MP Devusinh Chauhan બારેજા મેલડી ભૂવાના વખાણ કરવામાં ભૂલ્યા ભાન, હિંદુ સનાતન વેદોની કરી ટીકા

MP Devusinh Chauhan controversy: ખેડાના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણના ગીતા અને વેદ વિશેના એક વિવાદાસ્પદ નિવેદનથી બ્રહ્મ સમાજમાં ભારે રોષ ફેલાયો છે. દેવુસિંહ ચૌહાણે  ખૂંખાર મેલડી બારેજા ધામમાં આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, “ગીતા અને વેદની વાતો અને કર્મકાંડ સમાજને બીજી દિશામાં દોરી જાય છે.” આ નિવેદનથી બ્રહ્મ સમાજની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી હોવાનું માનવામાં આવે છે, જેના કારણે વિરોધનો સૂર ઉઠ્યો છે.

દેવુસિંહ ચૌહાણએ શું કહ્યું?

આ વિવાદને લઈને દેવુસિંહ ચૌહાણે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે તેમના નિવેદનનો હેતુ બ્રહ્મ સમાજની લાગણીઓને દુભાવવાનો ન હતો. તેમણે દાવો કર્યો કે તેમના શબ્દોને ખોટી રીતે સમજવામાં આવ્યા છે અને મીડિયા દ્વારા તેને તોડી-મરોડીને રજૂ કરવામાં આવ્યું છે. દેવુંસિંહ ચૌહાણે માફી માગવાનો પ્રયાસ કર્યો અને જણાવ્યું કે તેમનું નિવેદન ધાર્મિક ગ્રંથોનું અપમાન કરવા માટે નહીં, પરંતુ ચોક્કસ સંદર્ભમાં લોકોને ગેરમાર્ગે દોરવાની વાત કરવા માટે હતું. જોકે, આ સ્પષ્ટીકરણથી બ્રહ્મ સમાજનો રોષ સંપૂર્ણ શાંત થયો નથી, અને સમાજે તેમને સનાતન ધર્મ અને બ્રહ્મ સમાજની માફી માગવાની માગણી કરી છે.

બ્રહ્મ સમાજના આગેવાનોએ દેવુસિંહ ચૌહાણના નિવેદનની કરી નિંદા 

બ્રહ્મ સમાજના આગેવાનોએ દેવુસિંહ ચૌહાણના નિવેદનની નિંદા કરી છે અને તેમને જાહેરમાં માફી માગવા જણાવ્યું છે. આ નિવેદનને લઈને સમાજમાં નારાજગીનો માહોલ છે, અને કેટલાકે આને ધાર્મિક ગ્રંથોનું અપમાન ગણાવ્યું છે.આ વિવાદ દેવુસિંહ ચૌહાણની રાજકીય છબી અને બ્રહ્મ સમાજ સાથેના તેમના સંબંધો પર કેવી અસર કરશે, તે આગામી દિવસોમાં સ્પષ્ટ થશે. હાલમાં, આ મુદ્દે વધુ સ્પષ્ટતા અને હેમાંગ રાવલના સત્તાવાર નિવેદનની રાહ જોવાઈ રહી છે.

આ પણ વાંચોઃ 

Gujarat Weather Forecast: ચોમાસું ફરી સક્રિય થતા 6 દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લાઓમાં રેડ અને ઓરેન્જ એલર્ટ

Israel iran War: ઇઝરાયલે હમાસ કમાન્ડરને ઠાર માર્યો, 75 આતંકવાદી ઠેકાણાઓ પર કર્યો હુમલો

Journalist Ajit Anjum એ ખોલી વધુ એક પોલ, બિહારમાં મતદારોની જાણ બહાર ફોર્મ થયા સબમિટ

Earthquack News:ભારત સહિત ત્રણ દેશોમાં ભૂકંપના આંચકા, જાણો વિગતો

Vadodara: રજા પાડનાર વિદ્યાર્થીને શિક્ષકે લાફો મારતા કાનનો પડદો ફાટ્યો, શિક્ષકને શું સજા થઈ?

Dharma: દાનનો મહિમા, અંગરાજ કર્ણ દાનવીર કેવી રીતે કહેવાયા?

