સોનું 87000ની ઐતિહાસિક ટોચે પહોંચ્યું; ચાંદીમાં આગઝરતી તેજી

  • India
  • February 14, 2025
  • 0 Comments
  • સોનું 87000ની ઐતિહાસિક ટોચે પહોંચ્યું; ચાંદીમાં આગઝરતી તેજી

વૈશ્વિક સ્તરે ટેરિફ વોર, જિઓ-પોલિટિકલ ક્રાઈસિસના પડકારો વચ્ચે કિંમતી ધાતુમાં તેજી આવી છે. સોના કરતાં ચાંદીમાં આજે આગઝરતી તેજી સાથે સ્થાનિક સ્તરે રૂ. 1500 અને ચાંદી વાયદો 2394 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો હતો.

અમદાવાદમાં સોનાના ભાવ છેલ્લા બે સપ્તાહથી વધી રહ્યા છે. આજે સોનાનો ભાવ રૂ. 500 ઉછળી રૂ. 87000 પ્રતિ 10 ગ્રામની ઐતિહાસિક ટોચે પહોંચ્યો હતો. જ્યારે ચાંદી રૂ. 1500 ઉછળી રૂ. 96500 પ્રતિ કિગ્રા થઈ હતી. ચાંદીમાં આક્રમક ખરીદીના પગલે તે ઝડપથી એક લાખ રૂપિયા પ્રતિ કિગ્રાની સપાટી ક્રોસ કરે તેવી શક્યતાઓ વધી છે.

જેએમ ફાઈનાન્સિયલ સર્વિસિઝ લિ.ના કોમોડિટી એન્ડ કરન્સી રિસર્ચ ઈબીજી-વાઈસ પ્રેસિડન્ટ પ્રણવ મેરએ જણાવ્યું હતું કે, ટ્રેડ ટેરિફ સંબંધિત અનિશ્ચિતતાઓ સાથે ટ્રેડર્સ અને રોકાણકારોએ સોનામાં ખરીદી વધારી છે. અમેરિકાનો ડોલર નબળો પડતાં બુલિયન માર્કેટને ટેકો મળ્યો છે. ડોલર ઈન્ડેક્સ આ સપ્તાહમાં 1 ટકા ઘટ્યો છે. ઔદ્યોગિક માગમાં વૃદ્ધિના કારણે ચાંદીમાં સોના કરતાં પણ આક્રમક તેજી જોવા મળશે. ટેક્નિકલી ગોલ્ડ વાયદો 85900-85650ના સપોર્ટ લેવલ સાથે તેજીમાં રહેશે.

આ પણ વાંચો-નવા ચીફ ઈલેક્શન કમિશ્નરની નિમણૂક માટે કાયદા મંત્રાલયે બોલાવી બેઠક

એમસીએક્સ ચાંદીમાં તેજી

ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો કિલોદીઠ રૂ.95449ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.98130 અને નીચામાં રૂ.95449ના મથાળે અથડાઈ, રૂ.95233ના આગલા બંધ સામે રૂ.2394 વધી રૂ.97627ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે કિલોદીઠ ચાંદી-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.2291 વધી રૂ.97379ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી વાયદો રૂ.2290 વધી રૂ.97334ના ભાવ થયા હતા.

એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.86020ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.86358 અને નીચામાં રૂ.86014ના મથાળે અથડાઈ, રૂ.85809ના આગલા બંધ સામે રૂ.292 વધી રૂ.86101ના સ્તરે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ફેબ્રુઆરી વાયદો 8 ગ્રામદીઠ રૂ.355 વધી રૂ.69577ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે ગોલ્ડ-પેટલ ફેબ્રુઆરી વાયદો 1 ગ્રામદીઠ રૂ.82 વધી રૂ.8657ના ભાવે બોલાયો હતો. સોનું-મિની માર્ચ વાયદો 10 ગ્રામદીઠ રૂ.255 વધી રૂ.85623ના સ્તરે પહોંચ્યો હતો.

આ પણ વાંચો- ભાજપ નેતાનો દાવો- આમ આદમી પાર્ટીના બધા મંત્રીઓ જેલમાં જશે

Related Posts

Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ
  • October 29, 2025

Gold Ban: આપણા દેશમાં સોનુ પ્રાચીન કાળથી સંસ્કૃતિ અને સમાજ સાથે વણાયેલું હતું. દીકરીના લગ્ન હોયકે કોઈ ધાર્મિક પ્રસંગ સોનુ આપવાની પ્રથા પ્રાચીન કાળથી ચાલી આવતી હતી ત્યારે સોનાના ભાવો…

Continue reading
Cyclone Montha Hits Andhra Coast: ચક્રવાત મોન્થા 110ની સ્પીડે આંધ્રના દરિયાકિનારે લેન્ડફોલ થયું!અનેક વૃક્ષો ધરાશાયી,ત્રણના મોત
  • October 29, 2025

Cyclone Montha Hits Andhra Coast :  ભારતીય હવામાન વિભાગ (IMD) ના જણાવ્યા અનુસાર, ચક્રવાત મોન્થા બુધવારે (29 ઓક્ટોબર) સવારે આંધ્રપ્રદેશના દરિયાકાંઠેથી પસાર થયું હતું. IMD એ જણાવ્યું હતું કે ચક્રવાત પસાર…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Bhavnagar: ભાવનગરમાં બોરતળાવના બુટિફિકેશનની વરસાદે ખોલી નાખી પોલ!, તપાસની ઉઠી માંગ

  • October 29, 2025
  • 8 views
Bhavnagar: ભાવનગરમાં બોરતળાવના બુટિફિકેશનની વરસાદે ખોલી નાખી પોલ!, તપાસની ઉઠી માંગ

3I/ATLAS ધૂમકેતુ શું છે?, તે પૃથ્વી સાથે અથડાશે?, જાણો

  • October 29, 2025
  • 10 views
3I/ATLAS ધૂમકેતુ શું છે?, તે પૃથ્વી સાથે અથડાશે?, જાણો

Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ

  • October 29, 2025
  • 16 views
Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ

Bhavnagar: 60 વર્ષ જૂની શાકમાર્કેટ જર્જરિત, વેપારીઓમાં વધી ચિંતા, તાત્કાલિક રીપેરીંગની માંગ

  • October 29, 2025
  • 15 views
Bhavnagar: 60 વર્ષ જૂની શાકમાર્કેટ જર્જરિત, વેપારીઓમાં વધી ચિંતા, તાત્કાલિક રીપેરીંગની માંગ

Narmada:”મનસુખ વસાવા શું કહેવા માંગે છે, એમને જ ખબર નથી હોતી” નિરંજન વસાવાના મનસુખ વસાવા પર ચાબખાં

  • October 29, 2025
  • 12 views
Narmada:”મનસુખ વસાવા શું કહેવા માંગે છે, એમને જ ખબર નથી હોતી” નિરંજન વસાવાના મનસુખ વસાવા પર ચાબખાં

Accident: સુરતના 7 યુવાનોને શિરડીથી દર્શન કરી પરત આવતાં અક્સમાત નડ્યો, 3ના મોત, કારનો કચ્ચરઘાણ નીકળી ગયો

  • October 29, 2025
  • 30 views
Accident: સુરતના 7 યુવાનોને શિરડીથી દર્શન કરી પરત આવતાં અક્સમાત નડ્યો, 3ના મોત, કારનો કચ્ચરઘાણ નીકળી ગયો