BJP-NDA ના ઇશારે કામ કરતા ચૂંટણી પંચનું તાત્કાલિક વિસર્જન કરી SIR રદ કરવા ઉઠી માંગ!, ચેન્નાઈથી લોકશાહી બચાવવા શરૂ થઈ ઝુંબેશ

  • India
  • October 27, 2025
  • 0 Comments

આજે ભારતીય ચૂંટણી પંચ દ્વારા દેશભરમાં SIRની તારીખોનું એલાન થવા જઈ રહ્યું છે અને સાંજના એક પત્રકાર પરિષદનું આયોજન પણ કરાયું છે પણ આ જાહેરાતની પૂર્વ સંદયાએ ચેન્નાઈમાં દેશના વરિષ્ઠ નાગરિકો,ચિંતકોની આગેવાનીમાં મળેલા સંમેલનમાં SIR ને એકસુરે વખોડી કાઢી તેનો વિરોધ કર્યો છે અને તાત્કાલિક રદ કરવા માંગણી કરી છે. સાથે જ ભાજપના ઈશારે કામ કરતા ભારતના ચૂંટણી પંચનું વિસર્જન કરવા માંગ ઉઠી છે આ જન આંદોલનને દેશના ખૂણે ખૂણે લઈ જવા આહવાન કરાયું છે આ એક ચિનગારી છે જે ચેન્નાઈથી ઉઠી છે જેને સમગ્ર દેશમાં ફેલાવી દેવા દેશના જાગૃત નાગરિકોને અપીલ કરવામાં આવી છે.

લોકશાહી શાસન અને નાગરિકોના અધિકારો પર ચેન્નાઈમાં શનિવારે મળેલા રાષ્ટ્રીય સંમેલનમાં દેશના વરિષ્ઠ બુદ્ધિજીવી વર્ગના અગ્રણીઓ અને ચિંતકો હાજર રહયા જેઓએ એકસૂરે મતદાર યાદીઓના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ને તાત્કાલિક રદ કરવાની માંગ કરી હતી અને કેન્દ્રમાં શાસક ભાજપની આગેવાની હેઠળના NDA ના ઇશારે ભારતના ચૂંટણી પંચ (EC) દ્વારા આયોજિત કથિત ચૂંટણી હેરાફેરી સામે જન આંદોલન કરવા જનતાને આહવાન કર્યું છે.

અહીં એવા જાગૃત નાગરિકો હતા જેમાં સમાજના કાર્યકરો, વકીલો, ભૂતપૂર્વ સનદી અધિકારીઓ, શિક્ષણવિદો અને ટેક્નોલોજિસ્ટ્સ ક્ષેત્રના મહાનુભાવો હાજર હતા જેઓએ ચિંતા વ્યક્ત કરી હતી અને મતદાર યાદીઓના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) ને તાત્કાલિક રદ કરવાની માંગ કરી હતી. કેન્દ્રમાં શાસક ભાજપની આગેવાની હેઠળના NDA ના ઇશારે ભારતના ચૂંટણી પંચ (EC) દ્વારા આયોજિત કથિત ચૂંટણી હેરાફેરી સામે વિરોધ કરી તેને જનજન સુધી પહોંચાડવા આહવાન કર્યું હતું.

ચેન્નાઈમાં મળેલા સંમેલનમાં કેટલાક ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા જેમાં વર્તમાન ચૂંટણી પંચને તાત્કાલિક વિસર્જન કરવા સહિત નિષ્પક્ષ પ્રક્રિયા દ્વારા નવા પંચની રચના કરવાની, VVPAT (વોટર વેરિફાઇડ પેપર ઓડિટ ટ્રેઇલ) સ્લિપની 100% ગણતરી કરવાની અને મતદાર અથવા તેમના પરિવારને જાણ કર્યા વિના કોઈ ઉમેરો કે કાઢી ન નાખવાની માંગ કરવામાં આવી હતી.

ઉપરાંત મશીન-રીડેબલ મતદારોની યાદી ઓનલાઈન ઉપલબ્ધ કરાવવી જોઈએ, પરંતુ પારદર્શિતાના માપદંડ તરીકે, દરેક EVM (ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન) માં મતદારોનો ડેટા એક અપરિવર્તનશીલ ઇલેક્ટ્રોનિક લોક પાછળ હોવો જોઈએ અને લોક મૂલ્યો ઓનલાઈન શેર કરવા જોઈએ તેવી માંગ સામેલ હતી.

