horoscope: ન્યાયના કારક ગ્રહ શનિ મહારાજ આજથી વક્રી થશે, જાણો કઈ રાશિના જાતકોને કેવું ફળ મળશે

horoscope:  ન્યાયના કારક ગ્રહ શનિ મહારાજ રવિવાર ને 13 જુલાઈએ સવારે 09.38 કલાકથી મીન રાશિમાં વક્રીભ્રમણ કરશે. શનિ મહારાજ એક રાશિમાં અઢી વર્ષ (913 દિવસ) જેટલો વાસ કરે છે અને એમાં 92 જેટલા દિવસ વક્રીભ્રમણના હોય છે પરંતુ આ વખતે 138 દિવસ એટલે કે સામાન્ય કરતાં 15 ટકા વધુ દિવસ વક્રીભ્રમણ કરશે. એટલે કે શનિ મહારાજ 28 નવેમ્બર સુધી વક્રી રહેશે. શનિ મહારાજ આટલા લાંબા સમય સુધી વક્રી રહેવાથી શેરમાર્કેટ અનિર્ણાયક બનવાની આશંકા છે. સત્ય, કર્મ-ધર્મ સાથે સંયમ અને સાદગી સાથે ધરેલો સંબંધ શનિ ધરાવે છે. દંડ, ત્યાગ અને બલિદાન સાથે મોક્ષના કારક તરીકે ગણના થાય છે. આ ભ્રમણ દરમિયાન મકર, કુંભ રાશિ નિયમ જાતકોને અનપેક્ષિત ધનલાભ થાય. લગ્નજીવનથી ખંડિત જાતકોને પુન:લગ્નની તક સાંપડે. કર્મચારીઓનાં આંદોલન વકરે પરંતુ સરકાર તરફથી સમાધાન સાથે સમજુતીઓ સ્વીકારાય. લાંબા સમયથી પીડિત ગુપ્ત રોગોમાંથી રાહત મળી શકે. રેલ પ્રવાસની દુર્ઘટના થવાની શક્યતાઓ પણ જોવાઈ રહી છે. ધાર્મિક આંદોલનો, ખોટા-પ્રંપચી ગુરુઓની પોલ ખૂલી શકે. બજારમાં મંદી યથાવત્ રહે.

મિથુનના જાતકોને પરિવર્તન માટે મહેનત કરવી પડશે, કુંભ માટે પનોતિમાં ઉન્નતિકારક સ્થિત આવશે

મેષ : નોકરિયાત વર્ગને નવી નોકરીની તક મળી શકે. મિત્રમંડળથી શુભ સમાચાર મળે. શનિ ગ્રહના મંત્રની માળા કરવી.

વૃષભ : નોકરી-ધંધામાં માનસિક ભય-ચિંતાઓ સતાવે. આકસ્મિક હૃદય સંબંધિત બીમારીઓથી કાળજી રાખવી. મંગળવારે હનુમાનજીનાં દર્શન કરવા.

મિથુન : ભાગ્ય પરિવર્તન માટે મહેનત માગે. આયોજનપૂર્વક સાહસ કે નવાં કામો આદરવાં. મહિનાના પહેલા શનિવારે સુંદરકાંડ પાઠ કરવો.

કર્ક : જૂની બીમારીઓ સાથે નવી માંદગી ઉદ્ભવે. પારિવારિક સંબંધોમાં કડવાશ આવે. યથાશક્તિ ગરીબોને કાળી વસ્તુઓનું દાન કરવું.

સિંહ : લગ્નજીવનમાં ભંગાણ સંભવ. ધંધાકીય લાભો અટકી શકે. દરરોજ કાચા તેલનો દીપ અવશ્ય કરવો તેમજ શનિચાલીસાનું પઠન કરવું.

કન્યા : હિત કે ગુપ્તશત્રુઓ પર વિજય મળે. દૈનિક આવકમાં વધારો થાય. વાસી ચીજવસ્તુઓ ખાવી નહીં.

તુલા : માનસિક ઉદ્વેગ-અશાંતિ વધે. વડીલોપાર્જિત મિલકતથી ધનલાભ. સંકટ સમયે ન્યાય-નીતિ કે વચનભંગ કરવો નહીં.

વૃશ્ચિક : શારીરિક, આર્થિક સાથે સામાજિક તકલીફો વધી શકે. મકાન-વાહનચોરીની શક્યતા. બદલાની ભાવના છોડીને ન્યાય-નીતિ અનુસાર કર્મ કરવું. હનુમાન ચાલીસાનું પઠન કરવું.

ધન : મનોઇચ્છિત કામો ઉકેલાય. ધાર્મિક કામો થાય. પ્રવાસ પર્યટન લાભદાયક બની રહે. જૂના વાહન, ભંગારનો તાત્કાલિક નિકાલ કરવો.

