Rajkot: સો. મીડિયા ઇન્ફ્લુએન્સર જન્નત મીરે ફિનાઇલ ગગટાવ્યું, નોટમાં લખ્યું મારી ભૂલ હતી એને પ્રેમ કર્યો, જાણો સમગ્ર ઘટના

Rajkot Jannat Mir  Suicide: રાજકોટના જંકશન વિસ્તારમાં રહેતી અને સોશિયલ મીડિયા પર પોતાના આકર્ષક વીડિયોથી લોકપ્રિય બનેલી ઇન્ફ્લુએન્સર જન્નત મીરના આત્મહત્યાના પ્રયાસે શહેરમાં સનસનાટી મચાવી દીધી છે. જન્નતે આત્મહત્યાનો પ્રયાસ કરતાં પહેલાં લખેલી સુસાઇડ નોટમાં કુખ્યાત ગુનેગાર ઇમ્તિયાઝ ઉર્ફે લાલો રાઉમા પર શારીરિક અને માનસિક ત્રાસ, હેરાનગતિ તેમજ જાનથી મારી નાખવાની ધમકીઓના ગંભીર આરોપો લગાવ્યા છે. આ ઘટનાને પગલે રાજકોટ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, અને આ મામલો હવે શહેરમાં ચર્ચાનો વિષય બની ગયો છે.

પ્રેમી ભયંકર ત્રાસ આપતો

મળતી માહિતી અનુસાર, જન્નત મીરે અગમ્ય કારણોસર ઝેરી ફિનાઇલ પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના બાદ તેને તાત્કાલિક રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી, જ્યાં તેની હાલત ગંભીર પરંતુ સ્થિર હોવાનું જણાવવામાં આવ્યું હતું. મોડી રાત્રે તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. પોલીસે જન્નતના નિવાસસ્થાનેથી એક સુસાઇડ નોટ જપ્ત કરી છે, જેમાં તેણે પોતાના આ ભયંકર પગલાનું કારણ સ્પષ્ટપણે જણાવ્યું છે. સુસાઇડ નોટમાં જન્નતે ઇમ્તિયાઝ રાઉમાના સતત ત્રાસ અને ધમકીઓથી કંટાળીને આ પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ કર્યો છે. ખાસ કરીને, તેણે લખ્યું છે કે ઇમ્તિયાઝે તેને “તોફાની રાધા”ની જેમ મારી નાખવાની ધમકી આપી હતી, જેનાથી તે ભયભીત થઈ ગઈ હતી.

જન્નતે મીડિયા સમક્ષ પોતાનું નિવેદન આપતાં જણાવ્યું હતું કે તેનો સંપર્ક ઇમ્તિયાઝ રાઉમા સાથે થોડા મહિનાઓ પહેલાં સાઉદી અરેબિયામાં હતી ત્યારે થયો હતો. શરૂઆતમાં તેને ઇમ્તિયાઝના હિંસક અને ગુનાહિત સ્વભાવની કોઈ જાણ ન હતી. જન્નતના જણાવ્યા મુજબ, ઇમ્તિયાઝે તેની સાથે વારંવાર મારપીટ કરી, માનસિક ત્રાસ આપ્યો અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી. તેણે વધુમાં આરોપ લગાવ્યો કે ઇમ્તિયાઝે તેનો કીમતી ફોન પણ પોતાની પાસે રાખી લીધો હતો અને તેને સતત ડરાવતો રહ્યો. જન્નતે જણાવ્યું કે ઇમ્તિયાઝે તેને કહ્યું હતું કે તેણે “તોફાની રાધા” નામની વ્યક્તિની હત્યા કરી હતી અને તે જન્નત સાથે પણ આવું જ કરશે. આ ધમકીઓએ જન્નતને એટલી હદે તોડી નાખી કે તેણે જીવનનો અંત લાવવાનો નિર્ણય લીધો.

જન્નતે એમ પણ જણાવ્યું કે તેણે આ મામલે પોલીસમાં અરજી કરી હતી, પરંતુ તે અરજી ગાયબ થઈ ગઈ, અને તેને સતત ધમકીઓ મળતી રહી. તેણે પોલીસ કમિશનર અને અન્ય અધિકારીઓને આ બાબતે જાણ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ઇમ્તિયાઝે તેને ધમકી આપી કે તે જેલમાંથી છૂટી ચૂક્યો છે અને વધુ જેલમાં જવાથી તેને કોઈ ફરક નહીં પડે. આ સતતના ત્રાસ અને નિરાશાએ જન્નતને આ પગલું ભરવા મજબૂર કરી.

આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજકોટ પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી છે. જન્નતની સુસાઇડ નોટને આધારે ઇમ્તિયાઝ રાઉમા વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે તેઓ આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છે, જેમાં જન્નતના આરોપોની સત્યતા, ઇમ્તિયાઝનો ગુનાહિત ઇતિહાસ અને તેના હેરાનગતિના કારણોની ચકાસણી કરવામાં આવશે. જોકે, હજુ સુધી ઇમ્તિયાઝનો કોઈ સંપર્ક થયો નથી, અને પોલીસ તેની શોધખોળ કરી રહી છે.

No description available.

No description available.

No description available.

