મમતાને ઝટકોઃ કિન્નર અખાડાએ મમતા કુલકર્ણીને મહામંડલેશ્વરના પદથી હાંકી કાઢી, જાણો સૌથી મોટું કારણ?

  • India
  • January 31, 2025
  • 1 Comments

Mamta Kulkarni expelled from Kinnar Akhara :  કિન્નર અખાડાએ પૂર્વ અભિનેત્રી મમતા કુલકર્ણીને મહામંડલેશ્વરના પદ પરથી દૂર કરી દીધી છે. ઉપરાંત, આચાર્ય મહામંડલેશ્વર લક્ષ્મી નારાયણ ત્રિપાઠીને પણ પદ પરથી દૂર કરવામાં આવી છે. આ કાર્યવાહી કિન્નર અખાડાના સ્થાપક ઋષિ અજય દાસે કરી છે.

તાજેતરમાં મમતા કુલકર્ણીએ પ્રયાગરાજ મહાકુંભ દરમિયાન સન્યાસની દીક્ષા લીધી હતી. પિંડદાન અને સંગમમાં ડૂબકી લગાવ્યા પછી, મમતા કુલકર્ણીનો કિન્નર અખાડા દ્વારા અભિષેક કરાવાયો હતો. કિન્નર અખાડાના આચાર્ય મહામંડલેશ્વર લક્ષ્મી નારાયણ ત્રિપાઠીએ તેમને કિન્નર અખાડામાં સામેલ કર્યા હતા અને તેમના જીવનના આ નવા અધ્યાય પર ખુશી પણ વ્યક્ત કરી હતી.

 

કિન્નર અખાડાએ મમતા કુલકર્ણીને મહામંડલેશ્વરના પદ પરથી હટાવી 

પૂર્વ અભિનેત્રી મમતા કુલકર્ણીએ થોડા દિવસો પહેલા મહાકુંભ દરમિયાન સંન્યાસની દીક્ષા લીધી હતી અને ત્યારબાદ તેમને કિન્નર અખાડાના મહામંડલેશ્વર તરીકે નિયુક્ત કરાઈ હતી. જોકે, આ નિર્ણય પછી જ વિવાદ ઉભો થયો હતો. કિન્નર અખાડાના સ્થાપક ઋષિ અજય દાસે જણાવ્યું હતું કે મમતા કુલકર્ણીએ ધાર્મિક પરંપરાઓનું પાલન કર્યું નથી અને તેથી જ આ નિર્ણય લેવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે મમતાને મહામંડલેશ્વર બનાવ્યા પછી,  ઘણો વિવાદ થયો હતો અને ઘણા સંતો સતત તેનો વિરોધ કરી રહ્યા હતા.

લક્ષ્મી ત્રિપાઠીને પણ તેમના પદ પરથી હટાવવામાં આવ્યા

આ સાથે, ઋષિ અજય દાસે કિન્નર અખાડાના આચાર્ય મહામંડલેશ્વર લક્ષ્મી નારાયણ ત્રિપાઠીને પણ  પદ પરથી મુક્ત કર્યા છે.

વર્ષ 2019નો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે લક્ષ્મી ત્રિપાઠીએ અગાઉ પણ જુના અખાડા સાથે કોઈપણ સંમતિ વિના કરાર કર્યો હતો, જે અનૈતિક અને ગેરબંધારણીય છે. આ વિવાદને કારણે કિન્નર અખાડામાં આંતરિક ઝઘડો વધ્યો અને સંત સમુદાયમાં પણ રોષ ફેલાયો. આ પછી, મહામંડલેશ્વરનું બિરુદ સીધું આપવા અને ત્યાગનો માર્ગ અપનાવ્યા વિના મમતા કુલકર્ણીને રાજ્યાભિષેક કરવાને કારણે, હવે લક્ષ્મી ત્રિપાઠીને પણ તેમના પદ પરથી દૂર કરવામાં આવી છે. તેમણે કહ્યું કે તેમને ટ્રાન્સજેન્ડર સમુદાયના ઉત્થાન માટે નિયુક્ત કરવામાં આવ્યા હતા પરંતુ તેઓ પોતાની જવાબદારીઓથી વિચલિત થઈ ગયા છે, તેથી જ તેમને હટાવવામાં આવી રહ્યા છે.

