Iran Israel Conflict: ઈરાનના ધર્મગુરુએ ફતવો બહાર પાડ્યો, ટ્રમ્પ અને નેતન્યાહૂને ગણાવ્યા ‘અલ્લાહના દુશ્મન’

  • World
  • June 30, 2025
  • 0 Comments

Iran Israel Conflict : ઈરાનના ટોચના શિયા ધર્મગુરુએ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ વિરુદ્ધ ‘ફતવો’, બહાર પાડ્યો છે, જેમાં તેમને ટ્રમ્પ અને નેતન્યાહૂને “અલ્લાહના દુશ્મન” ગણાવ્યા છે અને અલ્લાહના દુશ્મનોનો નાશ કરવાની ધમકી આપી છે. ગ્રાન્ડ આયાતુલ્લાહ નાસિર મકારિમ શિરાઝીના આ ફરમાનમાં વિશ્વભરના મુસ્લિમોને એક થવા અને ઇસ્લામિક પ્રજાસત્તાકના નેતૃત્વને ધમકી આપતા અમેરિકન અને ઇઝરાયલી નેતાઓનો નાશ કરવા હાકલ કરવામાં આવી છે.

અલ્લાહના દુશ્મનોનો નાશ કરશે

મકારિમ શિરાઝીએ તેમના આદેશમાં કહ્યું, “કોઈપણ વ્યક્તિ અથવા શાસન જે નેતા અથવા મરજા (અલ્લાહ) ને ધમકી આપે છે તેને ‘લડાકુ’ અથવા ‘મોહરેબ’ ગણવામાં આવે છે.” ફોક્સ ન્યૂઝના અહેવાલ મુજબ, મોહરેબ એવી વ્યક્તિ છે જે ભગવાન સામે યુદ્ધ કરે છે અને ઈરાની કાયદા હેઠળ, મોહરેબ તરીકે ઓળખાતા લોકોને મૃત્યુદંડ, ક્રુસિફિકેશન, અંગવિચ્છેદન અથવા દેશનિકાલનો સામનો કરવો પડી શકે છે.

ફતવામાં શું કહેવામાં આવ્યું છે ?

ફતવામાં જણાવાયું છે કે “મુસ્લિમો અથવા ઇસ્લામિક રાજ્યો દ્વારા તે દુશ્મનને કોઈપણ સહયોગ અથવા ટેકો હરામ અથવા પ્રતિબંધિત છે. વિશ્વભરના તમામ મુસ્લિમો માટે આ દુશ્મનોને તેમના શબ્દો અને ભૂલો પર પસ્તાવો કરાવવો જરૂરી છે.” તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જો “પોતાની મુસ્લિમ ફરજ બજાવતો મુસ્લિમ તેના અભિયાનમાં મુશ્કેલી અથવા નુકસાનનો સામનો કરે છે, તો જો ભગવાન ઈચ્છે તો તેને ભગવાનના માર્ગમાં યોદ્ધા તરીકે પુરસ્કાર આપવામાં આવશે.”

ફતવામાં વધુમાં કહેવામાં આવ્યું છે કે જે લોકો ઈરાનના સર્વોચ્ચ નેતાને ધમકી આપે છે અથવા તેમની હત્યા કરવાનો પ્રયાસ કરે છે તેઓ અલ્લાહના ક્રોધનો સામનો કરશે અને આવા કૃત્યને માત્ર અલ્લાહના અપમાન તરીકે જ નહીં પરંતુ અલ્લાહ સામેના યુદ્ધ તરીકે પણ જોવામાં આવશે.

