Vijay Rupani નો પાર્થિવ દેહ રાજકોટ પહોંચ્યો, શ્રદ્ધાંજલિ આપવા ભીડ ઉમટી

Vijay Rupani: 12 જૂન,2025 ના રોજ અમદાવાદ એરપોર્ટથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ટેકઓફ થયાના થોડા સમય પછી જ ક્રેશ થઈ ગઈ હતી. આ ભયાનક અકસ્માતમાં 241 લોકોના મોત થયા હતા. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી પણ આ જ વિમાનમાં સવાર હતા. આ ઘટનામાં જે પણ મૃતકો હતો તેમની DNA ટેસ્ટ દ્વારા ઓળખાણ કરવામાં આવી રહી છે. ત્યારે વિજય રુપાણીનો પણ DNA મેચ થતા તેમના મૃતદેહને રાજકોટ લાવવામાં આવી રહ્યો છે. હોસ્પિટલમાંથી ડીએનએ મેચિંગ બાદ ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો. આ પછી, સૈનિકો ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રીના મૃતદેહને ત્રિરંગામાં લપેટીને શબપેટીમાં લઈને બહાર આવ્યા હતા.હોસ્પિટલમાંથી મૃતદેહ મળ્યા બાદ, વિજય રૂપાણીના પાર્થિવ શરીરને જોવા માટે અન્ય લોકો પણ હાજર હતા, જેને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો.

પૂર્વ મુખ્યમંત્રીના અંતિમ સંસ્કારમાં હજારો લોકો હાજર રહે તેવી શક્યતા

મળતી માહિતી મુજબ આજે રાજકોટમાં રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરાશે. પૂર્વ મુખ્યમંત્રીના અંતિમ સંસ્કારમાં હજારો લોકો હાજર રહે તેવી અપેક્ષા છે, તેથી જાહેર પરિવહન વ્યવસ્થાને સરળ બનાવવા માટે ખાસ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.

વિજય રૂપાણીના પત્ની થયા ભાવુક

વિજય રૂપાણીનો મૃતદેહ મળતાની સાથે જ તેમનો પરિવાર શોકમાં ડૂબી ગયો હતો. વિજય રૂપાણીના પત્ની અંજલિ ખૂબ જ ભાવુક દેખાઈ રહ્યા હતા.પતિ વિજય રૂપાણીને કાયમ માટે ચૂપ જોઈને, તેમની પત્ની તેમના શરીર પાસે ચૂપચાપ ઉભી જોવા મળી.વિજય રૂપાણીના અંતિમ દર્શન દરમિયાન, તેમના પત્ની અંજલી રૂપાણીએ માથું નમાવીને તેમને પ્રણામ કર્યા. આ દરમિયાન, તેઓ પોતાના આંસુ રોકી શક્યા નહીં અને ખૂબ રડી પડ્યા.

પૂર્વ મુખ્યમંત્રીને વર્તમાન મુખ્યમંત્રીએ આપી શ્રદ્ધાંજલિ

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને અંતિમ શ્રદ્ધાંજલિ આપી.

વિજય રૂપાણીના પુત્ર ઋષભ રૂપાણીએ શું કહ્યું?

વિજય રૂપાણીના પુત્ર ઋષભ રૂપાણીએ ANI ને આપેલા એક નિવેદનમાં ઊંડા શોક વ્યક્ત કર્યો હતો અને તમામ અસરગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું, “દુઃખની આ ઘડીમાં, હું મારા રૂપાણી પરિવાર વતી તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. આ ફક્ત અમારા પરિવાર માટે જ નહીં પરંતુ 270 પરિવારો માટે પણ દુઃખદ ક્ષણ છે.” તેમણે કહ્યું, “હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તેઓ બધા આત્માઓને મુક્તિ આપે. હું તમામ આરોગ્ય કર્મચારીઓ, નાગરિક સંરક્ષણ, પોલીસ દળ, RSS કાર્યકરો પ્રત્યે હૃદયપૂર્વક કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. આ સમય દરમિયાન કરવામાં આવેલ રાહત અને બચાવ કાર્ય પ્રશંસનીય છે. હું વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિત દરેકનો હૃદયપૂર્વક કૃતજ્ઞતા વ્યક્ત કરું છું.”

