Narmada:”મનસુખ વસાવા શું કહેવા માંગે છે, એમને જ ખબર નથી હોતી” નિરંજન વસાવાના મનસુખ વસાવા પર ચાબખાં

  • Gujarat
  • October 29, 2025
  • 0 Comments

Narmada: આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવાના વિરુદ્ધ તીખી પ્રતિક્રિયા આપી છે. મનસુખ વસાવા દ્વારા AAP નેતાઓ પર કરવામાં આવેલા આક્ષેપોને નકારતા નિરંજન વસાવાએ કહ્યું કે, “હું અને ચૈતર વસાવા જવાબદારીપૂર્વક અને વફાદારીપૂર્વક અમારું કામ કરી રહ્યા છીએ. પ્રજાને જાગૃત કરી રહ્યા છીએ, મનસુખ વસાવાની જેમ પ્રજાને ગોળ-ગોળ ફેરવીને ગેરમાર્ગે દોરતા નથી.”મનસુખ વસાવાના વર્તનને નિરંજન વસાવાએબોખલાહટ‘ તરીકે ગણાવ્યું. તેમણે કહ્યું, “મનસુખ વસાવા શું કરવા માંગે છે, શું કહેવા માંગે છે, એમને પોતાને જ ખબર નથી. AAPનું કદ દિવસેને દિવસે વધી રહ્યું છે, તેના કારણે તેઓ બોખલાઈ ગયા છે.”

તેમણે મનસુખ વસાવાના 30-35 વર્ષના સાંસદ તરીકેના કાર્યકાળ પર પ્રશ્ન ઉઠાવ્યા અને કહ્યું કે, “તેમણે વિકાસના કામ કર્યા નથી. ખરાબ રસ્તાઓ, જર્જરીત શાળાઓ, શિક્ષકોની કમી, હોસ્પિટલોમાં ડોક્ટર અને સાધનોની અભાવ જેવા મુદ્દાઓ પર તેઓ ચર્ચા કરે. વાગરા, જંબુસર, આમોદ જેવા વિસ્તારોમાં તેઓ કેમ નથી જતા?”નિરંજન વસાવાએ મનસુખ વસાવાનેનાંદોદમાં કમલમાં બેસીને ફાંકા ફોજદારી કરવાનું બંધ કરો’ કહ્યું.

તેમણે મનસુખ વસાવાને પડકાર આપ્યો કે, “મારા અને ચૈતર વસાવાના વિરુદ્ધ કોઈ પુરાવા હોય તો અમારી સમક્ષ મૂકે.” તાજેતરની નર્મદા ઘાટ દુર્ઘટનામાં મૃતક કામદારોના પરિવારને 50 લાખની સહાય આપવાના કામનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું, “આવા કામોમાં મનસુખ વસાવા ક્યાં હતા? જો આદિવાસી સમાજની ચિંતા છે તો હાજર રહેવું જોઈતું.”

AAPની વધતી જતી લોકપ્રિયતા પર નિરંજન વસાવાએ અભિમાન વ્યક્ત કર્યો

નિરંજન વસાવાએ કહ્યું કે, “ભાજપ-કોંગ્રેસનો છેડો ફાડીને હજારો લોકો AAPની વિચારધારા સાથે જોડાઈ રહ્યા છે. અમારી સરકાર નથી છતાં પ્રજાના પ્રશ્નો ઉકેલવાનો પ્રયત્ન કરીએ છીએ.” આ વિવાદ નર્મદા જિલ્લામાં રાજકીય તણાવ વધારી રહ્યો છે, જ્યાં AAP વિકાસ અને પ્રજાજાગૃતિ પર ભાર મૂકી રહી છે.

આ પણ વાંચો:

 Gujarat: વરસાદી માહોલ વચ્ચે ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાતા ફરી ભારે વરસાદની આગાહી

Gujarat: 60 ગામડાઓ શહેરમાં ભળી ગયા, સવલતો મળતી નથી 

Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!

