C.R. Patil: પાટીલે મુંબઈને પાણી આપવા માટે ગુજરાતના લોકો સાથે દગો કર્યો, જુઓ આ ખાસ રિપોર્ટ

દિલીપ પટેલ અને ઉમેશ રોહિત 

C.R. Patil: પાર-તાપી-નર્મદા રિવર લીક યોજના બંધ કરી દેવામાં આવી હોવાનું ભાજપની સરકારે જાહેર કર્યું હતું. પણ તે વચન ભંગ કરીને હવે ભાજપની સરકારો 61 ગામોને તબાહ કરે એવી યોજના ફરીથી અમલી બનાવવા અહેવાલને આખરી રૂપ આપી દીધું છે. જેમાં 2011ની વસતી ગણતરી પ્રમાણે 10 હજાર ઘર ભાંગી નંખાશે. 2025ની વસતી પ્રમાણે 20 હજાર ઘર હોઈ શકે છે.

રીવર લિંક યોજનાથી 2011ની વસતી પ્રમાણે 53245 લોકોને 61 ગામોમાંથી ભગાડી મૂકાશે. જોકે 2025ની વસતી પ્રમાણે કદાચ તેનાથી બે ગણા હોઈ શકે છે. 61 ગામોની 37,289 હેક્ટર જમીન જતી રહેશે, જેમાં ખેતી અને જંગલની જમીન છે.

નવા જળાશયોથી પ્રભાવિત ગામો
પ્રસ્તાવિત ઝેરી, પાઈખેડ, ચાસમાંડવા, ચિક્કર, દાબદર અને કેલવાન જળાશયોના નિર્માણને કારણે કુલ 61 ગામો (એક સંપૂર્ણ અને 60 આંશિક) પ્રભાવિત થવાની સંભાવના છે.

ગામડાઓની પસંદગી
ઝેરી, પૈખેડ, ચાસમાંડવા, ચિક્કર, દાબદર અને કેલવાન ખાતે પ્રસ્તાવિત જળાશયોનું નિર્માણ 61 ગામોને અસર કરશે (ઝેરી – 6, પૈખેડ – 11, ચાસમાંડવા – 7, ચિક્કર – 9, દાબદર – 11 અને કેલવાન – 17 જળાશયો હેઠળના ગામો) પ્રોજેક્ટમાં તબાહ થતાં 61 ગામો છે.

ઘર જશે
પ્રોજેક્ટ્સને કારણે અસર થવાની સંભાવના ધરાવતા તમામ 61 ગામોના ઘરો 10 હજાર ઘરને અસર થાય તેમ છે.

2022થી વિરોધ

દક્ષિણ ગુજરાતના આદિવાસી સમુદાય દ્વારા યોજનાનો ઉગ્ર વિરોધ કરતા માર્ચ-2022માં આ પ્રોજેક્ટને સ્થગિત કરાયો હતો. તે પછી મે-2022માં પ્રોજેક્ટને કાયમી રીતે રદ કરી દેવામાં આવ્યો હોવાની જાહેરાત સરકારે કરી હતી. સરકારે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે આદિવાસી વર્ગની માગણીને ધ્યાનમાં રાખીને કાયમી ધોરણે આ યોજના રદ કરી દેવામાં આવી છે.

પાર-તાપી-નર્મદા રિવર લીક યોજનાને રદ કરવાની રાજ્ય સરકારે મે-2022માં જાહેરાત કરી હોવા છતાં ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રના જળ શક્તિ મંત્રાલયના પ્રધાન ચંદ્રકાંત પાટીલે મહારાષ્ટ્રની મુંબઈને પાણી આપવા માટે ગુજરાતના લોકો સાથે દગો કર્યો છે. મુંબઈ શહેરને પાણી આપવા માટે પાટીલ ગુજરાત સાથે દગો કરી રહ્યાં છે.

પાર – તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ બંધ કરી દેવામાં આવ્યો હોવાનો દેખાવ 2024ની લોકસભાની ચૂંટણી પહેલા ભાજપના નેતાઓએ કર્યો હતો. તેનાથી 10 હજાર લોકોને ગામ છોડવા નહીં પડે એવું લાગતાં તેમણે રાહત લીધી હતી. પણ આ યોજના બંધ કરી નથી ચાલુ છે.

