
- સ્કોર્પિયો લઈને જમવા નિકળ્યા વિદ્યાર્થી; કંટ્રોલ ગુમાવતા સર્જોયો ગમખ્વાર અકસ્માત- બેના મોત
હિંમતનગર: રાજ્યમાં ઓવરસ્પીડના કારણે પ્રતિદિવસ ગમખ્વાર અકસ્માતમાં અનેક લોકો જીવ ગુમાવી રહ્યાં છે. અકસ્માતનો સિલસિલો યથાવત છે. આજે મંગળવારે વિજાપુર હાઇવે પર બપોરે સર્જાયેલા એક અકસ્માતમાં 2 વિદ્યાર્થીઓના કરૂણ મોત નિપજ્યા છે. આ ઘટનાથી માતા-પિતાને પણ શિખામણ લેવાની જરૂરત છે. કેમ કે શાળામાં ભણતા બાળકોને સ્કોર્પિયો
પ્રાપ્ત માહિતી અનુસાર હિંમતનગર-વિજાપુર હાઇવે પર સતનગર નજીક સ્કોર્પિયો ગાડી અકસ્માતનો ભોગ બની હતી. સ્કૂલના 6 જેટલા વિદ્યાર્થીઓ સ્કોર્પિયો ગાડી લઇને જમવા જઇ રહ્યા હોવાની માહિતી સામે આવી રહી છે. પૂરપાટ ઝડપે જઇ રહેલા વિદ્યાર્થીઓએ સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર વિજળીના થાંભલા સાથે ધડાકા સાથે અથડાઇ ગઈ હતી.
વીજપોલ સાથે અથડાય તે પહેલા સ્કોર્પિયો 4થી 5 ગુલાટી ખાઇ ગઇ હતી. આ અકસ્માતમાં 12માં ધોરણમાં અભ્યાસ કરતાં બે વિદ્યાર્થીઓના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય બે વિદ્યાર્થીઓને ગંભીર ઇજા પહોંચી તો 2 વિદ્યાર્થીઓને સામાન્ય ઇજાઓ પહોંચતાં તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
અકસ્માતની જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. અકસ્માતમાં મોત ભેટેલા વિદ્યાર્થીઓ હિંમતનગરના પાણપુર પાટિયા વિસ્તારના રહેવાસી હતા. પોલીસે બંનેની ડેડેબોડીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે મોકલી દીધી હતી.
હાલમાં પોલીસ કાર કોણ ચલાવી રહ્યું હતું અને કારમાં કોણ કોણ સવાર હતું તે અંગેની તપાસ કરી રહી છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો- સંસદમાં પીએમ મોદીનું ભાષણ: અમે ગરીબોને ખોટા નારા નહીં, પણ સાચો વિકાસ આપ્યો