Montha Cyclone: આંધ્રપ્રદેશમાં આજે ‘મોન્થા’ વાવાઝોડું 100 કિમી ઝડપે લેન્ડફોલ થશે, હાઈ એલર્ટ અપાયું, તંત્ર સ્ટેન્ડબાય

Gujarat Cyclone Forecast: ગુજરાત પર ચક્રવાતી સંકટને લઈ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અપાયું ‘રેડ એલર્ટ’

Related Posts

Surat Workers Protest: સુરતમાં 400થી 500 શ્રમિકો રસ્તા પર ઉતર્યા, શ્રમ કાયદાના અમલ અને સાપ્તાહિક રજાની માંગ સાથે કલેક્ટરને આવેદન
  • September 13, 2026

Surat Workers Protest: સુરતમાં 400થી 500 જેટલા શ્રમિકો એકસાથે ભેગા થઈ વિરોધ પ્રદર્શન કરતાં શ્રમિકોના હકો અને શ્રમ કાયદાના અમલનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. એમ્બ્રોઇડરી સહિત અલગ અલગ ક્ષેત્રોમાં…

Continue reading
Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી, પરિવર્તન પેનલની જીત બાદ રાજકીય સમીકરણોમાં મોટો વળાંક
  • September 13, 2026

Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીની બહુચર્ચિત ચૂંટણી બાદ આજે આખરે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. પ્રમુખ તરીકે મુકેશચંદ્ર નગીનભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે અનિલભાઈ હરિભાઈ પટેલની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Maharashtra FDA Survey: હોસ્પિટલના બિલિંગમાં નફાખોરીનો સવાલ, મેડિકલ કન્ઝ્યુમેબલ્સ પર 2841% સુધીના માર્જિનનો દાવો

  • September 17, 2026
  • 4 views
Maharashtra FDA Survey: હોસ્પિટલના બિલિંગમાં નફાખોરીનો સવાલ, મેડિકલ કન્ઝ્યુમેબલ્સ પર 2841% સુધીના માર્જિનનો દાવો

Pakistan China Boundary Joint Commission ને ભારતનો સખત વિરોધ, કહ્યું- ભારતીય વિસ્તાર અંગે સમજૂતી કરવાનો પાકિસ્તાનને અધિકાર નથી

  • September 17, 2026
  • 7 views
Pakistan China Boundary Joint Commission ને ભારતનો સખત વિરોધ, કહ્યું- ભારતીય વિસ્તાર અંગે સમજૂતી કરવાનો પાકિસ્તાનને અધિકાર નથી

Congress UPI MDR: UPI પર નવા MDRને લઈને કોંગ્રેસનો મોટો આરોપ, ‘અમેરિકી દબાણ સામે ઝૂકી મોદી સરકાર’

  • September 17, 2026
  • 6 views
Congress UPI MDR: UPI પર નવા MDRને લઈને કોંગ્રેસનો મોટો આરોપ, ‘અમેરિકી દબાણ સામે ઝૂકી મોદી સરકાર’

Modi Birthday Programs: મોદીના જન્મદિવસે સરકારી કાર્યક્રમોની ભરમાર, જાહેર નાણાંના ઉપયોગને લઈને ઉઠ્યા સવાલ

  • September 17, 2026
  • 10 views
Modi Birthday Programs: મોદીના જન્મદિવસે સરકારી કાર્યક્રમોની ભરમાર, જાહેર નાણાંના ઉપયોગને લઈને ઉઠ્યા સવાલ

Reporter TV Police Raid: Reporter TVની ઓફિસમાં પોલીસ કાર્યવાહી સામે પિનરાઈ વિજયનનો વિરોધ, પ્રેસની સ્વતંત્રતા પર સવાલ

  • September 17, 2026
  • 8 views
Reporter TV Police Raid: Reporter TVની ઓફિસમાં પોલીસ કાર્યવાહી સામે પિનરાઈ વિજયનનો વિરોધ, પ્રેસની સ્વતંત્રતા પર સવાલ

Delhi ECC Fund: દિલ્હીમાં પર્યાવરણ વળતરની 1,935 કરોડની રકમમાંથી 60 ટકા રકમ હજુ સુધી ખર્ચાઈ નથી

  • September 17, 2026
  • 13 views
Delhi ECC Fund: દિલ્હીમાં પર્યાવરણ વળતરની 1,935 કરોડની રકમમાંથી 60 ટકા રકમ હજુ સુધી ખર્ચાઈ નથી