કોન્ક્લેવમાં ચેન્નાઈના સંમેલનમાં કરાયેલા ઠરાવને દેશના તમામ ભાગોમાં લઈ જવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો જેથી તમામ રાજ્યોમાં જમીની કાર્યવાહી પ્રત્યે રાષ્ટ્રવ્યાપી ચેતનાનું નિર્માણ થાય અને લોકો જાગૃત બને અને લોકશાહીમાં પોતાના અધિકારો સમજી શકે. ઉપસ્થિત આગેવાનોનું કહેવું હતું કે લોકશાહી એ છે જ્યાં મતદારો સરકાર પસંદ કરે છે,આપણે એવા તબક્કામાં પહોંચી ગયા છીએ જ્યાં સરકાર મતદારોની પસંદગી કરે છે.

સંશોધકો, નાગરિક સમાજના સભ્યો અને વિપક્ષી પક્ષો છેલ્લા કેટલાક વર્ષોથી મતદાનની ગરબડ અંગેના અનેક ચૂંટણીઓમાં કામચલાઉ અને અંતિમ મતદાનના આંકડા વચ્ચે “અકલ્પનીય” વિસંગતતા તરફ ધ્યાન દોરતા આવ્યા છે પણ જન જાગૃતિની ચળવળના અભાવને કારણે કઈ થતું નથી તેના પર ઉપસ્થિત ચિંતકોએ દુઃખ વ્યક્ત કર્યું પણ હવે “આપણે હવે લોકશાહીના બચાવનું કાર્ય રાજકીય પક્ષોને સોંપી શકતા નથી અને લોકશાહી બચાવવી પડશે તેવો સૂર વ્યક્ત કરાયો હતો.

બિહાર SIR ગૂંચવણમાં ન્યાયતંત્રની ભૂમિકા પર બોલતા, કાનૂની નિષ્ણાત અને અધિકાર કાર્યકર્તા ઉષા રામનાથને જણાવ્યું હતું કે, આ ભાર હવે વ્યક્તિ પર આવી ગયો છે કે તે આ દેશના નાગરિક છે તે સ્થાપિત કરે અને લાંબા સમયથી આવું જ રહ્યું છે, અને અદાલતો પાસે આને ઓળખવાની ક્ષમતા નથી,તેમણે ઉમેર્યુ કે આપણે જાણીએ છીએ કે સમગ્ર આસામ પ્રક્રિયા ખરેખર કોર્ટ દ્વારા દબાણ કરવામાં આવી હતી

ચૂંટણી પારદર્શિતા સુધારવા માટેના પગલાંઓની રૂપરેખા આપતા, ભૂતપૂર્વ સરકારી કર્મચારી એમ.જી. દેવસાહયામે જણાવ્યું હતું કે મતદાન પૂર્ણ થયા પછી તરત જ મત ગણતરી શરૂ થવી જોઈએ, ચૂંટણી પંચે મતદાન પૂર્ણ થયાના ત્રણ કલાકની અંદર મતદારોની વાસ્તવિક મતદાનની સંખ્યા જાહેર કરવી જોઈએ, અને મતદારોને પ્રક્રિયામાં સામેલ કરવા માટે ગ્રામ પંચાયત અથવા સ્થાનિક સંસ્થા સ્તરે મતદાર યાદીનું સામાજિક ઓડિટ કરવું જોઈએ.

આ તકે આર. બાલકૃષ્ણન, (ભૂતપૂર્વ નાયબ ચૂંટણી કમિશનર) વી. પોનરાજ (એ.પી.જે. અબ્દુલ કલામના ભૂતપૂર્વ ટેકનોલોજી સલાહકાર) માધવ એ. દેશપાંડે( યુએસ સરકારના ભૂતપૂર્વ ટેકનોલોજી સલાહકાર) અંજલી ભારદ્વાજ, (કાર્યકર્તા; નીતિન સેઠી, પત્રકાર અને ટ્રસ્ટી, ધ રિપોર્ટર્સ કલેક્ટિવ) તારા રાવ, સ્થાપક-સભ્ય, ઓલ ઈન્ડિયા મિશન (AIM 24); આર. સચિથાનન્થમ, CPI(M) સાંસદ, અને એસ.એસ. બાલાજી, VCK ધારાસભ્ય, એ.એ.એ. ઉપસ્થિત રહી વક્તવ્ય આપ્યું હતું અને લોકશાહી બચાવવા સૌને આગળ આવવા અપીલ કરી હતી.

આ પણ વાંચો:

SBI અને બેંક ઓફ બરોડા હવે AI ટેક્નોલોજીથી સજ્જ,  ડિજિટલ ફ્રોડનું પેમેન્ટ આવતા જ ખબર પડી જશે!