 

Related Posts

Congress on New Labour Code: ‘હાયર એન્ડ ફાયર’ નીતિ લાવવાનો આરોપ, મલ્લિકાર્જુન ખરગેએ નવા શ્રમ કાયદાઓને ગણાવ્યા મજૂર વિરોધી
  • May 11, 2026

Congress on New Labour Code: કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેએ કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા ચાર નવા લેબર કોડ સામે આકરા પ્રહાર કર્યા છે. તેમણે આક્ષેપ કર્યો છે કે…

Continue reading
Rahul Gandhi: પીએમ મોદીની સોનું અને પેટ્રોલ બચાવવાની અપીલ પર રાહુલ ગાંધી ભડક્યા, કહ્યું- આ ઉપદેશ નહીં નિષ્ફળતાના પુરાવા
  • May 11, 2026

Rahul Gandhi: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં તેલંગાણાના હૈદરાબાદ અને સિકંદરાબાદમાં આયોજિત જનસભાઓ દરમિયાન દેશવાસીઓને એક વર્ષ સુધી સોનું ન ખરીદવા માટે નમ્ર વિનંતી કરી છે. પશ્ચિમ એશિયામાં ઈરાન અને અમેરિકા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Congress on New Labour Code: ‘હાયર એન્ડ ફાયર’ નીતિ લાવવાનો આરોપ, મલ્લિકાર્જુન ખરગેએ નવા શ્રમ કાયદાઓને ગણાવ્યા મજૂર વિરોધી

  • May 11, 2026
  • 3 views
Congress on New Labour Code: ‘હાયર એન્ડ ફાયર’ નીતિ લાવવાનો આરોપ, મલ્લિકાર્જુન ખરગેએ નવા શ્રમ કાયદાઓને ગણાવ્યા મજૂર વિરોધી

Rahul Gandhi: પીએમ મોદીની સોનું અને પેટ્રોલ બચાવવાની અપીલ પર રાહુલ ગાંધી ભડક્યા, કહ્યું- આ ઉપદેશ નહીં નિષ્ફળતાના પુરાવા

  • May 11, 2026
  • 3 views
Rahul Gandhi: પીએમ મોદીની સોનું અને પેટ્રોલ બચાવવાની અપીલ પર રાહુલ ગાંધી ભડક્યા, કહ્યું- આ ઉપદેશ નહીં નિષ્ફળતાના પુરાવા

INDIA bloc controversy: ‘અપરાધીઓ સાથે ગઠબંધન મંજૂર નથી’, સીપીએમ અને કોંગ્રેસનો મમતા બેનર્જી પર પલટવાર

  • May 11, 2026
  • 4 views
INDIA bloc controversy: ‘અપરાધીઓ સાથે ગઠબંધન મંજૂર નથી’, સીપીએમ અને કોંગ્રેસનો મમતા બેનર્જી પર પલટવાર

Chhotaudepur Sihada water Crisis: “નળ સે જળ” યોજના માત્ર કાગળ પર! સિહાદા ગામમાં લોકો ગંદુ પાણી પીવા મજબૂર

  • May 11, 2026
  • 9 views
Chhotaudepur Sihada water Crisis: “નળ સે જળ” યોજના માત્ર કાગળ પર! સિહાદા ગામમાં લોકો ગંદુ પાણી પીવા મજબૂર

Markandey Katju on Vijay: પૂર્વ જજ માર્કંડેય કાટજુનો વિજય પર તીખો હુમલો, કહ્યું- જનતા જલ્દી નવા સીએમથી નિરાશ થશે

  • May 10, 2026
  • 11 views
Markandey Katju on Vijay: પૂર્વ જજ માર્કંડેય કાટજુનો વિજય પર તીખો હુમલો, કહ્યું- જનતા જલ્દી નવા સીએમથી નિરાશ થશે

Arvind Kejriwal: સંજીવ અરોરાની ધરપકડ બાદ કેજરીવાલનો ભાજપ પર પ્રહાર, કહ્યું- જેલ પસંદ કરી પરંતુ ભાજપમાં ગયા નહીં

  • May 10, 2026
  • 10 views
Arvind Kejriwal: સંજીવ અરોરાની ધરપકડ બાદ કેજરીવાલનો ભાજપ પર પ્રહાર, કહ્યું- જેલ પસંદ કરી પરંતુ ભાજપમાં ગયા નહીં