કચ્છમાં મોટા પ્રમાણમાં મેન્ગ્રોવ ઉછેરવાનો દાવો PM મોદીનો ખોટો? | Mangrove Trees

  • Gujarat
  • October 28, 2025
  • 0 Comments

Kutch  Mangrove Trees: કચ્છ નજીક આવેલ પાકિસ્તાનના બોર્ડરના જંગલ વિસ્તારમાં મોટાપાયે મેન્ગ્રોવના વૃક્ષોનો નાશ થયો છે. સ્થાનિક લોકો અને વન વિભાગ કબૂલે છે અહીં વૃક્ષો ઓછા થયા છે. જો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાત સરકાર મેન્ગ્રોવના વૃક્ષો વધ્યા હોવાના દાવા કરી રહ્યા છે. જો કે વાસ્તિવકતા અલગ જ છે. મેન્ગ્રોવની વાવણીનો કૌભાંડ પણ ચાલી રહ્યું છે. સ્થાનિક લોકો સાથે વન વિભાગ મન માની કરી રહ્યું છે. સરકાર મેન્ગ્રોવના વૃક્ષો રોપવાના દાવા કરે છે પણ તે ખરેખરમાં દેખાતા નથી.

દેશનો કુલ મેન્ગ્રોવ આવરણ 4,991.68 ચોરસ કિમી છે, જે દેશના કુલ ભૌગોલિક વિસ્તારના 0.15% હિસ્સો ધરાવે છે. આમાં, ખૂબ જ ગાઢ મેન્ગ્રોવ કુલ મેન્ગ્રોવ આવરણના 1,463.97 ચોરસકિમી (29.33%) ધરાવે છે, મધ્યમ ગાઢ મેન્ગ્રોવ 1,500.84 ચોરસ કિમી (30.07%) છે જ્યારે ખુલ્લા મેન્ગ્રોવ 2,026.87 ચોરસ કિમી (40.60%) વિસ્તાર ધરાવે છે. 2021ના ​​મૂલ્યાંકનની તુલનામાં દેશના મેન્ગ્રોવ આવરણમાં 7.43 કિમી2 નો ચોખ્ખો ઘટાડો થયો છે.

ગુજરાતમાં 36.39 કિમી2નો નોંધપાત્ર ઘટાડો થયો છે. આંધ્રપ્રદેશ (13.01 કિમી2) માં મેન્ગ્રોવ વન આવરણમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે, ત્યારબાદ મહારાષ્ટ્ર (12.39 કિમી2) આવે છે.

ગુજરાત સહિત ભારતના પશ્ચિમ કાંઠાનાં મેન્ગ્રોવનાવન એકદમ પડી ભાંગે તેવું જોખમ સર્જાયું છે. આંતરરાષ્ટ્રીય રિપોર્ટના પાંચ મહિના બાદ કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે 21 ડિસેમ્બરે જાહેર કરેલા ‘ઇન્ડિયા સ્ટેટ ઑફ ફૉરેસ્ટ રિપોર્ટ (આઈએસએફઆર), 2023માં જણાવાયું હતુ ગુજરાતમાં બે વર્ષની અંદર 36.39 વર્ગ કિલોમીટર વિસ્તારમાંથી ચેરનાં જંગલ નાશ પામ્યાં છે.

ગુજરાતના 1164.08 વર્ગ કિલોમીટરમાં પથરાયેલા મેન્ગ્રોવના નવિસ્તારમાં 179.09 વર્ગ કિલોમીટરમાં પથરાયેલાં મધ્યમ ગીચતા ધરાવતાં વનો અને 984.97 વર્ગ કિલોમીટરમાં પથરાયેલા ઓપન ફૉરેસ્ટ એટલે કે એટલે કે પાંખી વનરાજી ધરાવતા વનવિસ્તારોનો સમાવેશ થાય છે. અહીં એ નોંધવું જરૂરી છે કે કુલ વિસ્તારનો 40 ટકા કે તેથી વધુ વિસ્તાર વૃક્ષાચ્છાદિત હોય તેવાં વનને મધ્યમ ગીચતાવાળું વન કહેવાય છે અને 10 ટકાથી વધુ પણ 40 ટકાથી ઓછું વૃક્ષાવરણ ધરાવતા વનને પાંખો વનવિસ્તાર કહેવાય છે.

