Junagadh: માણાવદર રિવરફ્રન્ટનો મામલો ગરમાયો, અરવિંદ લાડાણીની ગોપાલ ઇટાલિયાને ‘મોરેમોરા’ આવી જવાની ચેલેન્જ!

Junagadh: જૂનાગઢના માણાવદર રિવરફ્રન્ટ પ્રોજેક્ટને લઈને ભાજપમાં આંતરિક વિવાદ સપાટી પર આવ્યો છે. માણાવદર વિધાનસભાના ઈન્ચાર્જ દિનેશ ખાટરિયાએ પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા અને AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સામે ગંભીર આક્ષેપો કર્યા છે. આમ હવે ભાજપના જ નેતાઓ એકબીજા સામે બંડ પોકારતા મામલો ગરમાયો છે.

દિનેશ ખાટરિયાના આક્ષેપો

દિનેશ ખાટરિયાએ આરોપ લગાવ્યો છે કે માણાવદર રિવરફ્રન્ટ પ્રોજેક્ટમાં પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાના ટેકેદારોએ નાણાંકીય ગેરરીતિઓ આચરી છે. તેમણે જણાવ્યું કે આ પ્રોજેક્ટમાં નાણાંનો દુરુપયોગ થયો છે, જેના કારણે રિવરફ્રન્ટનું કામ પૂર્ણ થયા બાદ પણ તે ખુલ્લું મૂકવામાં આવ્યું નથી અને ધૂળ ખાઈ રહ્યું છે. ખાટરિયાએ વધુમાં કહ્યું કે માણાવદર નગરપાલિકા આ રિવરફ્રન્ટનો કબજો લેવા તૈયાર છે, પરંતુ આનાથી સ્થાનિક લોકો પર આર્થિક બોજ વધશે. તેમણે AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને ટોણો મારતા કહ્યું કે, “માણાવદરની ચિંતા ન કરે, અહીંની ચિંતા કરવા માટે ધારાસભ્ય અરવિંદ લાડાણી છે.”

અરવિંદ લાડાણીએ શું કહ્યું ?

ભાજપ ધારાસભ્ય અરવિંદ લાડાણીએ આ મામલે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે, જેમાં તેમણે માણાવદર રિવરફ્રન્ટ માટે ગ્રાન્ટ ફાળવવાની માંગણી કરી છે. લાડાણીનું કહેવું છે કે જો નગરપાલિકાએ આ રિવરફ્રન્ટનો કબજો લેવો પડશે, તો તેનો ખર્ચ સ્થાનિક લોકો પર પડશે, જે ન્યાયી નથી. તેમણે રાજ્ય સરકાર પાસેથી નાણાંકીય સહાયની માંગ કરી છે, જેથી આ પ્રોજેક્ટ લોકો માટે ઉપયોગી બને. આ સાથે અરવિંદ લાડાણીએ ગોપાલ ઇટાલિયાને ‘મોરેમોરા’ આવી જવાની ચેલેન્જ પણ આપી છે તેમણે કહ્યું કે, એવું હશે તો મોરેમોરો પણ સામા આવવા તૈયાર છીએ.

રિવરફ્રન્ટની હાલની સ્થિતિ

માણાવદરના નવલાલા પુલથી બાંટવા રોડ સુધી ગુજરાત ટુરિઝમ વિભાગ દ્વારા રૂ. 20 કરોડના ખર્ચે રિવરફ્રન્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયો હોવા છતાં, કોઈ વહીવટી તંત્ર તેની જવાબદારી લેવા તૈયાર નથી, જેના કારણે રિવરફ્રન્ટ બંધ હાલતમાં છે અને તેની જાળવણી થઈ રહી નથી. આ સ્થિતિએ સ્થાનિક લોકોમાં નારાજગી ઉભી કરી છે, કારણ કે આ પ્રોજેક્ટનો હેતુ પર્યટન અને સ્થાનિક વિકાસને પ્રોત્સાહન આપવાનો હતો, પરંતુ તે હજુ અધૂરો લાગે છે.

ભાજપમાં આંતરિક વિખવાદ

આ ઘટના ભાજપની આંતરિક રાજકીય ખેંચતાણને ઉજાગર કરે છે. એક તરફ જવાહર ચાવડા, જેઓ પૂર્વ કેબિનેટ મંત્રી અને પાંચ વખતના ધારાસભ્ય રહ્યા છે, તેમની સામે પક્ષના જ નેતા દિનેશ ખાટરિયા અને અરવિંદ લાડાણીએ આક્ષેપો કર્યા છે. આ પહેલાં પણ ચાવડા અને લાડાણી વચ્ચે રાજકીય મતભેદો સામે આવ્યા છે, ખાસ કરીને 2024ની પેટાચૂંટણી દરમિયાન, જ્યાં લાડાણીએ ચાવડા પર ભાજપ વિરુદ્ધ કામ કરવાનો આરોપ લગાવ્યો હતો. હવે રિવરફ્રન્ટ મામલે દિનેશ ખાટરિયાના આક્ષેપોએ આ વિવાદને વધુ તીવ્ર બનાવ્યો છે.