Uttar Pradesh: નકલી પોલીસ ગર્લફ્રેન્ડને મળવા ગયો, પરિવારે ઝડપ્યો અને પછી ફૂટ્યો ભાંડો

  • Related Posts

    Chaitar Vasava: ચૈતર વસાવાને ૭ વર્ષની સજા, આદિવાસીઓના અવાજને દબાવવાનું રાજકીય ષડયંત્ર?
    • June 23, 2026

    Chaitar Vasava: ગુજરાતના રાજકારણમાં એક મોટા ભૂકંપ સમાન ઘટનામાં, નર્મદા જિલ્લાની ડેડિયાપાડા વિધાનસભા બેઠકના આમ આદમી પાર્ટી (AAP) ના ધારાસભ્ય ચૈતર વસાવાને રાજપીપળાની સેશન્સ કોર્ટે સાત વર્ષની જેલની સજા ફટકારી…

    Continue reading
    Student Suicide Crisis Gujarat: ગુજરાતમાં વિદ્યાર્થી આત્મહત્યાના ચોંકાવનારા આંકડા, ચાર વર્ષમાં 1063 વિદ્યાર્થીઓએ જીવન ટૂંકાવ્યું, કોંગ્રેસે સરકારને ઘેરી
    • June 23, 2026

    Student Suicide Crisis Gujarat: ગુજરાતમાં છેલ્લા ચાર વર્ષમાં વિદ્યાર્થીઓની આત્મહત્યાના આંકડાએ સમગ્ર શિક્ષણ વ્યવસ્થાની પોલ ખોલી નાખી છે. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ રજૂ કરેલા ચોંકાવનારા આંકડા મુજબ, ૨૦૨૦-૨૧…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Indian Students Abroad: ડિગ્રી હાથમાં હોવા છતાં ડિલિવરી બોય બનવા મજબૂર ભારતીય યુવાનો

    • June 23, 2026
    • 3 views
    Indian Students Abroad: ડિગ્રી હાથમાં હોવા છતાં ડિલિવરી બોય બનવા મજબૂર ભારતીય યુવાનો

    Chaitar Vasava: ચૈતર વસાવાને ૭ વર્ષની સજા, આદિવાસીઓના અવાજને દબાવવાનું રાજકીય ષડયંત્ર?

    • June 23, 2026
    • 9 views
    Chaitar Vasava: ચૈતર વસાવાને ૭ વર્ષની સજા, આદિવાસીઓના અવાજને દબાવવાનું રાજકીય ષડયંત્ર?

    Telangana SBI Land Dispute: હૈદરાબાદની પાંચ એકર જમીનને લઈને તેલંગાણા સરકાર અને SBI આમને-સામને

    • June 23, 2026
    • 10 views
    Telangana SBI Land Dispute: હૈદરાબાદની પાંચ એકર જમીનને લઈને તેલંગાણા સરકાર અને SBI આમને-સામને

    Haryana IDFC First Bank Scam: હરિયાણામાં ૬૪૫ કરોડનું કૌભાંડ, IAS પંકજ અગ્રવાલની ધરપકડ, જ્યારે દેશના સર્વોચ્ચ અધિકારીઓ જ બની જાય લૂંટારા!

    • June 23, 2026
    • 12 views
    Haryana IDFC First Bank Scam: હરિયાણામાં ૬૪૫ કરોડનું કૌભાંડ, IAS પંકજ અગ્રવાલની ધરપકડ, જ્યારે દેશના સર્વોચ્ચ અધિકારીઓ જ બની જાય લૂંટારા!

    Political Representation of Women: નારી શક્તિ વંદનનો ઢોંગ, કાયદો આવ્યો પણ રાજકારણના દરવાજા મહિલાઓ માટે હજુ પણ બંધ!

    • June 23, 2026
    • 11 views
    Political Representation of Women: નારી શક્તિ વંદનનો ઢોંગ, કાયદો આવ્યો પણ રાજકારણના દરવાજા મહિલાઓ માટે હજુ પણ બંધ!

    Gujarat Chief Secretary Warrant: મુખ્ય સચિવ સામે વોરંટ, કચ્છ પોલીસ મથક પરથી કૂદકો માર્યો, માનવ અધિકાર ભંગના કિસ્સા વધ્યા

    • June 23, 2026
    • 12 views
    Gujarat Chief Secretary Warrant: મુખ્ય સચિવ સામે વોરંટ, કચ્છ પોલીસ મથક પરથી કૂદકો માર્યો, માનવ અધિકાર ભંગના કિસ્સા વધ્યા