Mehsana: ચાંદચેટી પર નીતિન પટેલના વિવાદસ્પદ નિવેદનો, ‘સિંધી કોઈ ધર્મ નથી સંપ્રદાય છે’

Nitin Patel controversial speech in Mehsana: ચેટીચાંદએ સૌથી લોકપ્રિય સિંધી તહેવાર છે. જે ચૈત્ર મહિનામાં ચંદ્રના વેક્સિંગ તબક્કા દરમિયાન ઉજવવામાં આવે છે. સિંધી સમાજનું નવું વર્ષ પણ ગણવામાં આવે છે. મુખ્ય ઉત્સવની શરૂઆત ભગવાન ઝુલેલાલ પૂજાથી થાય છે. મહેસાણાના કડી શહેરમાં સિંધી સમાજ દ્વારા 29 માર્ચે સાંજે ચેટીચાંદ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મહોત્સવામાં હાજર રહ્યા હતા. આ દરમિયાન તેમણે ઘણા વિવાદસ્પદ નિવેદન આપ્યા છે.

નીતિન પટેલે 29 માર્ચ, 2025ના રોજ મહેસાણાના કડીમાં સિંધી સમાજના ચેટીચાંદ મહોત્સવ દરમિયાન  કહ્યું કે, “સિંધી કોઈ ધર્મ નથી, સંપ્રદાય છે. અખંડ ભારતના ભાગલા પડતાં તેઓ અહીં આવ્યા. મુસલમાનોએ જે અત્યાચાર કર્યા એ ભૂલવાના નથી. તેમનું ભૂત ગમે ત્યારે ધૂણે છે, જુઓ ઔરંગઝેબનું ભૂત ફરી ધૂણ્યું છે.” આ નિવેદનમાં તેમણે સિંધી સમાજના ઇતિહાસ અને ભારતના ભાગલા સમયે તેમના પર થયેલા અત્યાચારોનો ઉલ્લેખ કર્યો, જે મુખ્યત્વે પાકિસ્તાનમાંથી સ્થળાંતર કરીને આવેલા સિંધીઓના અનુભવો સાથે જોડાયેલો છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “મહારાષ્ટ્રમાં મરાઠાઓ પણ તેનો કંઈક ઉપાય કરશે. આપણે સહકાર આપવાનો, માત્ર જોવું નહીં, જરૂર પડે તો મદદ કરવાની.” આ ટિપ્પણીમાં તેમણે મહારાષ્ટ્રમાં ચાલી રહેલા ઔરંગઝેબ સાથે જોડાયેલા વિવાદો તરફ ઇશારો કર્યો હતો, જ્યાં તાજેતરમાં ઔરંગઝેબની કબર અને તેના ઐતિહાસિક કાર્યોને લઈને વિરોધ અને ચર્ચાઓ ચાલી રહી છે. નીતિન પટેલનો ઇશારો એવા સંદર્ભ તરફ હતો કે આવા મુદ્દાઓ સામે લડવા માટે સમાજે એકજૂટ થવું જોઈએ અને જરૂર પડે તો સક્રિય ભૂમિકા ભજવવી જોઈએ.

ચાંદચેટી પર પૂર્વ મુખ્યમંત્રીના નિવેદન આપવા યોગ્ય?

નીતિન પટેલના નિવેદનમાં “મુસલમાનોનું ભૂત” અને “ઔરંગઝેબ” જેવા શબ્દોનો ઉપયોગ સમાજના એક વર્ગને નારાજ કરી શકે છે, કારણ કે તેને ધાર્મિક ધ્રુવીકરણ તરીકે જોવામાં આવી શકે. કેટલાક લોકોએ તેને રાજકીય લાભ માટે ભડકાઉ નિવેદન ગણાવ્યું, જ્યારે અન્ય લોકોએ તેને સિંધી સમાજની ભાવનાઓને વાચા આપતું નિવેદન માન્યું છે. ચેટીચાંદ એ સિંધી સમાજનો પવિત્ર તહેવાર છે, જે ભગવાન ઝૂલેલાલના જન્મદિવસની ઉજવણી તરીકે ઉજવાય છે. આ પ્રસંગે આવું નિવેદન આપવું એ સિંધી સમાજની ઐતિહાસિક પીડા અને એકતાને ઉજાગર કરવાનો પ્રયાસ હોઈ શકે, પરંતુ તેની રજૂઆતની રીત વિવાદાસ્પદ લોકોને લાગી રહી છે.