જવાહર ચાવડા તરફથી કોઈ પ્રતિક્રિયા નહીં

દિનેશ ખાટરિયાના આક્ષેપોનો હજુ સુધી જવાહર ચાવડા તરફથી કોઈ જવાબ આવ્યો નથી, પરંતુ આ મામલો સ્થાનિક રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યો છે. ગોપાલ ઇટાલિયા, જેઓ AAPના વિસાવદર બેઠકના ધારાસભ્ય છે, તેમને આ વિવાદમાં ખેંચવામાં આવ્યા છે, જે ભાજપની આંતરિક લડાઈને વધુ હવા આપે છે. જો કે ગોપાલ ઇટાલિયાએ આ મુદ્દે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.

ભાજપમાં જુથવાદ કોને નળશે અને કોને ફળશે?

માણાવદર રિવરફ્રન્ટ મામલે ભાજપના આંતરિક વિવાદે પક્ષની એકતા પર સવાલો ઉભા કર્યા છે. જવાહર ચાવડા સામે દિનેશ ખાટરિયા અને અરવિંદ લાડાણીના આક્ષેપો એ દર્શાવે છે કે પક્ષમાં જૂથવાદ અને નેતાઓ વચ્ચેની ખેંચતાણ હજુ યથાવત છે. આ ઘટના નજીકના ભવિષ્યમાં જૂનાગઢ અને માણાવદરના રાજકારણમાં અસર કરી શકે છે, ખાસ કરીને જ્યારે સ્થાનિક ચૂંટણીઓ નજીક આવી રહી છે.

આ પણ વાંચો:

‘રસ્તા પર ખાડા પડે તો, ફોન ન કરવાના, પાવડો-તગારો, લઈ આવો અને જાતે પુરી દો : Kuber Dindor

Shibu Soren: ઝારખંડના પૂર્વ CM શિબુ સોરેનનું નિધન, લાંબા સમયથી બીમાર હતા

Dahod: અંધેરી નગરી ને ગંડુ રાજા જેવી સ્થિતિ! રસ્તો તો બની ગયો, પરંતુ તંત્ર વીજળીનો થાંભલો હટાવવાનું ભૂલી ગયું

Bihar Accident: બિહારમાં યાત્રાળુઓથી ભરેલી પિકઅપ વાન પલટી , 5 લોકોના મોત

Related Posts

Loss to farmers: ખેડૂતોને લૂંટવા નીકળી પડ્યા વચેટિયા! 3 રૂપિયે કિલો બટેટા ખરીદી ₹22માં કિલો વેચી રહયા છે!! આ ઉઘાડી લૂંટ માટે કોઈ કાયદો બનશે ખરો?
  • March 17, 2026

■ગુજરાતમાં બટાકાના ભાવ 60 ટકા ઘટી જતા રૂ.6500 કરોડનું ખેડૂતોને નુકસાન ■વધારે વાવેતર અને ખાડી યુદ્ધને લીધે નિકાસ અટકતા વચેટિયાઓને જલસો પડી ગયો છે. (દિલીપ પટેલ દ્વારા) અમદાવાદ, 17 માર્ચ…

Continue reading
ACB: ગુપ્તચર ખાતાના PI લાંચ લેતા ઝડપાયા! DYSP બને તે પહેલાંજ ‘ખેલ’ થઈ ગયો!! IBના અધિકારી ACBની જાળમાં ફસાયા!
  • March 15, 2026

ACB: સરકારી ખાતાઓમાં ઉંચા સરકારી પગાર અને પદ-પ્રતિષ્ઠા અને સગવડો મળતી હોવાછતાં કેટલાક એટલા બધા લોભિયા હોય છે કે પગારથી સંતોષ થતો નથી અને બે નંબરના પૈસા ક્યાંથી આવે તેમાં…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

  • March 18, 2026
  • 2 views
Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

  • March 18, 2026
  • 5 views
BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?

  • March 18, 2026
  • 4 views
NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?

PM Modi: બંગાળમાં ચૂંટણી જીતવા ગર્જના કરી રહેલા મોદી ‘સત્તા’ મળતા જ ગુજરાતને ભૂલી ગયા છે!

  • March 18, 2026
  • 6 views
PM Modi: બંગાળમાં ચૂંટણી જીતવા ગર્જના કરી રહેલા મોદી ‘સત્તા’ મળતા જ ગુજરાતને ભૂલી ગયા છે!

Loss To Farmers: ગુજરાતના ખેડૂતોને લાગ્યું યુદ્ધનું ગ્રહણ,બટાકાની નિકાસ નહિ થતાં રૂ.6500 કરોડનું નુકસાન

  • March 18, 2026
  • 6 views
Loss To Farmers: ગુજરાતના ખેડૂતોને લાગ્યું યુદ્ધનું ગ્રહણ,બટાકાની નિકાસ નહિ થતાં રૂ.6500 કરોડનું નુકસાન

Iran War Update: અલી લારીજાની બાદ હવે કોનો વારો ? ઇઝરાયલે કહ્યું, “અમે મોજતબાને પણ મારી નાખીશું!” નેતન્યાહુનો નવો વિડીયો જાહેર, ઈરાનીઓને કહ્યું “નવરોઝ મુબારક”

  • March 18, 2026
  • 6 views
Iran War Update: અલી લારીજાની બાદ હવે કોનો વારો ? ઇઝરાયલે કહ્યું, “અમે મોજતબાને પણ  મારી નાખીશું!” નેતન્યાહુનો નવો વિડીયો જાહેર, ઈરાનીઓને કહ્યું “નવરોઝ મુબારક”