UP Road Accident: ઉત્તર પ્રદેશમાં ભયાનક અકસ્માત, ગુજરાતથી કેદારનાથ જતા 4 મિત્રોનાં મોત, 1 ગંભીર

  • India
  • July 1, 2025
  • 0 Comments

UP Road Accident: ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લામાં પાણીપત-ખાતિમા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સોમવારે ભયાનક અકસ્માત સર્જાયો હતો. અહીં એક પૂર પાટ ઝડપે આવતી ઇનોવા કાર કાબુ બહાર ગઈ અને ફ્લાયઓવર પરથી નીચે પડી ગઈ. આ અકસ્માતમાં કારમાં મુસાફરી કરી રહેલા પાંચ મિત્રો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘટનાની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. સારવાર દરમિયાન 4 લોકોના મોત થયા છે, જ્યારે એક વ્યક્તિની હાલત ગંભીર છે. કહેવામાં આવી રહ્યું છે કે કારમાં મુસાફરી કરી રહેલા બધા યુવાનો મિત્રો હતા, જેઓ ગુજરાતના ગાંધીનગરથી કેદારનાથના દર્શન કરવા જઈ રહ્યા હતા.

ગુજરાતથી કેદારનાથ જતા મિત્રોને નડ્યો અસ્માત

મળતી માહિતી મુજબ છપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા પાણીપત ખાટીમા-નેશનલ હાઇવે પર એક ઝડપી ગતિએ આવતી ઇનોવા કાર કાબુ બહાર ગઈ અને ફ્લાયઓવર પરથી નીચે પડી ગઈ. આ કારમાં સવાર ગુજરાતના ગાંધીનગરના પાંચ મિત્રો ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમને પોલીસે સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.

4 મિત્રોના મોત, એકની હાલત ગંભીર

ગાંધીનગરથી કેદારનાથ દર્શન માટે જઈ રહેલા ચાર મિત્રો અમિત, ભરત, કર્ણ અને વિપુલનું સારવાર દરમિયાન તેમનું કરુણ મોત નીપજ્યું છે જ્યારે જીગર નામનો યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે અને તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ ઘટના બાદ પોલીસે મૃતદેહોને પોતાના કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે. આ સાથે જ આ કેસમાં આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

પોલીસે શરુ કરી તપાસ

મુઝફ્ફરનગરના એસએસપી સંજય કુમાર વર્માએ જણાવ્યું હતું કે છપર પોલીસ સ્ટેશનના ખાટીમા પાણીપત રોડ પર એક ઇનોવા કાર ખૂબ જ ઝડપે દોડી રહી હતી અને તે ફ્લાયઓવર પરથી નીચે પડી ગઈ. કારમાં પાંચ લોકો હતા. ચાર લોકોના મોત થયા છે, એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ છે, તેની સારવાર ચાલી રહી છે. તેમણે કહ્યું કે કારમાં સવાર બધા લોકો ગુજરાતના રહેવાસી હતા, તપાસમાં જે પણ તથ્યો બહાર આવશે તેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો:
 
 
 
 
 

  • Related Posts

    Narendra Modi: મોદીજી,”અબ ઝોલા ઉઠાઇયે ઔર ચલ પડો!” સંજય રાઉતે PM પર કર્યા આકરા પ્રહાર
    • March 23, 2026

     Narendra Modi: ઉદ્ધવ ઠાકરે જૂથના શિવસેના સાંસદ સંજય રાઉતે સતત તળિયે જઈ રહેલો રૂપિયો અને ગેસના વધતા ભાવ અંગે કેન્દ્ર સરકારની ટીકા કરી છે. તેમણે આ અંગે ચિંતા વ્યક્ત કરી…

    Continue reading
    Fake Milk: નકલી દૂધ પીવાથી 16 લોકોના ના મોત, 3 લોકો ગંભીર; દૂધ માફિયાઓ બેફામ! સરકારનું કોઈ નિયંત્રણ નહિ!
    • March 22, 2026

