ભાજપ સાંસદે સોનમ વાંગચૂકને 1 કરોડનો એવોર્ડ આપ્યો હતો, તો હવે કેમ વિરોધ? | Sonam Wangchuk

  • India
  • October 1, 2025
  • 0 Comments

Sonam Wangchuk: ખુદ ભાજપ સાંસદે સોનમ વાંગચુકને 1 કરોડના આપેલા એવોર્ડ બાદ પાર્ટી તેમનો ભારે વિરોધ કરી છે. વર્ષ 2023માં તેમને ભાજપ સાંસદ ગોવિંદ ધોળકિયાએ એવોર્ડ આપ્યો હતો. જો કે તેમનો હવે ભાજપ જ વિરોધ કરી રહી છે. તેમને જેલમાં નાખ્યા છે.

સોનમ વાંગચુક, જે લદાખના જાણીતા અભિયાનકર્તા અને વિદ્યાર્થીઓના શિક્ષક છે, તેઓ 2021થી લદાખ માટે રાજ્યની સ્થિતિ અને છઠ્ઠા અનુસૂચિ હેઠળ બંધારણીય સુરક્ષા મેળવવાની માંગ કરી રહ્યા છે. આ માંગો વિરુદ્ધ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સરકારનો વિરોધ તાજેતરમાં વધુ તીવ્ર બન્યો છે, કારણ કે 25 સપ્ટેમ્બર 2025ના રોજ લેહમાં આંદોલન હિંસક બન્યું, જેમાં 4 લોકોના મોત થયા અને ભાજપનું કાર્યાલયને સળગાવી દેવાયું. આગલા દિવસે,26 સપ્ટેમ્બરે વાંગચુકને રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ (એનએસએ) હેઠળ ધરપકડ કરવામાં આવી. અને ત્યારબાદ તેમને રાજસ્થાનના જોધપુર સેન્ટ્રલ જેલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા.

ભાજપના વાંગચૂક પર આરોપ

ભાજપ અને કેન્દ્ર સરકારનો દાવો છે કે વાંગચુકે તેમના સમાજોમાં નેપાળ અને બાંગ્લાદેશ જેવા હિંસક આંદોલનોના ઉલ્લેખ કરીને હિંસા ભડકાવી. ગૃહ મંત્રાલયે કહ્યું કે તેમના ભાષણોને કારણે યુવાનોમાં ગુસ્સો ફાટ્યો, જેના પરિણામે હિંસા થઈ. વધુમાં ભાજપ નેતાઓએ વાંચુક પર બાહ્ય શક્તિઓ (જેમ કે ચીન)ના પ્રભાવ હેઠળ આવવાનો આરોપ લગાવ્યો છે. ઉદાહરણ તરીકે, એક ભાજપ નેતાએ કહ્યું કે “આવા આંદોલનો પાછળ કોણ છે, વાંગચુકને બાહ્ય શક્તિઓએ પ્રભાવિત કર્યા છે કે નહીં તેની તપાસ થવી જોઈએ.”

લેહ-લદ્દાખના લોકોને શું છે ડર?

આ વિરોધના મુખ્ય કારણોમાં લદાખની સ્વાયત્તતા અને કેન્દ્રીય નિયંત્રણ વચ્ચેનો તણાવ છે. ભાજપ સરકાર 2019માં આર્ટિકલ 370 રદ કરીને જમ્મુ-કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવ્યા. જેનાથી લદાખના લોકોને પોતાના અધિકારો ગુમાવવાનો ડર લાગ્યો છે. વાંગચુકને ધરપકડ કરવીને ઘણા વિરોધીઓ અને સમર્થકો લોકશાહી પર હુમલો માને છે, જેમાં ભાજપ આંદોલનને દબાવવા માટે કઠોર કાયદાઓનો ઉપયોગ કરી રહી છે.

ભાજપ સાંસદે જ આપ્યો હતો વાંગચૂકને એવોર્ડ

10 એપ્રિલ, 2023માં લદ્દાખની હોટેલ ઝેન ખાતે સોનમ વાંગચુકને પ્રતિષ્ઠિત સંતોકબા માનવતાવાદી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સંતોકબા માનવતાવાદી પુરસ્કાર હેઠળ 1 કરોડ રૂપિયાનું રોકડ પુરસ્કાર સામેલ હતો. તે SRK અને SRKKF ના સ્થાપક અધ્યક્ષ અને ભાજપ રાજ્ય સભા સાંસદ ગોવિંદ ધોળકિયાના માતા સ્વ. સંતોકબા ધોળકિયાના માનમાં બનાવવામાં આવ્યો હતો.

