મમતાને ઝટકોઃ કિન્નર અખાડાએ મમતા કુલકર્ણીને મહામંડલેશ્વરના પદથી હાંકી કાઢી, જાણો સૌથી મોટું કારણ?

  • India
  • January 31, 2025
  • 1 Comments

Mamta Kulkarni expelled from Kinnar Akhara :  કિન્નર અખાડાએ પૂર્વ અભિનેત્રી મમતા કુલકર્ણીને મહામંડલેશ્વરના પદ પરથી દૂર કરી દીધી છે. ઉપરાંત, આચાર્ય મહામંડલેશ્વર લક્ષ્મી નારાયણ ત્રિપાઠીને પણ પદ પરથી દૂર કરવામાં આવી છે. આ કાર્યવાહી કિન્નર અખાડાના સ્થાપક ઋષિ અજય દાસે કરી છે.

તાજેતરમાં મમતા કુલકર્ણીએ પ્રયાગરાજ મહાકુંભ દરમિયાન સન્યાસની દીક્ષા લીધી હતી. પિંડદાન અને સંગમમાં ડૂબકી લગાવ્યા પછી, મમતા કુલકર્ણીનો કિન્નર અખાડા દ્વારા અભિષેક કરાવાયો હતો. કિન્નર અખાડાના આચાર્ય મહામંડલેશ્વર લક્ષ્મી નારાયણ ત્રિપાઠીએ તેમને કિન્નર અખાડામાં સામેલ કર્યા હતા અને તેમના જીવનના આ નવા અધ્યાય પર ખુશી પણ વ્યક્ત કરી હતી.

 

કિન્નર અખાડાએ મમતા કુલકર્ણીને મહામંડલેશ્વરના પદ પરથી હટાવી 

પૂર્વ અભિનેત્રી મમતા કુલકર્ણીએ થોડા દિવસો પહેલા મહાકુંભ દરમિયાન સંન્યાસની દીક્ષા લીધી હતી અને ત્યારબાદ તેમને કિન્નર અખાડાના મહામંડલેશ્વર તરીકે નિયુક્ત કરાઈ હતી. જોકે, આ નિર્ણય પછી જ વિવાદ ઉભો થયો હતો. કિન્નર અખાડાના સ્થાપક ઋષિ અજય દાસે જણાવ્યું હતું કે મમતા કુલકર્ણીએ ધાર્મિક પરંપરાઓનું પાલન કર્યું નથી અને તેથી જ આ નિર્ણય લેવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે મમતાને મહામંડલેશ્વર બનાવ્યા પછી,  ઘણો વિવાદ થયો હતો અને ઘણા સંતો સતત તેનો વિરોધ કરી રહ્યા હતા.

લક્ષ્મી ત્રિપાઠીને પણ તેમના પદ પરથી હટાવવામાં આવ્યા

આ સાથે, ઋષિ અજય દાસે કિન્નર અખાડાના આચાર્ય મહામંડલેશ્વર લક્ષ્મી નારાયણ ત્રિપાઠીને પણ  પદ પરથી મુક્ત કર્યા છે.

વર્ષ 2019નો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે લક્ષ્મી ત્રિપાઠીએ અગાઉ પણ જુના અખાડા સાથે કોઈપણ સંમતિ વિના કરાર કર્યો હતો, જે અનૈતિક અને ગેરબંધારણીય છે. આ વિવાદને કારણે કિન્નર અખાડામાં આંતરિક ઝઘડો વધ્યો અને સંત સમુદાયમાં પણ રોષ ફેલાયો. આ પછી, મહામંડલેશ્વરનું બિરુદ સીધું આપવા અને ત્યાગનો માર્ગ અપનાવ્યા વિના મમતા કુલકર્ણીને રાજ્યાભિષેક કરવાને કારણે, હવે લક્ષ્મી ત્રિપાઠીને પણ તેમના પદ પરથી દૂર કરવામાં આવી છે. તેમણે કહ્યું કે તેમને ટ્રાન્સજેન્ડર સમુદાયના ઉત્થાન માટે નિયુક્ત કરવામાં આવ્યા હતા પરંતુ તેઓ પોતાની જવાબદારીઓથી વિચલિત થઈ ગયા છે, તેથી જ તેમને હટાવવામાં આવી રહ્યા છે.