જો કે 24-7-2025એ લોકસભામાં નદીઓને જોડવાની યોજના અંગેના એક સવાલના જવાબમાં જળ સંસાધન મંત્રાલય દ્વારા પાર-તાપી-નર્મદા લિંકનો ડીટેલ પ્રોજેક્ટ રિપોર્ટ પૂર્ણ થઇ ગયો છે તેમ કહીને તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

કેન્દ્રીય જળ શક્તિ પ્રધાન સીઆર પાટીલે સ્માર્ટ નદી બનાવવા 9 જુલાઈ 2025માં બેઠક કરી. ત્યાર બાદ પાટીલે લોકસભામાં જવાબ આપ્યો કે યોજના ચાલુ છે. 2025માં કરેલી બેઠકમાં નદીના કાયાકલ્પ માટે નવીનતાઓ અને આંતરરાષ્ટ્રીય સહયોગ મેળવવા માટે હતી. ‘નમામિ ગંગે’ કાર્યક્રમ હેઠળ દેશભરમાં નદીના કાયાકલ્પ કરવા માંગે છે. નાની નદીઓના સંચાલનમાં ટેકનોલોજી અને નવીનતાઓના ભવિષ્ય પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. રાજસ્થાન-ગુજરાતની રાજસ્થાન-સાબરમતી લિંકનો પણ ઉલ્લેખ કરીને આ પ્રોજેક્ટનો ફિઝિબિલિટી રિપોર્ટ પૂર્ણ કરવામાં આવ્યો હોવાની ચર્ચા કરી હતી.

61 ગામ પ્રભાવિત

6 જળાશયો તેમાં ઝેરી, પાઈ ખેડ, ચાસમંડવા, ચિક્કર, દાબદર અને કેળવાન બનાવવાથી ૬૧ ગામો (એક ગામ સંપૂર્ણપણે અને 60 ગામો અડધા ખસેડવામાં આવશે. પ્રભાવિત થશે. અસરગ્રસ્ત ગામો ગુજરાતના ડાંગ અને વલસાડ જિલ્લાઓ અને મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં છે.

જિલ્લાના તાલુકા

2 કરોડની વસ્તીને આવરી લેતો આ પ્રોજેક્ટ છે. જેમાં યોજનાના તાપી નર્મદા લીંક યોજના મહારાષ્ટ્ર અને ગુજરાતની છે. જેમાં નાસિક જિલ્લો અને વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, છોટા ઉદેપુર અને પંચમહાલ જીલ્લાઓ અને ગુજરાતનો સૌરાષ્ટ્ર પ્રદેશ છે. તાલુકાઓમાં પીંટ, સુરગાણા, ધરમપુર, વાંસદા, વઘઇ, સોનગઢ, માંડવી, માંગરોળ, વાલિયા, ઝઘડિયા, રાજપીપળા, તિલકવાડા, સંખેડા, જેતપુર પાવી, નસવાડી, કવાંટ, બોડેલી, છોટાઉદેપુર, હાલોલ, કાલોલ, ઘોઘંબા અને સૌરાષ્ટ્ર પ્રદેશ છે.

તાપી-નર્મદા લિંક યોજના છે શું?

ગુજરાત-મહારાષ્ટ્રના 6 બંધ ઝેરી, પૈખડ, ચાસમાંડવા, ચિક્કાર ,દાબદર, કેલવાનની ક્ષમતા અને મજબુતાઈ વધારીને તમામ બંધને એક બીજા સાથે જોડવામાં આવશે. વળી, નર્મદા બંધને તાપી (ઉકાઈ) બંધ સાથે નહેર દ્વારા જોડવાની યોજનાનું નામ “તાપી-નર્મદા લિંક યોજના”.

ચોમાસામાં વરસાદથી નર્મદા અને ઉકઈ ડેમ ભરાઈ ગયા બાદ વરસાદી પાણી દરિયામાં વહી જાય છે તેનો સંગ્રહ એક બીજા બંધમાં નહેર દ્વારા પાણી પહોંચાડીને ભરવામાં આવશે. ગુજરાતના બંધ ભરાય ગયા બાદ વધતુ પાણી મહારાષ્ટ્રને આપવામાં આવશે.