    Fake Milk: ગુજરાત સહિત સમગ્ર દેશમાં બેફામ નકલી દૂધ વેચાઈ રહ્યું છે અને દૂધ ડેરીમાં પણ નકલી દૂધ આવી રહ્યું છે પરિણામે દૂધ અને દૂધની બનાવટો નકલી હોય છે તે…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Gujarat News: ગુજરાતમાં કેટલાક પેટ્રોલ પંપો પર ‘નો સ્ટોક’ના બોર્ડ લાગ્યા! લોકોમાં ગેસ બાદ હવે પેટ્રોલ લેવા લાગી કતારો ! સરકાર કહે છે, “અફવા છે!”

    • March 23, 2026
    • 3 views
    Gujarat News: ગુજરાતમાં કેટલાક પેટ્રોલ પંપો પર ‘નો સ્ટોક’ના બોર્ડ લાગ્યા! લોકોમાં ગેસ બાદ હવે પેટ્રોલ લેવા લાગી કતારો ! સરકાર કહે છે, “અફવા છે!”

    Tata: ટાટા કેમિકલ્સ સામે અન્નજળનો ત્યાગ કરનાર દેવરામ કાકાના ઉપવાસ તૂટ્યા!!GPCB સામે ગંભીર આક્ષેપ!

    • March 23, 2026
    • 6 views
    Tata: ટાટા કેમિકલ્સ સામે અન્નજળનો ત્યાગ કરનાર દેવરામ કાકાના ઉપવાસ તૂટ્યા!!GPCB સામે ગંભીર આક્ષેપ!

    UP: ભાજપના રાજમાં ગૌહત્યાઓ કેમ વધી રહી છે ? મથુરા પણ સુરક્ષિત નહિ! ફરસા વાલે બાબાની હત્યા કે અકસ્માત? જુઓ ખાસ વિશ્લેષણ

    • March 23, 2026
    • 13 views
    UP: ભાજપના રાજમાં ગૌહત્યાઓ કેમ વધી રહી છે ? મથુરા પણ સુરક્ષિત નહિ! ફરસા વાલે બાબાની હત્યા કે અકસ્માત? જુઓ ખાસ વિશ્લેષણ

    SHANKARACHARY: જ્યોતિર્મઠના શંકરાચાર્યનો ચોંકાવનારો દાવો ‘ RSS’ ના આ આગેવાને 10 લાખ હિન્દૂ છોકરીઓને મુસ્લિમો સાથે પરણાવી દીધી!’ આતે કેવા સનાતની કહેવાય?

    • March 23, 2026
    • 10 views
    SHANKARACHARY: જ્યોતિર્મઠના શંકરાચાર્યનો ચોંકાવનારો દાવો ‘ RSS’ ના આ આગેવાને 10 લાખ હિન્દૂ છોકરીઓને મુસ્લિમો સાથે પરણાવી દીધી!’ આતે કેવા સનાતની કહેવાય?

    Rich Temples: ધનવાન ભગવાનના ખજાનાની રકમ લોક કલ્યાણમાં વપરાશેતો દેશની અડધી સમસ્યાઓ સોલ્વ થઈ જશે! જુઓ, વરીષ્ઠ પત્રકાર મયુર જાની શુ કહે છે!

    • March 23, 2026
    • 11 views
    Rich Temples: ધનવાન ભગવાનના ખજાનાની રકમ લોક કલ્યાણમાં વપરાશેતો દેશની અડધી સમસ્યાઓ સોલ્વ થઈ જશે! જુઓ, વરીષ્ઠ પત્રકાર મયુર જાની શુ કહે છે!

    Narendra Modi: મોદીજી,”અબ ઝોલા ઉઠાઇયે ઔર ચલ પડો!” સંજય રાઉતે PM પર કર્યા આકરા પ્રહાર

    • March 23, 2026
    • 11 views
    Narendra Modi: મોદીજી,”અબ ઝોલા ઉઠાઇયે ઔર ચલ પડો!” સંજય રાઉતે PM પર કર્યા આકરા પ્રહાર