહીના ડાઘ અને મહિલા કોન્સ્ટેબલની જુબાની સીબીઆઈ તપાસમાં મહત્વપૂર્ણ પુરાવા સાબિત થયા અને ક્રૂર અને નિર્દય પોલીસવાળાઓને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે.
આ પણ વાંચો:
OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!









