Ahmedabad: ભ્રષ્ટાચારના પ્રતિકનું પતન, ખોખરા બ્રિજ તોડવાનું શરું, જુઓ

Ahmedabad Khokhara Bridge Demolition: અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલો અને લાંબા સમયથી વિવાદનું કેન્દ્ર રહેલો ખોખરા બ્રિજ આખરે તોડવાનું શરુ કરાયું છે. આજથી એટલે કે 21 ઓગસ્ટ 2025થી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આ બ્રિજને તબક્કાવાર તોડવાની કામગીરીની શરૂઆત કરવામાં આવી છે.   42 કરોડના ખર્ચે બનેલા આ બ્રિજ તોડવા માટે 8 કરોડનો ખર્ચ થશે તેવો અંદાજ છે. હાલ આ પ્રોજેક્ટ માટે રૂ. 4 કરોડના ખર્ચને મંજૂરી આપવામાં આવી છે, અને આગામી છ મહિનામાં આ બ્રિજ સંપૂર્ણ રીતે તૂટી જશે એવી અપેક્ષા છે. આ કામગીરી ખોખરા તરફના છેડાથી શરૂ કરવામાં આવી છે, જેમાં સૌપ્રથમ બ્રિજના ઉપરના ભાગનો ડામર રોડ તોડવાનું કામ હાથ ધરાયું છે. ત્યારે સવાલ એ થાય છે ભાજપના રાજમાં આટલો બધો ભ્રષ્ટાચાર કેમ છે. 42 કરોડના ખર્ચે બનેલા બ્રિજને તોડવાની નોબત કેમ આવી?

બ્રિજ તૂટવાથી લોકોને હાલાકી

ખોખરા બ્રિજ એ અમદાવાદના પૂર્વ વિસ્તારનું એક મહત્વનું જોડાણ છે, જે ખોખરા અને હાટકેશ્વર સહિત આજુબાજુના વિસ્તારોને શહેરના અન્ય ભાગો સાથે જોડે છે. જોકે, આ બ્રિજ લાંબા સમયથી તેની બાંધકામ ગુણવત્તા, જાળવણીના અભાવ અને સલામતીના મુદ્દાઓને લઈને ચર્ચામાં રહ્યો છે. બ્રિજના બગડેલા ભાગો અને વારંવાર થતી ટ્રાફિક સમસ્યાઓએ નાગરિકો અને સ્થાનિક વહીવટને આ બ્રિજને તોડીને નવું બાંધવાનો નિર્ણય લેવા મજબૂર કર્યા છે. આ નિર્ણયને લઈને નાગરિકોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે, જ્યાં કેટલાક લોકો નવા બ્રિજની આશા રાખે છે, તો કેટલાકને તોડકામ દરમિયાન થનારી અસુવિધાની ચિંતા છે.

AMCના બ્રિજ પ્રોજેક્ટ વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર બ્રિજને તોડવા માટે IIT ગાંધીનગર દ્વારા એક વિશેષ ડિઝાઇન પ્રપોઝલ તૈયાર કરવામાં આવી હતી. આ પ્રપોઝલના આધારે, બ્રિજના તોડકામની શરૂઆત ખોખરા તરફના છેડાથી કરવામાં આવી છે. પ્રથમ તબક્કામાં બ્રિજના ઉપરના ભાગે આવેલો ડામર રોડ JCB મશીનરીની મદદથી તોડવામાં આવી રહ્યો છે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, બ્રિજની બાજુઓનું તોડકામ શરૂ કરવામાં આવશે.

આ દરમિયાન, કાટમાળ અને ધૂળને નિયંત્રણમાં રાખવા માટે બ્રિજની આજુબાજુ ઊંચા પતરા અને ગ્રીન નેટ લગાવવામાં આવશે. આ વ્યવસ્થા ખાસ કરીને એ સુનિશ્ચિત કરશે કે બ્રિજનો કાટમાળ નીચેના રસ્તાઓ પર ન પડે અને ધૂળની સમસ્યા ઓછી થાય. બ્રિજના બંને તરફના સર્વિસ રોડને બંધ કરવા કે ખુલ્લા રાખવા અંગેનો નિર્ણય બાજુઓનું તોડકામ શરૂ થશે ત્યારે લેવામાં આવશે. જોકે, ટુ-વ્હીલર અને રાહદારીઓ માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવશે, જેથી તેઓ આવાગમન ચાલુ રાખી શકે.