ગુજરાતના 33 જિલ્લામાંથી 17 જિલ્લામાં મેન્ગ્રોવના નવિસ્તાર આવેલા છે અને રાજ્યનાં ચેરના જંગલમાં 2003 થી 2021 સુધી સતત વધારો નોંધાયો હોવાનું એફએસઆઈના રિપોર્ટ પરથી ફલિત થાય છે.
ગુજરાતમાં સૌથી મોટો ચેરનો વનવિસ્તાર કચ્છમાં છે અને ઘટાડો પણ સૌથી વધારે આ જ જિલ્લામાં નોંધાયો છે.

આઈએસએફઆર, 2023 મુજબ ભારતમાં 4991. 68 વર્ગ કિલોમીટરમાં ચેરનાં વન છે. પરંતુ વિસ્તાર 2021ના રિપોર્ટમાં નોંધાયેલા 4999.11 વર્ગ કિલોમીટર વિસ્તારની તુલનાએ ઓછો હતો આમ, બે વર્ષમાં દેશમાં ચેરના વનવિસ્તારમાં 7.43 વર્ગ કિલોમીટરનો ઘટાડો થયો. પરંતુ, આ સમયગાળા દરમિયાન ગુજરાતમાં ચેરનાં જંગલનો વિસ્તાર 36.39 વર્ગ કિલોમીટર જેટલો ઘટીને 1164.06 વર્ગ કિલોમીટર થઈ ગયો. ભારતનાં કોઈ પણ રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશના ચેર વનવિસ્તારમાં નોંધાયેલો આ સૌથી મોટો ઘટાડો હતો.

કચ્છમાં 2021માં 769.56 વર્ગ કિલોમીટરમાં ચેરનાં જંગલો હતાં. તેમાં બે વર્ષમાં 61.14 વર્ગ કિલોમીટરનો ઘટાડો થતા 2023માં તે 708.42 વર્ગ કિલોમીટર થઈ ગયો. તે જ રીતે ચેરના વિસ્તારવાળા બીજા સૌથી મોટા જિલ્લા એવા જામનગરમાં પણ 9.97 વર્ગ કિલોમીટરનો ઘટાડો થતા તે જિલ્લામાં મૅન્ગ્રૂવનો વિસ્તાર 172.50 વર્ગ કીલોમીટરથી ઘટીને 162.53 વર્ગ કિલોમીટર થઈ ગયો છે.

મોરબી અને આણંદ જિલ્લાના કાંઠાઓમાં પણ અનુક્રમે 1.04 એને 0.28 વર્ગ કિલોમીટરનો ઘટાડો નોંધાયો, પરંતુ અમદાવાદ, સુરત અને ભરૂચ જિલ્લાઓમાં અનુક્રમે 10.79, 7.97 અને 7.22 વર્ગ કિલોમીટરનો વધારો નોંધાતા રાજ્યના એકંદર મેન્ગ્રોવના વનવિસ્તારમાં ઘટાડો 36.39 વર્ગ કિલોમીટર સુધી મર્યાદિત રહ્યો હતો.

ત્યારે આ વીડિયોમાં જુઓ વડાપ્રધાન મોદી અને ગુજરાત સરકાર મેન્ગ્રોવ વૃક્ષો અંગે કેવા બણગાં ફૂકી રહી છે.

આ પણ વાંચો:

Montha Cyclone: આંધ્રપ્રદેશમાં આજે ‘મોન્થા’ વાવાઝોડું 100 કિમી ઝડપે લેન્ડફોલ થશે, હાઈ એલર્ટ અપાયું, તંત્ર સ્ટેન્ડબાય

Gujarat Cyclone Forecast: ગુજરાત પર ચક્રવાતી સંકટને લઈ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અપાયું ‘રેડ એલર્ટ’

Plutonium Deal: રશિયાએ પ્લુટોનિયમ સોદો રદ કરી અમેરિકાને આપ્યું અલ્ટીમેટમ!, ટ્રમ્પને પુતિનની સીધી ચેલેન્જ

BJP-NDA ના ઇશારે કામ કરતા ચૂંટણી પંચનું તાત્કાલિક વિસર્જન કરી SIR રદ કરવા ઉઠી માંગ!, ચેન્નાઈથી લોકશાહી બચાવવા શરૂ થઈ ઝુંબેશ