 

Related Posts

NMC HoD Rotation Controversy: તબીબી કોલેજોમાં HoDના 3 વર્ષના રોટેશન પ્લાન પર શિક્ષણ જગતમાં આક્રોશ! સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો મામલો
  • June 26, 2026

NMC HoD Rotation Controversy: નેશનલ મેડિકલ કમિશન (NMC) દ્વારા તબીબી કોલેજોમાં વિભાગીય વડા (HoD) માટે દર ત્રણ વર્ષે ફરજિયાત રોટેશનનો જે પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો, તે હવે સવાલોના ઘેરામાં છે.…

Continue reading
Abhishek Manu Singhvi: કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવીએ પક્ષપલટા વિરોધી કાયદા પર ઉઠાવ્યા ગંભીર સવાલો, કહ્યું- પક્ષ બદલનારોએ ફરી ચૂંટણી લડવી જોઈએ
  • June 26, 2026

Abhishek Manu Singhvi: રાજ્યસભા સાંસદ અને દિગ્ગજ વકીલ અભિષેક મનુ સિંઘવીએ ભારતના પક્ષપલટા વિરોધી કાયદા (Anti-Defection Law) પર આકરા પ્રહાર કરતા તેને ‘મજાક’ ગણાવ્યો છે. એક ખાસ ઈન્ટરવ્યુમાં સિંઘવીએ સ્પષ્ટ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

NMC HoD Rotation Controversy: તબીબી કોલેજોમાં HoDના 3 વર્ષના રોટેશન પ્લાન પર શિક્ષણ જગતમાં આક્રોશ! સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો મામલો

  • June 26, 2026
  • 5 views
NMC HoD Rotation Controversy: તબીબી કોલેજોમાં HoDના 3 વર્ષના રોટેશન પ્લાન પર શિક્ષણ જગતમાં આક્રોશ! સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો મામલો

Abhishek Manu Singhvi: કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવીએ પક્ષપલટા વિરોધી કાયદા પર ઉઠાવ્યા ગંભીર સવાલો, કહ્યું- પક્ષ બદલનારોએ ફરી ચૂંટણી લડવી જોઈએ

  • June 26, 2026
  • 5 views
Abhishek Manu Singhvi: કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવીએ પક્ષપલટા વિરોધી કાયદા પર ઉઠાવ્યા ગંભીર સવાલો, કહ્યું- પક્ષ બદલનારોએ ફરી ચૂંટણી લડવી જોઈએ

Ram Mandir Donation Scam: રામ મંદિર કૌભાંડ, આસ્થાના નામે ૨૦૦ કરોડની લૂંટ, જવાબદાર કોણ?

  • June 26, 2026
  • 10 views
Ram Mandir Donation Scam: રામ મંદિર કૌભાંડ, આસ્થાના નામે ૨૦૦ કરોડની લૂંટ, જવાબદાર કોણ?

Jungleshwar Demolition Food Bill: ૨૭ લાખનો નાસ્તો, શું રાજકોટ મનપાના અધિકારીઓ માટે જંગલેશ્વર ડિમોલિશન એક ‘પાર્ટી’ હતી?

  • June 26, 2026
  • 14 views
Jungleshwar Demolition Food Bill: ૨૭ લાખનો નાસ્તો, શું રાજકોટ મનપાના અધિકારીઓ માટે જંગલેશ્વર ડિમોલિશન એક ‘પાર્ટી’ હતી?

Gujarat Fake Blood Plasma Racket: ગુજરાતમાં નકલી બ્લડ પ્લાઝ્માના કરોડોના કથિત કારોબારનો પર્દાફાશ

  • June 26, 2026
  • 6 views
Gujarat Fake Blood Plasma Racket: ગુજરાતમાં નકલી બ્લડ પ્લાઝ્માના કરોડોના કથિત કારોબારનો પર્દાફાશ

Monsoon Delay Crisis: 11 વર્ષ પછી વાવણીની ગંભીર સ્થિતિ, 9 ટકા સિંચાઈથી વાવેતર, ઉતાપદન માટે ગંભીર ફટકો પડતાં ભાવ વધે તો મોંઘવારી પણ વધશે

  • June 26, 2026
  • 7 views
Monsoon Delay Crisis: 11 વર્ષ પછી વાવણીની ગંભીર સ્થિતિ, 9 ટકા સિંચાઈથી વાવેતર, ઉતાપદન માટે ગંભીર ફટકો પડતાં ભાવ વધે તો મોંઘવારી પણ વધશે