આ પણ વાંચો:

  • Related Posts

    Tarique Rahman India Visit: તારિક રહમાનની ભારત યાત્રા પર અનિશ્ચિતતા, શેખ હસીના પ્રત્યર્પણને લઈને બાંગ્લાદેશે મૂકી શરતો
    • August 17, 2026

    Tarique Rahman India Visit: બાંગ્લાદેશના વડાપ્રધાન તારિક રહમાનની ભારતની પ્રથમ દ્વિપક્ષીય યાત્રાને લઈને હજુ અંતિમ નિર્ણય લેવાયો નથી. બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે રવિવારે સ્પષ્ટ કર્યું કે યાત્રા માટે “અનુકૂળ વાતાવરણ” જરૂરી…

    Continue reading
    Asif Ali Zardari: ઝરદારીનો મોટો દાવો, પાકિસ્તાનમાં હિન્દુઓ ભારત કરતાં વધુ ખુશ? UN રિપોર્ટમાં સામે આવ્યું અલગ ચિત્ર
    • August 15, 2026

    Asif Ali Zardari: પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ પાકિસ્તાનમાં રહેતા હિન્દુઓની સ્થિતિ અંગે એવું નિવેદન આપ્યું છે, જેને લઈને નવી ચર્ચા શરૂ થઈ છે. પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસ નિમિત્તે આયોજિત એક…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Gujarat Cyber Crime: ગુજરાતમાં સાયબર લૂંટનો મોટો ખુલાસો: 11 મહિનામાં રૂ.1,334 કરોડનું નુકસાન, રોકાણ કૌભાંડ બન્યું સૌથી મોટું હથિયાર

    • August 18, 2026
    • 2 views
    Gujarat Cyber Crime: ગુજરાતમાં સાયબર લૂંટનો મોટો ખુલાસો: 11 મહિનામાં રૂ.1,334 કરોડનું નુકસાન, રોકાણ કૌભાંડ બન્યું સૌથી મોટું હથિયાર

    E20 Fuel: ઇથેનોલ મિશ્રણથી કોને ફાયદો અને કોને નુકસાન? મુખ્ય આર્થિક સલાહકારના નિવેદને વધારી ચર્ચા

    • August 18, 2026
    • 2 views
    E20 Fuel: ઇથેનોલ મિશ્રણથી કોને ફાયદો અને કોને નુકસાન? મુખ્ય આર્થિક સલાહકારના નિવેદને વધારી ચર્ચા

    Jharkhand Student Protest: ઝારખંડમાં ભરતી પરીક્ષાનો વિવાદ, 24 દિવસથી વિદ્યાર્થીઓ ભૂખ હડતાળ પર, રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર

    • August 17, 2026
    • 3 views
    Jharkhand Student Protest: ઝારખંડમાં ભરતી પરીક્ષાનો વિવાદ, 24 દિવસથી વિદ્યાર્થીઓ ભૂખ હડતાળ પર, રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર

    Arunachal Border Dispute: વંદે માતરમ ગાવાથી, તિરંગા યાત્રા કાઢવાથી, નકલી શૌર્ય બતાવવાથી CHINA ડરી જશે?

    • August 17, 2026
    • 9 views
    Arunachal Border Dispute: વંદે માતરમ ગાવાથી, તિરંગા યાત્રા કાઢવાથી, નકલી શૌર્ય બતાવવાથી CHINA ડરી જશે?

    UGC NET Re Exam 2026: પ્રશ્નપત્રમાં ભૂલો, જૂના સવાલોનું પુનરાવર્તન અને હવે રી-એક્ઝામ: NTAની પરીક્ષા વ્યવસ્થા પર સવાલ

    • August 17, 2026
    • 6 views
    UGC NET Re Exam 2026: પ્રશ્નપત્રમાં ભૂલો, જૂના સવાલોનું પુનરાવર્તન અને હવે રી-એક્ઝામ: NTAની પરીક્ષા વ્યવસ્થા પર સવાલ

    Bankura CJP Attack: બાંકુડામાં CJP કાર્યકરના ઘરે હુમલો, પિતાનું મોત; BJP નેતા સહિત 8ની ધરપકડ

    • August 17, 2026
    • 13 views
    Bankura CJP Attack: બાંકુડામાં CJP કાર્યકરના ઘરે હુમલો, પિતાનું મોત; BJP નેતા સહિત 8ની ધરપકડ