Ahmedabad: ‘હું ટ્રીટમેન્ટ નહીં કરું’, અમદાવાદની સોલા સિવિલમાં મહિલા ડૉક્ટરની દાદાગીરી

Gujarat Rain News: ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે વરસાદની શક્યતા, જાણો ક્યા વિસ્તારોને ઘમરોળશે મેઘરાજા

Related Posts

Mallikarjun Kharge on RSS: સરદાર પટેલના પત્રની યાદ અપાવી ખડગેએ કહ્યુ,”RSS પર પ્રતિબંધ મૂકવો જોઈએ!”ભાજપ-RSSએ દેશની પથારી ફેરવી નાખી છે!
  • October 31, 2025

Mallikarjun Kharge on RSS:એક તરફ સરદાર પટેલની જન્મ જયંતીની ઉજવણી થઈ રહી છે અને ગુજરાતના કેવડીયામાં PM મોદીની હાજરીમાં ભવ્ય ઉજવણી કરાઈ રહી છે તેવા સમયે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ…

Continue reading
UP: અલીગઢના મંદિરની દિવાલ પર ‘આઈ લવ મોહમ્મદ’ લખનારા તમામ આરોપીઓ હિંદુ નીકળ્યા!, પછી પોલીસે…
  • October 31, 2025

UP: એવું કહેવાય છે કે ગુનેગાર ગમે તેટલો સાતીર હોય, તે ગુનો કરતી વખતે હંમેશા એક સુરાગ છોડી જાય છે. ઉત્તર પ્રદેશના અલીગઢમાં એક મંદિર પર “આઈ લવ યુ મોહમ્મદ”…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Mallikarjun Kharge on RSS: સરદાર પટેલના પત્રની યાદ અપાવી ખડગેએ કહ્યુ,”RSS પર પ્રતિબંધ મૂકવો જોઈએ!”ભાજપ-RSSએ દેશની પથારી ફેરવી નાખી છે!

  • October 31, 2025
  • 6 views
Mallikarjun Kharge on RSS: સરદાર પટેલના પત્રની યાદ અપાવી ખડગેએ કહ્યુ,”RSS પર પ્રતિબંધ મૂકવો જોઈએ!”ભાજપ-RSSએ દેશની પથારી ફેરવી નાખી છે!

 AAP Gujarat: ગુજરાતમાં AAPની ખેડૂત મહાપંચાયત: કેજરીવાલે કહયું- “સરકાર આખી હર્ષ સંઘવી ચલાવે છે, ભૂપેન્દ્ર પટેલનું કંઇ ચાલતું નથી”

  • October 31, 2025
  • 4 views
 AAP Gujarat: ગુજરાતમાં AAPની ખેડૂત મહાપંચાયત: કેજરીવાલે કહયું-  “સરકાર આખી હર્ષ સંઘવી ચલાવે છે, ભૂપેન્દ્ર પટેલનું કંઇ ચાલતું નથી”

UP: અલીગઢના મંદિરની દિવાલ પર ‘આઈ લવ મોહમ્મદ’ લખનારા તમામ આરોપીઓ હિંદુ નીકળ્યા!, પછી પોલીસે…

  • October 31, 2025
  • 10 views
UP: અલીગઢના મંદિરની દિવાલ પર ‘આઈ લવ મોહમ્મદ’ લખનારા તમામ આરોપીઓ હિંદુ નીકળ્યા!, પછી પોલીસે…

Sanjay Raut health: શિવસેના નેતા સંજય રાઉતની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ

  • October 31, 2025
  • 8 views
Sanjay Raut health: શિવસેના નેતા સંજય રાઉતની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ

Bihar Election: ભત્રીજા માટે ચૂંટણી પ્રચાર કરતાં કાકાને પતાવી દેવાયો, બિહારનો ચૂંટણીનો પ્રચાર લોહીયાળ બન્યો, કોણ છે આરોપી?

  • October 31, 2025
  • 22 views
Bihar Election: ભત્રીજા માટે ચૂંટણી પ્રચાર કરતાં કાકાને પતાવી દેવાયો, બિહારનો ચૂંટણીનો પ્રચાર લોહીયાળ બન્યો, કોણ છે આરોપી?

Ahmedabad: સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ ભૂપાદાદા થયા ભપ્પ, જાણો કેવી છે તેમની હાલત?

  • October 31, 2025
  • 14 views
Ahmedabad: સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ ભૂપાદાદા થયા ભપ્પ, જાણો કેવી છે તેમની હાલત?