કયા બંધો જોડાશે
હેડ વર્ક્સમાં
ઝેરી ડેમ
પાળખેડ ડેમ
પાળખેડ બેરેજ
ચાસમાંડવા ડેમ
ચાસમાંડવા બેરેજ
ચિક્કાર ડેમ
દબદર ડેમ
કેલવણ ડેમ

10 હજાર હેક્ટર જમીન આદિવાસીઓ પાસેથી ખૂંચવી લેવાશે
પાર તાપી-નર્મદા લિંક યોજનામાં કુલ 10,559.70 હેક્ટર જમીન આદિવાસીઓ પાસેથી સરકાર સંપાદિત કરીને આંચકી લેવાની છે. જેમાં 4,439.40 હેક્ટર જંગલની જમીન સંપાદિત થશે. પરંતુ અહી અગત્યની વાત તે છે કે 4 હજાર હેક્ટર જંગલની જમીન પાર તાપી-નર્મદા લિંક યોજનામાં સંપાદિત કરવાની હોય ત્યારે પર્યાવરણવાદી કે વન્યજીવોની રક્ષાના નામે કોર્પોરેટની દલાલી કરનારો વર્ગ મૌન છે. પાર તાપી-નર્મદા લિંક યોજનામાં ખેડૂતોની 5152 હેક્ટર જમીન સંપાદિત થવાની છે. 967.80 હેક્ટર સરકારી જમીન સંપાદિત થવાની છે.

288 ગામો પ્રભાવિત થશે
વલસાડ , તાપી, નવસારી, સુરત, નર્મદા, વડોદરા તેમડ ડાંગના કુલ 288 ગામો પાર તાપી-નર્મદા લિંક યોજનામાં આડકતરી રીતે અસરગ્રસ્ત થવાના છે. તેમ આદિવાસી કિસાન સંઘર્ષ મોર્ચા – AKSMના યુવા નેતા રોમેલ સુતરીયા દ્રારા લોકોને સાવચેત કરાયા હતા.

પ્રજાના નાણા વેડફાશે
તાપી-નર્મદા લિંક યોજનામાં વેડફાવનારા પ્રજાના ટેક્સનાં નાણાંથી રાજકીય પક્ષના તેમજ કોર્પોરેટ ક્ષેત્રના દલાલો મોટા પાયે ટકાવારી મોળવવાની આશાયે યોજનાના લાભો ગણાવશે. નર્મદા, સૌની, સુજલામ સુફલામ અને કલ્પસર નિષ્ફળ ગઈ છે તે રીતે તાપી-નર્મદા લીંક યોજના પણ નિષ્ફળ જવાની છે. કારણ કે બંધો છલકાતા બંધ થઈ ગયા છે તો વધારાનું પાણી લાવશો ક્યાંથી ? આ તમામ યોજના માટે રૂ.1.25 લાખ કરોડવો ખર્ચ સરકાર કરી ચૂકી છે. હવે તાપી-નર્મદા લીંક યોજનામાં બીજા રૂ.25થી 30 હજાર કરોડ ખર્ચી નાંખશે. જેનું કોઈ આર્થિક કે સામાજિક વળતર મળવાનું નથી.

પાણી ઘટ્યું
ભયાનક એટલા માટે છે કે, હવે નદીઓમાં પાણી જ નથી તો તે પાણીથી બંધ કઈ રીતે ભરાશે. સુકી નદીઓ થઈ ગઈ છે. છેલ્લા ઘણા વર્ષોથી ગ્લોબલ વોર્મિંગના કારણે થયેલા જળ-વાયુ પરિવર્તનોના કારણે નર્મદા સહિતના બંધોમાં ઓછું પાણી આવે છે. તેથી લીંક યોજનામાં પાણી જ બચ્યું નથી.

10 યોજનાના માઠા પરિણામો
ફરી એક આવી જ ભયાનક યોજના બની રહી છે જેમાં આદિવાસીઓની જમીન મોટા પ્રમાણમાં જાય છે, આદિવાસીઓ અગાઉ 10 યોજનાઓમાં વિસ્થાપીત થઈને પોતાની જમીન પરથી મૂળ સાથે ઉખડી ગયા હતા. હવે ફરી એક વખત તેઓ મૂળ સાથે ઉખડવાના છે. જેમાં આદિવાસીઓને અગાઉના અનુભવ પ્રમાણે પાણી તો મળવાનું નથી.