 

 

આ પણ વાંચોઃ   Jamnagar: રિક્ષાચાલકનું રહસ્યમય મોત: આંબેડકર બ્રિજ નીચેથી મળ્યો મૃતદેહ

આ પણ વાંચોઃ Vyara: બોલો અહીં ખેડૂતોએ ખેતરમાં જવા ટોલ ચૂકવવો પડે છે, ભારે વિરોધ (VIDEO)

આ પણ વાંચોઃ મુસ્લીમોના મિત્ર બનવા PM મોદીના પ્રયાસ કેમ?, સંજય રાઉતે કહ્યું આ ઢોંગ છે! | Saugat-E-Modi

આ પણ વાંચોઃ Rajkot: ન્યારી ડેમ પાસે અકસ્માતનો ભોગ બનેલા યુવકનું મોત, શું થયા આક્ષેપ?

Related Posts

Jamnagar Water Crisis: સ્માર્ટ સિટીના પોકળ દાવા, જામનગરના વોર્ડ નંબર-૧માં પાણી માટે વલખાં મારતા લાચાર લોકો!
  • June 19, 2026

Jamnagar Water Crisis: જામનગર મહાનગરપાલિકા દ્વારા ‘સ્માર્ટ સિટી’ અને વિકાસના ગમે તેટલા ભપકાદાર દાવા કરવામાં આવતા હોય, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ છે. જામનગરના વોર્ડ નંબર-૧માં આવેલો બેડી વિસ્તાર,…

Continue reading
Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?
  • June 18, 2026

Ram Mandir Gujarat Contribution: ૧૯૮૪માં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા શરૂ થયેલું રામજન્મભૂમિ મુક્તિ અભિયાન માત્ર એક રાજકીય આંદોલન નહોતું, પરંતુ તે લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર બની ગયું હતું. ગુજરાતના અમદાવાદ,…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

US-Iran Deal: ટ્રમ્પની શાંતિ ડીલ કે ઈરાનની રાજકીય જીત? પશ્ચિમ એશિયાના યુદ્ધ બાદ ઉભા થયેલા નવા સવાલો

  • June 19, 2026
  • 4 views
US-Iran Deal: ટ્રમ્પની શાંતિ ડીલ કે ઈરાનની રાજકીય જીત? પશ્ચિમ એશિયાના યુદ્ધ બાદ ઉભા થયેલા નવા સવાલો

India Christian Attacks: ભારતમાં ખ્રિસ્તીઓ પર વધતા હુમલા, ડરના ઓથાર હેઠળ જીવતા પરિવારોની વ્યથા

  • June 19, 2026
  • 5 views
India Christian Attacks: ભારતમાં ખ્રિસ્તીઓ પર વધતા હુમલા, ડરના ઓથાર હેઠળ જીવતા પરિવારોની વ્યથા

Ice Cream vs Frozen Dessert: આઈસ્ક્રીમના નામે પામ ઓઈલનો ખેલ, કંપનીઓની નફાખોરી અને ગ્રાહકો સાથે થતી છેતરપિંડી!

  • June 19, 2026
  • 10 views
Ice Cream vs Frozen Dessert: આઈસ્ક્રીમના નામે પામ ઓઈલનો ખેલ, કંપનીઓની નફાખોરી અને ગ્રાહકો સાથે થતી છેતરપિંડી!

Indian Political Defections: શું પક્ષ-પલટો કરનારા નેતાઓ ભારતીય લોકશાહી સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે?

  • June 19, 2026
  • 9 views
Indian Political Defections: શું પક્ષ-પલટો કરનારા નેતાઓ ભારતીય લોકશાહી સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે?

NCERT Dancing Girl Controversy: જ્યારે શિક્ષણ સંસ્થા પોતે જ બની જાય સેન્સર બોર્ડ

  • June 19, 2026
  • 12 views
NCERT Dancing Girl Controversy: જ્યારે શિક્ષણ સંસ્થા પોતે જ બની જાય સેન્સર બોર્ડ

India UK FTA: ભારત-UK મુક્ત વ્યાપાર કરારના છુપાયેલા પાસાં!

  • June 19, 2026
  • 9 views
India UK FTA: ભારત-UK મુક્ત વ્યાપાર કરારના છુપાયેલા પાસાં!