Bhavnagar: મનપામાં ભળ્યાના વર્ષો બાદ પણ 5 ગામોમાં સુવિધાને નામે મીંડું , પ્રાથમિક સુવિધા પણ નહીં

Bhavnagar: જ્યારે કોઈ વિસ્તારનો મહાનગર પાલિકામાં સમાવેશ થાય છે ત્યારે લોકોમાં આશા જાગે છે કે, હવે તેમના વિસ્તારનો વિકાસ થશે તેમને સારી સુવિધાઓ મળશે પરંતુ ભાવનગરમાં 5 ગામો એવા છે જેમનો મહાનગર પાલિકામાં,સમાવેશ થયે વર્ષો વીતી ગયા છતા અહીં સુવિધાને નામે માત્ર મીડું છે આ એટલા માટે કહેવું પડે છેકે, અહીં વધારાની સુવિધાતો છોડો પરંતુ તેમને પ્રાથમિક સુવિધાઓ પણ નથી મળી.

મનપામાં ભળ્યાના વર્ષો બાદ પણ વિકાસ નહીં

મળતી માહિતી મુજબ ભાવનગર શહેરના રુવા, તરસમિયા, સીદસર, નારી અને અકવાડા ગામનો મહાનગરપાલિકામાં સમાવેશ થયાના વર્ષો બાદ પણ અહીં અનેક સોસાયટીઓમાં ગટર, વરસાદી પાણી ભરાવા અને રસ્તા જેવી પ્રાથમિક સુવિધા નથી મળી. જેમાં ભાવનગર મહાનગરપાલિકા વિસ્તાર સરદારનગર વોર્ડના ક્ષેત્ર અધેવાડા ખાતે આવેલ ચંદ્રપાર્ક-ર સોસાયટીમાં જવા માટે રસ્તા જેવી સુવિધા ઉભી કરવામાં આવી નથી. તેમજ આ સોસાયટીમાં વરસાદી પાણી ભરાય જતા હોય ત્યારે આ પાણીના નિકાલ માટે નથી કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. તેમજ અહીં રસ્તો પણ કાદવ કિચડવાળો હોવાથી લોકોને ચાલવામાં પણ તકલીફ પડે છે. તેમજ અનેકવાર નાના બાળકોને કાદવ કીચડમાં પડવાથી નાની મોટી ઇજાઓ પહોંચી છે આમ પાલિકાએ પ્રાથમિક સુવિધાઓ સામે આંખ આડા કાન કરતા સ્થાનિકોને મુશ્કેલીનો સામેનો કરવો પડી રહ્યો છે.

ભાવનગર શહેરના અધેવાડા વિસ્તાર આજુબાજુની અંદરની સોસાયટીઓ વિસ્તારોમાં છાશવારે લોકો ખરાબ રસ્તાના કારણે પડે છે અને ઘણીવાર ગંભીર અકસ્માત પણ થાય છે અને ચોમાસામાં તો લગભગ દરરોજ લોકો સ્લીપ થાય છે. આધેવાડા વિસ્તારમાં સોસાયટીઓ તો બની પણ રસ્તા ન બન્યા જેથી વારંવાર અકસ્માતના બનાવો પણ બને છે. આ પ્રશ્ન લાંબા સમયથી છે અને વારંવાર રજૂઆત છતાં કોઇ ઉકેલ આવ્યો નથી.

 રજૂઆતો છતાં નક્કર કામગીરી નહીં 

આ મામલે સોસાયટીના લોકોનું કહેવું છે આ અંગે મહાનગરપાલિકાને રજૂઆતો કરી છે છતાં કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી. અમે મહાનગરપાલિકાનો તમામ વેરાઓ પણ ભરીએ છીએ છતાં અમને યોગ્ય સુવિધાથી વંચિત રાખવામાં આવે છે. જ્યારે આ અંગે આ વિસ્તારનાં નગરસેવકને જાણ કરવામાં આવે તો વિવિધ પ્રકારના ખોટા બહાના આપી અને રોડ બનાવવાના બદલે મોટા કાકરા વાળી ધૂળ નખાવી જાય છે.

ભાવનગર શહેરના અધેવાડા વિસ્તાર આજુબાજુની અંદરની સોસાયટીઓ વિસ્તારોમાં છાશવારે લોકો ખરાબ રસ્તાના કારણે પડે છે અને ઘણીવાર ગંભીર અકસ્માત પણ થાય છે અને ચોમાસામાં તો લગભગ દરરોજ લોકો સ્લીપ થાય છે. આધેવાડા વિસ્તારમાં સોસાયટીઓ તો બની પણ રસ્તા ન બન્યા જેથી વારંવાર અકસ્માતના બનાવો પણ બને છે. આ પ્રશ્ન લાંબા સમયથી છે અને વારંવાર રજૂઆત છતાં કોઇ ઉકેલ આવ્યો નથી.

 સ્થાનિક અધિકારીઓ શું કહે છે ?  