આ પણ વાંચો:

Israel-Iran Conflict: ઈરાનમાં ઇઝરાયલી હુમલામાં 2 કાશ્મીરી વિદ્યાર્થીઓ ઘાયલ, 10,000 ભારતીયોને કરાશે રેસ્ક્યૂ

Gujarat Rain Update: આજે ગુજરાતના આ વિસ્તારોમાં પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

Ayodhya News: બહરાઈચ, બારાબંકી બાદ અયોધ્યામાં પણ દાદા મિયાં ઉર્સ પર પ્રતિબંધ

Ahmedabad plane crash: બીજું બ્લેક બોક્સ મળ્યું, તપાસ સમિતિની પ્રથમ બેઠક આજે

પૂર્વ મુખ્યમંત્રી Vijay Rupani ના આજે થશે અંતિમ સંસ્કાર, અત્યાર સુધીમાં આટલા મૃતકોના DNA સેમ્પલ મળ્યા

Earthquake in Peru: પેરુમાં મોડી રાત્રે 6.1 ની તીવ્રતાના આંચકા અનુભવાયા, એકનું મોત, અનેક ઇમારતો ધરાશાયી

  • Related Posts

    Gujarat ST: પોરબંદર-વેરાવળ લોકલ બસને એક્સપ્રેસ બનાવી દીધી, ગુજરાત ST ની તહેવારી લૂંટ! 
    • October 28, 2025

    Gujarat ST Bus Negligence: દિવાળીના તહેવારની રોણક વચ્ચે ગુજરાત રાજ્ય પરિવહન નિગમ (એસટી)એ મુસાફરોની મજબૂરીનો ફાયદો ઉઠાવીને એક નવો વિવાદ સર્જ્યો છે. પોરબંદરથી વેરાવળ જતી નિયમિત લોકલ બસ (સાંજે 5:30…

    Continue reading
     Amreli:રાજુલાના ધારેશ્વરની ધાતરવડી નદીમાં ન્હાવા પડેલા 4 યુવાનો ડૂબ્યા, મામલતદાર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી
    • October 28, 2025

    Amreli: અમરેલીના રાજુલા તાલુકાના ધારેશ્વર ગામ નજીક વહેતી ધાતરવડી નદીમાં ન્હાવા જતા ચાર યુવાનો પાણીમાં ડૂબી ગયા હોવાની દુઃખદ ઘટના સામે આવી છે. આ યુવાનો રાજુલા તાલુકાના બર્બટાણા ગામના રહેવાસી…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Gujarat ST: પોરબંદર-વેરાવળ લોકલ બસને એક્સપ્રેસ બનાવી દીધી, ગુજરાત ST ની તહેવારી લૂંટ! 

    • October 28, 2025
    • 3 views
    Gujarat ST: પોરબંદર-વેરાવળ લોકલ બસને એક્સપ્રેસ બનાવી દીધી, ગુજરાત ST ની તહેવારી લૂંટ! 

    Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!

    • October 28, 2025
    • 5 views
    Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!

     Amreli:રાજુલાના ધારેશ્વરની ધાતરવડી નદીમાં ન્હાવા પડેલા 4 યુવાનો ડૂબ્યા, મામલતદાર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી

    • October 28, 2025
    • 12 views
     Amreli:રાજુલાના ધારેશ્વરની ધાતરવડી નદીમાં ન્હાવા પડેલા 4 યુવાનો ડૂબ્યા, મામલતદાર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી

    કચ્છમાં મોટા પ્રમાણમાં મેન્ગ્રોવ ઉછેરવાનો દાવો PM મોદીનો ખોટો? | Mangrove Trees

    • October 28, 2025
    • 15 views
    કચ્છમાં મોટા પ્રમાણમાં મેન્ગ્રોવ ઉછેરવાનો દાવો PM મોદીનો ખોટો? | Mangrove Trees

    BOTAD:કપાસના કળદા વિવાદમાં મોદીની બેઇમાની, 2010 માં મનમોહનને જવાબદાર ઠેરવતા આજે તો પોતાની જ સરકારની નીતિઓએ ખેડૂતોને બરબાદ કર્યા!

    • October 28, 2025
    • 6 views
    BOTAD:કપાસના કળદા વિવાદમાં મોદીની બેઇમાની, 2010 માં મનમોહનને જવાબદાર ઠેરવતા આજે તો પોતાની જ સરકારની નીતિઓએ ખેડૂતોને બરબાદ કર્યા!

    8th Pay Commission: 8મા પગાર પંચની રચનાને કેન્દ્ર સરકારે આપી મંજૂરી, 18 મહિનામાં ભલામણો આપશે, જાણો વધુ

    • October 28, 2025
    • 14 views
    8th Pay Commission: 8મા પગાર પંચની રચનાને કેન્દ્ર સરકારે આપી મંજૂરી, 18 મહિનામાં ભલામણો આપશે, જાણો વધુ