પાણીની વહેંચણી
મહારાષ્ટ્ર ડીપીઆરની તૈયારી દરમિયાન હાથ ધરવામાં આવેલા પ્રોજેક્ટના પાણીની ઉપલબ્ધતા અભ્યાસને બંને રાજ્યોએ સ્વીકાર્યો છે. ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે પાણી અને વીજળીની વહેંચણીનો મુદ્દો અંતિમ તબક્કામાં છે.

કચેરી
અધિક્ષક ઇજનેર, રાષ્ટ્રીય જળ વિકાસ, એજન્સી, ત્રીજો માળ, ઓમ પ્લાઝા બિલ્ડિંગ, ધરમપુર રોડ,
અબ્રામા, વલસાડ, ગુજરાત, પિન- ૩૯૬ ૦૦૨, ટેલિ-ફેક્સ નં. ૯૧-૨૬૩૨- ૨૨૬૦૬૭,
ઈ-મેઇલ: nwdavalsad03@rediffmail.com

સામાજિક-આર્થિક સર્વેક્ષણ
પાર-તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટ દક્ષિણ ગુજરાત અને પડોશી મહારાષ્ટ્રના પશ્ચિમ વહેતા પાર, ઔરંગા, અંબિકા અને પૂર્ણા નદીના તટ પ્રદેશોના વધારાના પાણીને સિંચાઈ સુવિધાઓ પૂરી પાડવા માટે આયોજન કરવામાં આવ્યું છે. લિંક કેનાલની જમણી બાજુએ આદિવાસી વિસ્તારો; ગુજરાતના ડાંગ અને વલસાડ અને મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના આદિવાસી બહુમતી ધરાવતા જિલ્લાઓ; ગુજરાત સરકાર દ્વારા તેના માર્ગમાં સિંચાઈ અને પીવાના હેતુઓ માટે પાણીની માંગને પૂર્ણ કરવા માટે તેના પ્રારંભિક પહોંચમાં પાંચ પ્રોજેક્ટનો કમાન્ડ વિસ્તાર; અને નર્મદા કેનાલ સિસ્ટમની હાલની મિયાગામ શાખા નહેરના ભાગ કમાન્ડ વિસ્તારને આવરી લે છે.

સરદાર સરોવરમાં નર્મદાના પાણીનો ઉપયોગ સિંચાઈ સુવિધા પૂરી પાડવા માટે કરવામાં આવશે: છોટાઉદેપુર જિલ્લાના નસવાડી, કવાંટ, સંખેડા, જેતપુર પાવી, છોટાઉદેપુર તાલુકા અને પંચમહાલ જિલ્લાના હાલોલ, ઘોઘંબા અને કાલોલ તાલુકાના આદિવાસી વિસ્તારોમાં અવેજી ધોરણે નર્મદા મુખ્ય નહેરમાંથી સીધા લિફ્ટ દ્વારા; અને ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં નર્મદા નહેર પ્રણાલી દ્વારા સિંચાઈ, ઘરગથ્થુ અને અન્ય જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે અવેજી ધોરણે પાણી પુરું પાડવામાં આવશે. આ ઉપરાંત, પ્રોજેક્ટની આસપાસ આવતા તમામ શક્ય પંચાયત/ગામના તળાવો ભરવામાં આવશે. આ પ્રોજેક્ટ આસપાસના આદિવાસી વસ્તીને પીવાનું પાણી પણ પૂરું પાડશે.

ઝેરી, પાઈખેડ, ચાસમાંડવા, ચિક્કર, દાબદર અને કેળવાન જળાશયોના નિર્માણથી આસપાસના ભૂગર્ભજળની સ્થિતિમાં સુધારો થવાની અપેક્ષા છે. આ જળાશયોને પ્રવાસન સ્થળો તરીકે પણ વિકસાવવામાં આવી શકે છે. જળાશયો માછલી જેવા જળચર જીવોના વિકાસમાં વધારો કરશે જેનાથી માછીમારી ઉત્પાદનમાં અનેકગણો વધારો થવાની અપેક્ષા છે કારણ કે ઉત્પાદક માનવામાં આવતી જળાશય માછીમારી હાલની નદીની માછીમારીને બદલે છે.