 

આ પણ વાંચો:

Gujarat: રાજયમાં ભારેથી અતિભારે આગાહી, હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું

Astrology: ભારત, મોદી, ભાજપ અને કોંગ્રેસ પર ચંદ્ર ગ્રહણની શું અસર થશે? જાણો છો સંજય ચૌધરી પાસેથી

Vadodara: ઐતિહાસિક માંડવી દરવાજાની બગડતી સ્થિતિ, પિલરનો બીજો ભાગ તૂટ્યો, પાલિકાની બેદરકારી

Ahmedabad: સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા કેસમાં આરોપી વિદ્યાર્થી અને તેના સહયોગીની ધરપકડ, ભારે વિરોધ

MP: અર્ચના તિવારી તો મોટી ખેલાડી નીકળી, ટ્રેનમાંથી ગુમ થયા પછી નેપાળ ભાગી ગઈ, જાણો પછી શું થયું?

Delhi: 30 દિવસ માટે ધરપકડ થશે તો PM-CMનું પદ ગયુ સમજો, સરકારે ખરડો પસાર કર્યો, શું વિપક્ષને દબાવવાનું પગલુ?

Ahmedabad: ધો.8ના વિદ્યાર્થીએ ધો.10ના વિદ્યાર્થીની છરીના ઘા ઝીંકી હત્યા કરી નાખી, બાદમાં લોકોએ શિક્ષકોને ફટકાર્યા

 

Related Posts

Jungleshwar Demolition Food Bill: ૨૭ લાખનો નાસ્તો, શું રાજકોટ મનપાના અધિકારીઓ માટે જંગલેશ્વર ડિમોલિશન એક ‘પાર્ટી’ હતી?
  • June 26, 2026

Jungleshwar Demolition Food Bill: રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ગત ફેબ્રુઆરી મહિનામાં થયેલું મેગા ડિમોલિશન એક તરફ હજારો પરિવારો માટે તેમના જીવનનો સૌથી કાળો અધ્યાય બનીને રહ્યું, તો બીજી તરફ આ જ…

Continue reading
Gujarat Fake Blood Plasma Racket: ગુજરાતમાં નકલી બ્લડ પ્લાઝ્માના કરોડોના કથિત કારોબારનો પર્દાફાશ
  • June 26, 2026

Gujarat Fake Blood Plasma Racket: ગુજરાતમાંથી એક અત્યંત ચોંકાવનારી અને માનવતાને લાંછન લગાડે તેવી ઘટના સામે આવી છે, જ્યાં કૅન્સર અને હીમોફીલિયા જેવા જીવલેણ રોગોની સારવાર માટે વપરાતા ‘પીળા બ્લડ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP Brahmin Politics: ઉત્તર પ્રદેશમાં બદલાતા રાજકીય સમીકરણો, શું બ્રાહ્મણ વોટ બેંકમાં સેંધ મારી શકશે સમાજવાદી પાર્ટી?

  • June 28, 2026
  • 3 views
UP Brahmin Politics: ઉત્તર પ્રદેશમાં બદલાતા રાજકીય સમીકરણો, શું બ્રાહ્મણ વોટ બેંકમાં સેંધ મારી શકશે સમાજવાદી પાર્ટી?

Bet Dwarka Temple Treasure Controversy: આ કયો મોરલો કળા કરી જાય છે ભાઈ? રામ પછી હવે કાનુડાના ઘેર ધાડ!

  • June 28, 2026
  • 5 views
Bet Dwarka Temple Treasure Controversy: આ કયો મોરલો કળા કરી જાય છે ભાઈ? રામ પછી હવે કાનુડાના ઘેર ધાડ!

Ayodhya Ram Mandir Donation Theft: VHP-BJP-RSSનું મંદિર ષડયંત્ર, ડો. તોગડિયાને હટાવનારાનું ખરું સત્ય

  • June 28, 2026
  • 9 views
Ayodhya Ram Mandir Donation Theft: VHP-BJP-RSSનું મંદિર ષડયંત્ર, ડો. તોગડિયાને હટાવનારાનું ખરું સત્ય

Madras High Court: ઇસ્લામ ધર્મ અપનાવનારાઓને પછાત વર્ગનો દરજ્જો નહીં મળે – મદ્રાસ હાઈકોર્ટ

  • June 27, 2026
  • 6 views
Madras High Court: ઇસ્લામ ધર્મ અપનાવનારાઓને પછાત વર્ગનો દરજ્જો નહીં મળે – મદ્રાસ હાઈકોર્ટ

Venkat Narayana Appointment Controversy: વિજયની ફિલ્મના નિર્માતા વેંકટ નારાયણને દિલ્હીમાં તમિલનાડુના વિશેષ પ્રતિનિધિ બનાવાતા રાજકીય વિવાદ

  • June 27, 2026
  • 7 views
Venkat Narayana Appointment Controversy: વિજયની ફિલ્મના નિર્માતા વેંકટ નારાયણને દિલ્હીમાં તમિલનાડુના વિશેષ પ્રતિનિધિ બનાવાતા રાજકીય વિવાદ

Indian Visa Challenges: ભારતીયો માટે વિદેશી વિઝા મેળવવું કેમ બન્યું છે વધુ મુશ્કેલ? બદલાતી વૈશ્વિક ધારણા અને વધતી શંકા

  • June 27, 2026
  • 9 views
Indian Visa Challenges: ભારતીયો માટે વિદેશી વિઝા મેળવવું કેમ બન્યું છે વધુ મુશ્કેલ? બદલાતી વૈશ્વિક ધારણા અને વધતી શંકા