મકર : વીલ-વારસો મળી શકે. સરકારી બાકી મળવાપાત્ર લાભ મળી શકે. પરીવારમાં માંગલિક કાર્ય આવી શકે. શનિવારે એકટાણું કરવો.

કુંભ : પનોતીમાં ઉન્નતિકારક પરિસ્થિતિ બને. આરોગ્ય સંબંધિત તકલીફ દૂર થાય.

વિદેશ સફર સંભવ. જરૂરિયાત મંદોને યથાશક્તિ તબીબી સહાય કરવી.

મીન : કોર્ટ-કચેરી હૉસ્પિટલનો બંધનયોગ સંભવ. આકસ્મિક ખર્ચા વધે.

આ પણ વાંચો: 
 
 
 
 
 
 
 
  • Related Posts

    Rashifal 2026: ગ્રહોના રાજા સૂર્ય રાજ કરશે,આ રાશિના જાતકો માટે ખુલી જશે ભાગ્યના દ્વાર
    • January 4, 2026

    Rashifal 2026: 2026ના વર્ષમાં કેટલીક રાશિઓના જાતકો માટે ભાગ્યના નવા દરવાજા ખુલી જવાના છે,એક નવી ઉર્જા અને ચેતના જીવનમાં આવવાની છે,જાતકોને ભાગ્યનો સાથ મળવાનો છે તો ચાલો જાણીએ કે નવું…

    Continue reading
    Navratri Rashifal: આ શારદીય નવરાત્રી પર ચંદ્રનો રહેશે પ્રભાવ, જાણો કઈ રાશિના લોકોને થશે ફાયદો?
    • September 22, 2025

    Navratri Rashifal: આ વર્ષે, શારદીય નવરાત્રી દરમિયાન, ફક્ત ચંદ્ર જ ગોચર કરશે. બાકીના ગ્રહો નહીં. સમગ્ર નવરાત્રી દરમિયાન, સૂર્ય કન્યા રાશિમાં, મંગળ તુલા રાશિમાં, બુધ કન્યા રાશિમાં, ગુરુ મિથુન રાશિમાં,…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Indian Students Abroad: ડિગ્રી હાથમાં હોવા છતાં ડિલિવરી બોય બનવા મજબૂર ભારતીય યુવાનો

    • June 23, 2026
    • 3 views
    Indian Students Abroad: ડિગ્રી હાથમાં હોવા છતાં ડિલિવરી બોય બનવા મજબૂર ભારતીય યુવાનો

    Chaitar Vasava: ચૈતર વસાવાને ૭ વર્ષની સજા, આદિવાસીઓના અવાજને દબાવવાનું રાજકીય ષડયંત્ર?

    • June 23, 2026
    • 9 views
    Chaitar Vasava: ચૈતર વસાવાને ૭ વર્ષની સજા, આદિવાસીઓના અવાજને દબાવવાનું રાજકીય ષડયંત્ર?

    Telangana SBI Land Dispute: હૈદરાબાદની પાંચ એકર જમીનને લઈને તેલંગાણા સરકાર અને SBI આમને-સામને

    • June 23, 2026
    • 10 views
    Telangana SBI Land Dispute: હૈદરાબાદની પાંચ એકર જમીનને લઈને તેલંગાણા સરકાર અને SBI આમને-સામને

    Haryana IDFC First Bank Scam: હરિયાણામાં ૬૪૫ કરોડનું કૌભાંડ, IAS પંકજ અગ્રવાલની ધરપકડ, જ્યારે દેશના સર્વોચ્ચ અધિકારીઓ જ બની જાય લૂંટારા!

    • June 23, 2026
    • 12 views
    Haryana IDFC First Bank Scam: હરિયાણામાં ૬૪૫ કરોડનું કૌભાંડ, IAS પંકજ અગ્રવાલની ધરપકડ, જ્યારે દેશના સર્વોચ્ચ અધિકારીઓ જ બની જાય લૂંટારા!

    Political Representation of Women: નારી શક્તિ વંદનનો ઢોંગ, કાયદો આવ્યો પણ રાજકારણના દરવાજા મહિલાઓ માટે હજુ પણ બંધ!

    • June 23, 2026
    • 11 views
    Political Representation of Women: નારી શક્તિ વંદનનો ઢોંગ, કાયદો આવ્યો પણ રાજકારણના દરવાજા મહિલાઓ માટે હજુ પણ બંધ!

    Gujarat Chief Secretary Warrant: મુખ્ય સચિવ સામે વોરંટ, કચ્છ પોલીસ મથક પરથી કૂદકો માર્યો, માનવ અધિકાર ભંગના કિસ્સા વધ્યા

    • June 23, 2026
    • 12 views
    Gujarat Chief Secretary Warrant: મુખ્ય સચિવ સામે વોરંટ, કચ્છ પોલીસ મથક પરથી કૂદકો માર્યો, માનવ અધિકાર ભંગના કિસ્સા વધ્યા