જળાશયોમાં મીઠા પાણીના ઝીંગા અને સ્થળાંતરિત માછલીઓનો ઉછેર થઈ શકે છે. જળાશયોના જળકાંઠાને કારણે સ્થાનિક અને સ્થળાંતરિત પક્ષીઓની સંખ્યામાં વધારો થશે. આ ઉપરાંત, આ પ્રોજેક્ટ બાંધકામ અને સંચાલન તબક્કા દરમિયાન સ્થાનિક લોકોને રોજગારીની વિશાળ તકો ઉભી કરશે.

બંધ ક્યાં બનશે?
પાર નદીની પેલે પાર પ્રસ્તાવિત ઝેરી જળાશય મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના પીંટ તાલુકાના ઝેરી ગામ નજીક સ્થિત છે. ઝેરી જળાશયનો ડૂબતો વિસ્તાર મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના સુરગાણા અને પીંટ તાલુકામાં આવેલો છે.

પાઈખેડ જળાશય ગુજરાતના વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના પાઈખેડ ગામ નજીક પાર નદીની મુખ્ય ઉપનદી નાર નદી પર પ્રસ્તાવિત છે. પાઈખેડ જળાશયનો ડૂબતો વિસ્તાર મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના સુરગાણા તાલુકા અને ગુજરાતમાં વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં આવેલો છે.

ગુજરાતના વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ચસમંડવા ગામ નજીક ઔરંગા નદીની ઉપનદી તાન નદી પર ચાસમાંડવા જળાશય પ્રસ્તાવિત છે. ચાસમાંડવા જળાશયનો ડૂબતો વિસ્તાર મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના સુરગાણા તાલુકા અને ગુજરાતમાં વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકા અને નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આવેલો છે.

ચિક્કર ગામ પાસે અંબિકા નદીની પેલે પાર ચિક્કાર જળાશય પ્રસ્તાવિત છે. ગુજરાતના ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં. ચિક્કર જળાશયનો સમગ્ર ડૂબ વિસ્તાર ગુજરાતમાં ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં છે.

દબદાર જળાશય કપરી નદીની ઉપનદીની પેલે પાર પ્રસ્તાવિત છે. ગુજરાતના ડાંગ જિલ્લાના આહવા તાલુકાના દાબદર ગામ પાસેની અંબિકા છે. જળાશયનો સમગ્ર ડૂબ વિસ્તાર છે.

કેલવણ જળાશય કેલવણ ગામ પાસે પૂર્ણા નદી અને ગુજરાતમાં ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં આવેલા કાકરડા છે. ગુજરાતના સુરત જિલ્લામાં મુખ્ય મથક. કેલવણ જળાશય છે.

અસરગ્રસ્ત ગામો
1030 ઘરના 5733 લોકો છે. અહીં 7443 હેક્ટર જમીન યોજનામાં જશે જેમાં 1155 ખેતીની જમીન, 6037 હેક્ટર જંગલ છે.

મહારાષ્ટ્રના ઝહેરી જળાશયથી ગામડાઓ આંશિક રીતે પ્રભાવિત થવાની સંભાવના છે.
1 ખિરડી સુરગાણા નાસિક
2 ખોકરવિહિર સુરગાણા
3 Kayare Peint નાસિક
4 ગંડોલ પેઇન્ટ નાસિક
5 મોધલ પડ સુરગણા
6 અંબે પદ સુરગણા

પાળખેડ જળાશય – ધરમપુર, વલસાડ
અહીં 1475 ઘરના 7350 લોકોનું સ્થળાંતર કરાશે. 5652 હેક્ટર જમીન સાથે ખેતીની 2326, જંગલની 3166 જમીન જવાની છે.
1 પાળખેડ
2 ગુંદીયા
3 ખડકી
4 માધુરી
5 ચવરા
6 ખાપટિયા
7 સંતવાંકલ
8 તુતારખેડ
9 કરંજુલ
10 રક્ષા
11 બેંડવલ

ચાસમાંડવા જળાશય, વલસાડ દ્વારા અસરગ્રસ્ત ગામો
2122 ઘરમાં રહેતાં 9702 લોકોનું સ્થળાંતર કરાશે. જેમાં 4650 હેક્ટર જમીન ખપી જવાની છે જેમાં 1720 ખેતીની જમીન અને 2820 હેક્ટર જંગલ જવાના છે.