આ બ્રિજને તોડવાનો કુલ ખર્ચ રૂ. 8 કરોડનો અંદાજવામાં આવ્યો છે, પરંતુ તોડકામ દરમિયાન નીકળતી રો-મટિરિયલ અને અન્ય વસ્તુઓ કોન્ટ્રાક્ટર કંપની ‘શ્રીગણેશ કન્સ્ટ્રકશન’ દ્વારા લઈ જવામાં આવશે. આના કારણે AMCને માત્ર રૂ. 4 કરોડનો ખર્ચ થશે. ‘શ્રીગણેશ કન્સ્ટ્રકશન’ને આ પ્રોજેક્ટ માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, અને તેમના દ્વારા તમામ જરૂરી મશીનરી પહેલેથી જ ઉતારી દેવામાં આવી છે. AMCના અધિકારીઓનું કહેવું છે કે આ પ્રોજેક્ટ આગામી છ મહિનામાં એટલે કે ફેબ્રુઆરી 2026 સુધીમાં, પૂર્ણ થઈ જશે.

AMCએ નાગરિકોને ઓછામાં ઓછી અસુવિધા થાય તે માટે ખાસ વ્યવસ્થાઓનું આયોજન કર્યું છે. બ્રિજની આજુબાજુ ગ્રીન નેટ અને પતરાઓ લગાવવાથી ધૂળ અને કાટમાળની સમસ્યા નિયંત્રણમાં રહેશે. ટુ-વ્હીલર અને રાહદારીઓ માટે બ્રિજની આજુબાજુના રસ્તાઓ ખુલ્લા રાખવામાં આવશે, જેથી સ્થાનિક લોકોનું રોજિંદું જીવન ખોરંભે ન પડે. જોકે, તોડકામના અગાઉના તબક્કાઓ દરમિયાન ટ્રાફિકમાં થોડી અસુવિધા થવાની શક્યતા છે.

આ પણ વાંચો:

Rajkot: સો. મીડિયા ઇન્ફ્લુએન્સર જન્નત મીરે ફિનાઇલ ગગટાવ્યું, નોટમાં લખ્યું મારી ભૂલ હતી એને પ્રેમ કર્યો, જાણો સમગ્ર ઘટના

Gujarat: રાજયમાં ભારેથી અતિભારે આગાહી, હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું

Astrology: ભારત, મોદી, ભાજપ અને કોંગ્રેસ પર ચંદ્ર ગ્રહણની શું અસર થશે? જાણો છો સંજય ચૌધરી પાસેથી

Vadodara: ઐતિહાસિક માંડવી દરવાજાની બગડતી સ્થિતિ, પિલરનો બીજો ભાગ તૂટ્યો, પાલિકાની બેદરકારી

Ahmedabad: સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા કેસમાં આરોપી વિદ્યાર્થી અને તેના સહયોગીની ધરપકડ, ભારે વિરોધ

MP: અર્ચના તિવારી તો મોટી ખેલાડી નીકળી, ટ્રેનમાંથી ગુમ થયા પછી નેપાળ ભાગી ગઈ, જાણો પછી શું થયું?

Delhi: 30 દિવસ માટે ધરપકડ થશે તો PM-CMનું પદ ગયુ સમજો, સરકારે ખરડો પસાર કર્યો, શું વિપક્ષને દબાવવાનું પગલુ?

Ahmedabad: ધો.8ના વિદ્યાર્થીએ ધો.10ના વિદ્યાર્થીની છરીના ઘા ઝીંકી હત્યા કરી નાખી, બાદમાં લોકોએ શિક્ષકોને ફટકાર્યા

 

Related Posts

Russia India Oil: “બધા દેશો ઘૂંટણિયે નથી પડતા”, ભારત પરના અમેરિકી દબાણ સામે રશિયન વિદેશ મંત્રીની ગર્જના
  • May 13, 2026