આ પણ વાંચો:

લેહની હિંસા માટે જવાબદાર ઠેરવી સામાજીક કાર્યકર સોનમ વાંગચુકની ધરપકડ

Sonam Wangchuk: સરકાર સામે અવાજ ઉઠાવવાની ભારે કિંમત ચૂકવવી પડી! સરકારે સોનમ વાંગચુકની સંસ્થા પાસેથી જમીન છીનવી લીધી

Bihar: ‘મુદિયા કે માઈ કો ગાલી દિયા હૈ, યહી ઝંડે સે મારેગે ભાજપાવાલો કો’, ભાજપનો પડ્યો ઉલટો દાવ

‘સસ્પેન્ડ કરો સસ્પેન્ડ કરો’, નવસારી DySPએ બજરંગ દળના કાર્યકરોના જબરજસ્તી તિલક ભૂંસી નાખતાં ભારે વિરોધ | Navsari

‘મોદી સરકાર માફી માગે’, લદ્દાખના લોકોને ‘રાષ્ટ્રવિરોધી’ કહેતા તણાવ વકર્યો | Leh-Ladakh | Modi government

  • Related Posts

    Congress Attack On Pm Modi: શુભેન્દુ અધિકારીના શપથ બાદ કોંગ્રેસનો વીડિયો હુમલો, PM મોદીના જૂના નિવેદનને લઈને BJP પર સાધ્યું નિશાન
    • May 9, 2026

    Congress Attack On Pm Modi: પશ્ચિમ બંગાળના રાજકીય ઇતિહાસમાં શનિવારનો દિવસ એક નવી ગાથા લઈને આવ્યો. ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા શુભેન્દુ અધિકારીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા…

    Continue reading
    Arvind Kejriwal: ‘મોદી રાજમાંથી મુક્તિ અપાવશે પંજાબ’, કેજરીવાલે PM મોદીની ઔરંગઝેબ સાથે કરી તુલના
    • May 9, 2026

    Arvind Kejriwal: બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના પ્રભાવશાળી પ્રદર્શન બાદ હવે પક્ષની નજર પંજાબ પર ટકી છે. રાજકીય વિશ્લેષકો માને છે કે ભાજપ હવે પંજાબમાં પોતાની પૂરી તાકાત લગાવવા…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Congress Attack On Pm Modi: શુભેન્દુ અધિકારીના શપથ બાદ કોંગ્રેસનો વીડિયો હુમલો, PM મોદીના જૂના નિવેદનને લઈને BJP પર સાધ્યું નિશાન

    • May 9, 2026
    • 3 views
    Congress Attack On Pm Modi: શુભેન્દુ અધિકારીના શપથ બાદ કોંગ્રેસનો વીડિયો હુમલો, PM મોદીના જૂના નિવેદનને લઈને BJP પર સાધ્યું નિશાન

    Arvind Kejriwal: ‘મોદી રાજમાંથી મુક્તિ અપાવશે પંજાબ’, કેજરીવાલે PM મોદીની ઔરંગઝેબ સાથે કરી તુલના

    • May 9, 2026
    • 4 views
    Arvind Kejriwal: ‘મોદી રાજમાંથી મુક્તિ અપાવશે પંજાબ’, કેજરીવાલે PM મોદીની ઔરંગઝેબ સાથે કરી તુલના

    Sabarmati Jail Sewage Water Farming: સાબરમતી જેલના ‘ઝેરી’ શાકભાજી? ગટરના પાણીથી થતી ખેતીનો પર્દાફાશ!

    • May 9, 2026
    • 9 views
    Sabarmati Jail Sewage Water Farming: સાબરમતી જેલના ‘ઝેરી’ શાકભાજી? ગટરના પાણીથી થતી ખેતીનો પર્દાફાશ!

    Abhishek Banerjee: શુભેન્દુ અધિકારી CM બનતા અભિષેક બેનર્જીનો ભાજપ પર પ્રહાર, ચૂંટણી પ્રક્રિયા અને એજન્સીઓની ભૂમિકા પર ઉઠાવ્યા સવાલ

    • May 9, 2026
    • 9 views
    Abhishek Banerjee: શુભેન્દુ અધિકારી CM બનતા અભિષેક બેનર્જીનો ભાજપ પર પ્રહાર, ચૂંટણી પ્રક્રિયા અને એજન્સીઓની ભૂમિકા પર ઉઠાવ્યા સવાલ

    Gujarat 50 lakh houses promise: નરેન્દ્ર મોદીના ગુજરાત ચૂંટણી ૨૦૧૨ના વચનોનું સરવૈયું, કેટલા મકાનો મળ્યા?

    • May 9, 2026
    • 8 views
    Gujarat 50 lakh houses promise: નરેન્દ્ર મોદીના ગુજરાત ચૂંટણી ૨૦૧૨ના વચનોનું સરવૈયું, કેટલા મકાનો મળ્યા?

    Palanpur Haridwar Fraud Case: પાલનપુરમાં ‘ચાલો હરિદ્વાર’ના નામે મોટું કૌભાંડ, ઠગબાજોએ લોકોની આસ્થાને બનાવી કમાણીનું સાધન

    • May 9, 2026
    • 6 views
    Palanpur Haridwar Fraud Case: પાલનપુરમાં ‘ચાલો હરિદ્વાર’ના નામે મોટું કૌભાંડ, ઠગબાજોએ લોકોની આસ્થાને બનાવી કમાણીનું સાધન