આ મામલે સ્થાનિક અધિકારીઓનું કહેવું છે કે, હજી સ્ટોર્મ લાઈન નાખવાની છે, પાણીની લાઈન નાખવાની છે ,પછી રોડ બનાવવાના છે. તેઓએ આખો ઉનાળો સર્વે કરવામાં કાઢયો અને અને કહે છે કે ચોમાસામાં કામ ન થાય. આ સોસાયટીઓમાં એટલો રસ્તો ખરાબ છે કે નાના બાળકથી લઈને વૃદ્ધ વડીલોને ચાલવામાંને વાહન ચલાવવામા ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ક્યારેક તો ખરાબ રસ્તાને કારણેસ્કૂલ વાન વાળા પણ બાળકોને લઈ જવાની ના પાડે છે. આ વિસ્તારમાં આ પ્રશ્ન લાંબા સમયથી છે અને સ્થાનિકોએ વારંવાર રજૂઆત છતાં કોઇ ઉકેલ આવ્યો નથી.

 અહેવાલ : નીતિન ગોહેલ

આ પણ વાંચો:
 

  • Related Posts

     Vadodara: શાળાઓમાં RSS વિચારધારાનો પ્રચાર કરતી નોટબુકોનું વિતરણ, શિક્ષણનું ભગવાકરણ?
    • June 30, 2025

     Vadodara RSS ideology propaganda notebooks distribution: વડોદરાના સયાજીગંજ વિધાનસભા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના ધારાસભ્ય કેયૂર રોકડિયા દ્વારા “નારાયણ સેવા કાર્યાલય”ના બે વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યે નારાયણ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ…

    Continue reading
    Harsukh Patel: ગુજરાતી ફિલ્મ ડિરેક્ટર હરસુખ પટેલ અવસાન બાદ વિક્રમ ઠાકોરે શું લખ્યું?
    • June 30, 2025

    Harsukh Patel passes away: ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ એક મોટા ફિલ્મ ફિલ્મ ડિરેક્ટર ગુમાવ્યા છે. પ્રખ્યાત ગુજરાતી ફિહરસુખભાઈ કાનજીભાઈ પટેલ (ધડુક)નું 29 જૂન, 2025ના રોજ હાર્ટ એટેકને કારણે કરુણ અવસાન થયું…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

     Vadodara: શાળાઓમાં RSS વિચારધારાનો પ્રચાર કરતી નોટબુકોનું વિતરણ, શિક્ષણનું ભગવાકરણ?

    • June 30, 2025
    • 5 views
     Vadodara: શાળાઓમાં RSS વિચારધારાનો પ્રચાર કરતી નોટબુકોનું વિતરણ, શિક્ષણનું ભગવાકરણ?

    Harsukh Patel: ગુજરાતી ફિલ્મ ડિરેક્ટર હરસુખ પટેલ અવસાન બાદ વિક્રમ ઠાકોરે શું લખ્યું?

    • June 30, 2025
    • 10 views
    Harsukh Patel: ગુજરાતી ફિલ્મ ડિરેક્ટર હરસુખ પટેલ અવસાન બાદ વિક્રમ ઠાકોરે શું લખ્યું?

    સુપ્રીમ કોર્ટે લલિત મોદીને આપ્યો ઝટકો: BCCI ને ચૂકવવી પડશે મોટી રકમ, શું છે ષડયંત્ર?

    • June 30, 2025
    • 15 views
    સુપ્રીમ કોર્ટે લલિત મોદીને આપ્યો ઝટકો: BCCI ને ચૂકવવી પડશે મોટી રકમ, શું છે ષડયંત્ર?

    Sabarkantha: પ્રાંતિજ હાઈવે પર ત્રિપલ અકસ્માત, બે ટ્રક વચ્ચે સ્કોર્પિયોનું પડીકું થઈ ગયું

    • June 30, 2025
    • 9 views
    Sabarkantha: પ્રાંતિજ હાઈવે પર ત્રિપલ અકસ્માત, બે ટ્રક વચ્ચે સ્કોર્પિયોનું પડીકું થઈ ગયું

     T. Raja Singh: કટ્ટર હિન્દુ નેતા ટી. રાજા સિંહ કોણ છે? જેમણે ભાજપમાંથી રાજીનામું આપતા મચ્યો ખળભળાટ!

    • June 30, 2025
    • 34 views
     T. Raja Singh: કટ્ટર હિન્દુ નેતા ટી. રાજા સિંહ કોણ છે? જેમણે ભાજપમાંથી રાજીનામું આપતા મચ્યો ખળભળાટ!

    Gujarat politics: CR પાટીલએ તો ઉપાડો લીધો હતો, દમ હોય તો હવે આવી જાવ મોરેમોરો ના મારી દવ તો… : ગોપાલ ઈટાલિયા

    • June 30, 2025
    • 21 views
    Gujarat politics: CR પાટીલએ તો ઉપાડો લીધો હતો, દમ હોય તો હવે આવી જાવ મોરેમોરો ના મારી દવ તો… : ગોપાલ ઈટાલિયા