1 ચાસમાંડવ
2 જુગીરી
3 ચોરવાણી વાંસદા
4 નિરપણ વાંસદા
5 નડાઘેરી ધરમપુર
6 માંધુ સુરગાણા નાસિક
7 રાગતવિહિર સુરગણા નાસિક

ચિક્કારથી અસરગ્રસ્ત ગામો જળાશય
અહીં 1299 ઘરમાં રહેતાં 7799 લોકોને ઘરબાર છોડવા પડશે. જેમની ખેતીની જમીન 5638 હેક્ટર, 4433 હેક્ટર જંગર મળીને 10540 હેક્ટર જમીન જતી રહેવાની છે.

1 ખિરડી આહવા ડાંગ
2 બરખાધીયા આહવા
3 બાજ આહવા ડાંગ
4 એન ભાસ

5 આહવા ડાંગ
6 સુસરડા
7 કુંડા
8 સાકરપાતલ
9 ખિરમાની
10 લહન દાબદાર (Lahan Dabdar)

દાબદાર જળાશયથી અસરગ્રસ્ત ગામડાઓમાં 1600 ઘરમાં રહેતાં 10661 લોકોને ઘર છોડી દેવા પડશે. 1638 હેક્ટર ખેતીની જમીન, 4549 જંગલની જમીન મળીને કુલ 6615 હેક્ટર જમીન જશે.

1 ગીરા આહવા
2 કુડકાસ આહવા
3 કુકડનાખી આહવા
4 ચિચીગાંઠા આહવા
5 ધાધરા આહવા
6 ભવાડી આહવા
7 પિંપરી આહવા
8 દબદાર આહવા
9 ઘોડી આહવા
10 ખોડલપાડા આહવા
11 માલિન આહવા ડાંગ

કેલવણ જળાશયથી અસરગ્રસ્ત ગામડાઓ
– આહવા ડાંગમાં 2220 ઘરના 12 હજાર લોકોએ ઘર છોડી દેવા પડશે. જેમણે 2485 હેક્ટર જમીન ખેતીની અને 6365 જંગલની જમીન મળીને 9832 હેક્ટર જમીન પ્રોજેક્ટમાં જવાની છે.
1 કાકરડા
2 ભોંગદ્યા
3 એન્જીનપાડા
4 ટેકપાડા
5 પાટલી
6 વાંકણ
7 ખોપરી
8 ભુજડ
9 કાલિબેલ
10 ગોદડીયા
11 પંઢર્મલ
12 ભાલખેત
13 માસલી
14 ખાટલ
15 દિવદયાવન
16 ચિક્કાર
17 ચીખલા

આ પણ વાંચો:

Ahmedabad: ચાચા નહેરુ બાલવાટિકાનું નામ ભાજપે હટાવ્યું, સત્તાના નશામાં નિમ્ન સ્તરની રાજનીતિ, જાણો

Sabarkantha: ઈડરિયા ગઢની રૂઠી રાણીના માળિયા પર જોખમી સેલ્ફીઓ, મોટી દુર્ઘટનાને આમંત્રણ

Bihar: સરકારની બેદરકારીનો ઉત્તમ નમૂનો, 1200 કરોડના નિર્માણાધીન પુલનો ભાગ ધરાશાયી, શ્રમિકો દટાયાની આશંકા

બિહારમાં આકાશી વીજળીનો કહેર, મંદિરનું શિખર ચીરી નાખ્યું, 22 લોકોના મોત | Bihar

UP: દુકાનનું શટર ખોલી હિંદુ છોકરીને લઈ મુસ્લીમ યુવક ઘૂસ્યો, લોકોએ જોતાં જ હોશ ઉડી ગયા, પછી છોકરીએ શું કર્યું?

UP: દગાબાજ પત્નીનો પીછો કરી પતિ હોટલ પહોંચ્યો, નગ્ન હાલતમાં પ્રેમી ભાગ્યો, પછી પત્નીએ જે કર્યું તે જાણી દંગ રહી જશો?