Related Posts

Bhavnagarમાં સ્પા સેન્ટરો પર પોલીસના દરોડા, અનૈતિક પ્રવૃત્તિઓનો પર્દાફાશ
  • November 16, 2025

Bhavnagar: ભાવનગર શહેરમાં ચાલતા વેપારના મુખમાં લુકાયેલી અનૈતિક પ્રવૃત્તિઓનો ખુલ્લો પર્દાફાશ કરતાં પોલીસે અનેક સ્પા સેન્ટરો પર દરોડા પાડ્યા છે. કાળાનાળા વિસ્તારમાં ટ્રેડ સેન્ટરમાં આવેલા ‘સીટી સ્પા‘ નામના સેન્ટરમાં ડમ્મી…

Continue reading
Bhavnagar માં ફરી હચમચાવતી ઘટના, ફોરેસ્ટ ક્વાર્ટરમાંથી મહિલા સહિત બે બાળકોનાં મળ્યા મૃતદેહ
  • November 16, 2025

Bhavnagar:  ભાવનગર શહેરના તળાજા રોડ પર કાચના મંદિર નજીકની ફોરેસ્ટ કોલોનીમાંથી એક રોહિંગી અને હૃદયવિદારક ઘટના સામે આવી છે, જેનાથી સમગ્ર વિસ્તારમાં આતંક અને અરેરાટીનો વાતાવરણ ફેલાઈ ગયો છે. ફોરેસ્ટ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Bhavnagarમાં સ્પા સેન્ટરો પર પોલીસના દરોડા, અનૈતિક પ્રવૃત્તિઓનો પર્દાફાશ

  • November 16, 2025
  • 2 views
Bhavnagarમાં સ્પા સેન્ટરો પર પોલીસના દરોડા, અનૈતિક પ્રવૃત્તિઓનો પર્દાફાશ

Fastag New Rule :નિયમો બદલાઈ ગયા!હાઇવે ઉપર જાવ ત્યારે આટલું ધ્યાન રાખજો,ફાયદામાં રહેશે!

  • November 16, 2025
  • 5 views
Fastag New Rule :નિયમો બદલાઈ ગયા!હાઇવે ઉપર જાવ ત્યારે આટલું ધ્યાન રાખજો,ફાયદામાં રહેશે!

Bihar Election:નીતિશ કાલે રાજીનામું આપશે!ધારાસભ્ય દળની બેઠકમાં CM સહિત ડે. CM નક્કી થશે! આ નામોની ચર્ચા

  • November 16, 2025
  • 15 views
Bihar Election:નીતિશ કાલે રાજીનામું આપશે!ધારાસભ્ય દળની બેઠકમાં CM સહિત ડે. CM નક્કી થશે! આ નામોની ચર્ચા

Bhavnagar માં ફરી હચમચાવતી ઘટના, ફોરેસ્ટ ક્વાર્ટરમાંથી મહિલા સહિત બે બાળકોનાં મળ્યા મૃતદેહ

  • November 16, 2025
  • 8 views
Bhavnagar માં ફરી હચમચાવતી ઘટના,  ફોરેસ્ટ ક્વાર્ટરમાંથી મહિલા સહિત બે બાળકોનાં મળ્યા મૃતદેહ

Gujrat police: પોલીસની જનરક્ષક(!)ગાડીએ અકસ્માત સર્જ્યો!શુ ડ્રાઈવર ‘પી’ ગયો હતો?

  • November 16, 2025
  • 17 views
Gujrat police: પોલીસની જનરક્ષક(!)ગાડીએ અકસ્માત સર્જ્યો!શુ ડ્રાઈવર ‘પી’ ગયો હતો?

IND vs SA 1st Test: 15 વર્ષ પછી દક્ષિણ આફ્રિકાએ ભારતીય ધરતી પર ટેસ્ટ જીતી, ટીમ ઇન્ડિયાને 30 રને હરાવ્યું

  • November 16, 2025
  • 12 views
IND vs SA 1st Test: 15 વર્ષ પછી દક્ષિણ આફ્રિકાએ ભારતીય ધરતી પર ટેસ્ટ જીતી, ટીમ ઇન્ડિયાને 30 રને હરાવ્યું