Russia India Oil: રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે ઉર્જા ખરીદીના મુદ્દે ભારત પર દબાણ લાવવાના અમેરિકા અને પશ્ચિમી દેશોના પ્રયાસોની આકરી ટીકા કરી છે. મોસ્કોમાં RT ઈન્ડિયાને આપેલા એક વિશેષ…

Continue reading
Mahuva Fake Mawa Raid: મહુવામાં ‘મોત’નો સામાન વેચતી ૪ ડેરીઓ ઝડપાઈ, ૧૧૮૯ કિલો અખાદ્ય માવો જમીનમાં દાટી દેવાયો!
  • May 13, 2026

Mahuva Fake Mawa Raid: ભાવનગર જિલ્લામાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા તત્વો સામે તંત્ર હવે સખત મૂડમાં જોવા મળી રહ્યું છે. સામાન્ય રીતે આરોગ્ય વિભાગ દ્વારા જ ખાદ્ય પદાર્થોનું ચેકિંગ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Udhayanidhi Stalin Sanatan Dharma: “રાવણ અને હિરણ્યકશ્યપના વંશજ”, બ્રિજભૂષણ શરણ સિંહનો ઉદયનિધિ સ્ટાલિન પર વળતો પ્રહાર

  • May 13, 2026
  • 3 views
Udhayanidhi Stalin Sanatan Dharma: “રાવણ અને હિરણ્યકશ્યપના વંશજ”, બ્રિજભૂષણ શરણ સિંહનો ઉદયનિધિ સ્ટાલિન પર વળતો પ્રહાર

Congress Attacks BJP RSS: ‘RSS નો પાકિસ્તાન પ્રેમ ફરી સામે આવ્યો’, દત્તાત્રેય હોસબોલેના નિવેદન પર કોંગ્રેસનો ભાજપ-આરએસએસ પર આકરો પ્રહાર

  • May 13, 2026
  • 6 views
Congress Attacks BJP RSS: ‘RSS નો પાકિસ્તાન પ્રેમ ફરી સામે આવ્યો’, દત્તાત્રેય હોસબોલેના નિવેદન પર કોંગ્રેસનો ભાજપ-આરએસએસ પર આકરો પ્રહાર

Arvind Kejriwal: ‘બાંગ્લાદેશ-નેપાળના Gen-Z સરકાર બદલી શકે, તો ભારતના યુવાનો પેપર લીક માફિયાને જેલ કેમ નહીં મોકલે?’ : કેજરીવાલ

  • May 13, 2026
  • 7 views
Arvind Kejriwal: ‘બાંગ્લાદેશ-નેપાળના Gen-Z સરકાર બદલી શકે, તો ભારતના યુવાનો પેપર લીક માફિયાને જેલ કેમ નહીં મોકલે?’ : કેજરીવાલ

Russia India Oil: “બધા દેશો ઘૂંટણિયે નથી પડતા”, ભારત પરના અમેરિકી દબાણ સામે રશિયન વિદેશ મંત્રીની ગર્જના

  • May 13, 2026
  • 4 views
Russia India Oil: “બધા દેશો ઘૂંટણિયે નથી પડતા”, ભારત પરના અમેરિકી દબાણ સામે રશિયન વિદેશ મંત્રીની ગર્જના

Mahuva Fake Mawa Raid: મહુવામાં ‘મોત’નો સામાન વેચતી ૪ ડેરીઓ ઝડપાઈ, ૧૧૮૯ કિલો અખાદ્ય માવો જમીનમાં દાટી દેવાયો!

  • May 13, 2026
  • 10 views
Mahuva Fake Mawa Raid: મહુવામાં ‘મોત’નો સામાન વેચતી ૪ ડેરીઓ ઝડપાઈ, ૧૧૮૯ કિલો અખાદ્ય માવો જમીનમાં દાટી દેવાયો!

Asaduddin Owaisi: ઓવૈસીનો મોદી સરકાર પર હુમલો, પેટ્રોલ-ડીઝલના ભાવવધારા માટે દેશભક્તિનો સહારો લેવાનો આરોપ

  • May 13, 2026
  • 14 views
Asaduddin Owaisi: ઓવૈસીનો મોદી સરકાર પર હુમલો, પેટ્રોલ-ડીઝલના ભાવવધારા માટે દેશભક્તિનો સહારો લેવાનો આરોપ