
Tragic Deaths at Kumbh Mela: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાયેલા મેળામાં થયેલી ભાગદોડમાં 30 વધુ ભક્તોના મોત થઈ ગયા છે. જ્યારે 60થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ મેળામાં વિદેશ સહિત વિવિધ રાજ્યમાં લોકો ગયા હતા. ત્યારે ગુજરાતના મહેસાણામાંથી ગયેલી 1 વ્યક્તિનું મોત થયું છે.
મહાકુંભમાં મહેસાણા જીલ્લાના વિસનગરના કડા ગામના વતની 65 વર્ષીય મહેશભાઈ સોમાભાઈ પટેલનું મોત થયું છે. તેઓ હાલ સુરત રહેતાં હતા. પરિવારમાં માતમ છવાઈ ગયો છે. સંગમ સ્થાન તરફ જતા ભાગદોડમાં મહેશભાઈનું મોત થયું હોવાનું પરિવારજનો જણાવી રહ્યા છે. મૃતક અમદાવાથી મિત્રો સાથે બસમાં મહાકુંભમાં ગયા હતા. ત્યારે તેમનું મોત થયું છે. એમ્બ્યુલન્સ મારફતે મૃતકને વતન પરત લવાશે.
આ પણ વાંચોઃ Mahakumbh Stampede: મૌની અમાવસ્યાના દિવસે અફરાતફરી કેમ થઈ? જાણો ભીડ બેકાબૂ થવાના 5 કારણો