
Narmada: આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવાના વિરુદ્ધ તીખી પ્રતિક્રિયા આપી છે. મનસુખ વસાવા દ્વારા AAP નેતાઓ પર કરવામાં આવેલા આક્ષેપોને નકારતા નિરંજન વસાવાએ કહ્યું કે, “હું અને ચૈતર વસાવા જવાબદારીપૂર્વક અને વફાદારીપૂર્વક અમારું કામ કરી રહ્યા છીએ. પ્રજાને જાગૃત કરી રહ્યા છીએ, મનસુખ વસાવાની જેમ પ્રજાને ગોળ-ગોળ ફેરવીને ગેરમાર્ગે દોરતા નથી.”મનસુખ વસાવાના વર્તનને નિરંજન વસાવાએ ‘બોખલાહટ‘ તરીકે ગણાવ્યું. તેમણે કહ્યું, “મનસુખ વસાવા શું કરવા માંગે છે, શું કહેવા માંગે છે, એમને પોતાને જ ખબર નથી. AAPનું કદ દિવસેને દિવસે વધી રહ્યું છે, તેના કારણે તેઓ બોખલાઈ ગયા છે.”
તેમણે મનસુખ વસાવાના 30-35 વર્ષના સાંસદ તરીકેના કાર્યકાળ પર પ્રશ્ન ઉઠાવ્યા અને કહ્યું કે, “તેમણે વિકાસના કામ કર્યા નથી. ખરાબ રસ્તાઓ, જર્જરીત શાળાઓ, શિક્ષકોની કમી, હોસ્પિટલોમાં ડોક્ટર અને સાધનોની અભાવ જેવા મુદ્દાઓ પર તેઓ ચર્ચા કરે. વાગરા, જંબુસર, આમોદ જેવા વિસ્તારોમાં તેઓ કેમ નથી જતા?”નિરંજન વસાવાએ મનસુખ વસાવાને ‘નાંદોદમાં કમલમાં બેસીને ફાંકા ફોજદારી કરવાનું બંધ કરો’ કહ્યું.
તેમણે મનસુખ વસાવાને પડકાર આપ્યો કે, “મારા અને ચૈતર વસાવાના વિરુદ્ધ કોઈ પુરાવા હોય તો અમારી સમક્ષ મૂકે.” તાજેતરની નર્મદા ઘાટ દુર્ઘટનામાં મૃતક કામદારોના પરિવારને 50 લાખની સહાય આપવાના કામનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું, “આવા કામોમાં મનસુખ વસાવા ક્યાં હતા? જો આદિવાસી સમાજની ચિંતા છે તો હાજર રહેવું જોઈતું.”
AAPની વધતી જતી લોકપ્રિયતા પર નિરંજન વસાવાએ અભિમાન વ્યક્ત કર્યો
નિરંજન વસાવાએ કહ્યું કે, “ભાજપ-કોંગ્રેસનો છેડો ફાડીને હજારો લોકો AAPની વિચારધારા સાથે જોડાઈ રહ્યા છે. અમારી સરકાર નથી છતાં પ્રજાના પ્રશ્નો ઉકેલવાનો પ્રયત્ન કરીએ છીએ.” આ વિવાદ નર્મદા જિલ્લામાં રાજકીય તણાવ વધારી રહ્યો છે, જ્યાં AAP વિકાસ અને પ્રજાજાગૃતિ પર ભાર મૂકી રહી છે.
આ પણ વાંચો:
Gujarat: વરસાદી માહોલ વચ્ચે ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાતા ફરી ભારે વરસાદની આગાહી
Gujarat: 60 ગામડાઓ શહેરમાં ભળી ગયા, સવલતો મળતી નથી
Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!