Related Posts

જનતાનો વિજય તો પરાજય કોનો? સ્થાનિક સરકારોની ચૂંટણી વિશ્લેષણ
  • April 28, 2026

The Gujarat Report | ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપના વિજય અંગેનું વિસ્તૃત વિશ્લેષણ કરી રહ્યાં છે પત્રકાર જીતુભાઈ મહેતા તેમજ દિલીપભાઈ પટેલ. જેમાં મહત્વનો મુદ્દો એ છે કે અંબાજી, ડાકોર,…

Continue reading
Election: રાજ્યમાં 70 સ્થળે મતદાનનો જનતામાં વિરોધ:310 બૂથમાં મતદાનનો બહિષ્કાર
  • April 27, 2026

Election: 724 બેઠક બિનહરીફ કરીને 15 લાખ મતદારોના અધિકાર છીનવી દીધા હતા 4 કરોડ મતદારોમાંથી સરેરાશ 50 ટકા મતદાન ગણતાં 2 કરોડ મતદારોએ મતદાન નહીં કરીને આડકતરો વિરોધ કર્યો હતો.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Rahul Gandhi: રાહુલ ગાંધીનો ભાજપ પર ગંભીર આરોપ, કહ્યું- “દરેક છઠ્ઠો BJP સાંસદ વોટ ચોરીથી જીત્યો, નિષ્પક્ષ ચૂંટણીમાં 140 બેઠકો પણ નહીં મળે”

  • May 6, 2026
  • 3 views
Rahul Gandhi: રાહુલ ગાંધીનો ભાજપ પર ગંભીર આરોપ, કહ્યું- “દરેક છઠ્ઠો BJP સાંસદ વોટ ચોરીથી જીત્યો, નિષ્પક્ષ ચૂંટણીમાં 140 બેઠકો પણ નહીં મળે”

Porbandar Minor Boy Rape Case: પોરબંદરમાં 12 વર્ષના સગીર પર બાળકી સાથે દુષ્કર્મનો આરોપ, ઉદ્યોગનગર પોલીસે પોક્સો હેઠળ નોંધ્યો ગુનો

  • May 6, 2026
  • 4 views
Porbandar Minor Boy Rape Case: પોરબંદરમાં 12 વર્ષના સગીર પર બાળકી સાથે દુષ્કર્મનો આરોપ, ઉદ્યોગનગર પોલીસે પોક્સો હેઠળ નોંધ્યો ગુનો

Asaduddin Owaisi Election Reaction: મમતા અને સ્ટાલિનની હાર પર ઓવૈસીના ગંભીર સવાલ, કહ્યું- “જે બેઠકોમાં SIR થયું ત્યાં મુખ્યમંત્રીઓ જ હારી ગયા”

  • May 5, 2026
  • 9 views
Asaduddin Owaisi Election Reaction: મમતા અને સ્ટાલિનની હાર પર ઓવૈસીના ગંભીર સવાલ, કહ્યું- “જે બેઠકોમાં SIR થયું ત્યાં મુખ્યમંત્રીઓ જ હારી ગયા”

Gaurav Gogoi Congress: અસમ ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ ગૌરવ ગોગોઈએ સ્વીકારી જવાબદારી, કહ્યું- “પરિણામોની નૈતિક જવાબદારી મારી”

  • May 5, 2026
  • 7 views
Gaurav Gogoi Congress: અસમ ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ ગૌરવ ગોગોઈએ સ્વીકારી જવાબદારી, કહ્યું- “પરિણામોની નૈતિક જવાબદારી મારી”

Mamata Banerjee Press Conference: બંગાળ હાર બાદ મમતાનો મોટો હુમલો: “ચૂંટણી પંચ આ ચૂંટણીનો ખલનાયક”, ભાજપ પર ગુંડાગીરી અને દમનના આરોપ

  • May 5, 2026
  • 15 views
Mamata Banerjee Press Conference: બંગાળ હાર બાદ મમતાનો મોટો હુમલો: “ચૂંટણી પંચ આ ચૂંટણીનો ખલનાયક”, ભાજપ પર ગુંડાગીરી અને દમનના આરોપ

Rahul Gandhi on Bengal Election: પશ્ચિમ બંગાળ ચૂંટણી પરિણામો પર રાહુલ ગાંધીનો મોટો હુમલો, ‘જનાદેશની ચોરીથી લોકશાહી ખતરમાં’

  • May 5, 2026
  • 16 views
Rahul Gandhi on Bengal Election: પશ્ચિમ બંગાળ ચૂંટણી પરિણામો પર રાહુલ ગાંધીનો મોટો હુમલો, ‘જનાદેશની ચોરીથી લોકશાહી ખતરમાં’