Gujarat News: ગુજરાતમાં કેટલાક પેટ્રોલ પંપો પર ‘નો સ્ટોક’ના બોર્ડ લાગ્યા! લોકોમાં ગેસ બાદ હવે પેટ્રોલ લેવા લાગી કતારો ! સરકાર કહે છે, “અફવા છે!”

Gujarat News: : ઈરાન યુદ્ધના કારણે દેશમાં ગેસ બાદ હવે પેટ્રોલની તંગી ઉભી થઇ હોવાના અહેવાલો છે ત્યારે ગુજરાતમા મોટાભાગના શહેરોમાં સાદા પેટ્રોલનો જથ્થો ખૂટી પડતા અનેક પેટ્રોલ પંપો બંધ હાલતમાં જોવા મળ્યા છે. જે પંપો ચાલુ છે ત્યાં પ્રીમિયમ અથવા પાવર પેટ્રોલ જ મળતું હોવાથી મોંઘા ભાવનું પાવર પેટ્રોલ પુરાવવા માટે પણ લોકોની લાંબી કતારો લાગી છે, ઘણાતો રસ્તામાં પેટ્રોલ ખૂટી જવાથી અને નજીકના પંપો બંધ હોવાથી અનેક વાહનચાલકો ધક્કા મારીને અન્ય પેટ્રોલ પંપ સુધી ભર તડકામાં જતા નજરે પડ્યા હતા.

રાજ્યમાં અમદાવાદ, રાજકોટ અને વડોદરા જેવા મહાનગરોમાં કેટલાક પેટ્રોલ પંપો પર ‘સ્ટોક નથી’ ના બોર્ડ લાગી ગયા છે. સપ્લાય ખોરવાવાને કારણે અનેક પંપો બંધ રહેતા તેની સીધી અસર ચાલુ પંપો પર જોવા મળી રહી છે જ્યારે અમુક પેટ્રોલ પંપો ખુલ્લા છે, ત્યાં વાહનચાલકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે.

જોકે,રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આ વાતને અફવા ગણાવી રહયા છે અને તેઓએ જણાવ્યું છે કે રાજ્યમાં ઈંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને નાગરિકોએ ગભરાવાની જરૂર નથી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ બાબતે દર બે દિવસે આ બાબતનો ખાસ રિવ્યૂ લઈ રહ્યા હોવાનું સરકાર જણાવી રહી છે તો બીજી તરફ પેટ્રોલ પંપ બંધ થયાની વાસ્તવિક સ્થિતિ છે અને લોકોમાં પેટ્રોલ લેવા પડાપડી શરૂ થઈ છે.
જે રીતે સરકાર કહે છે કે ગેસનો પુરવઠો ઉપલબ્ધ છે અને ચિંતાની વાત નથી અને ગેસની શોર્ટજ વચ્ચે લોકો લાઈનો લગાવી રહયા છે.
આમ સરકાર કહે છે કે કોઈ મુશ્કેલી નથી પણ જમીની હકીકત વિપરીત છે તેવું લાઈનમાં ઉભેલા લોકોનું કહેવું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે લોક સભામાં પણ આજે PM નરેન્દ્ર મોદીએ પોતાના નિવેદનમાં એવી અપીલ કરી છે કે જેમ આપણે સૌએ કોરનાનો સામનો કર્યો તેમ વર્તમાન પરિસ્થિતિનો પણ સાથે મળીને સામનો કરવો પડશે. આ નિવેદનની દેશવાસીઓમાં ઘેરી અસર પડી છે અને કોરોના જેવી લોકડાઉનની પરિસ્થિતિ પેદા થવાનો ડર જોવા મળ્યો છે અને લોકો ઘરમાં ઘર વપરાશની ચીજ વસ્તુઓ સહિત પેટ્રોલ-ડિઝલનો સ્ટોક કરવા નીકળી પડતા અફરા તફરી સર્જાઈ હોવાના અહેવાલ છે.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

Related Posts

Sabarmati Jail Sewage Water Farming: સાબરમતી જેલના ‘ઝેરી’ શાકભાજી? ગટરના પાણીથી થતી ખેતીનો પર્દાફાશ!
  • May 9, 2026

Sabarmati Jail Sewage Water Farming: અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલ ગુજરાતની સૌથી મોટી જેલ છે, જ્યાં અંદાજે 4000 જેટલા કેદીઓ વસવાટ કરે છે. આ જેલ માત્ર ગુનેગારોને રાખવાનું સ્થળ નથી, પણ…

Continue reading
Gujarat 50 lakh houses promise: નરેન્દ્ર મોદીના ગુજરાત ચૂંટણી ૨૦૧૨ના વચનોનું સરવૈયું, કેટલા મકાનો મળ્યા?
  • May 9, 2026

Gujarat 50 lakh houses promise: વર્ષ ૨૦૧૨ની ગુજરાત વિધાનસભા ચૂંટણી રાજ્યના ઈતિહાસમાં અત્યંત મહત્વની સાબિત થઈ હતી. આ એ જ ચૂંટણી હતી જેણે નરેન્દ્ર મોદીને રાષ્ટ્રીય ફલક પર વડાપ્રધાન પદના મજબૂત…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Congress Attack On Pm Modi: શુભેન્દુ અધિકારીના શપથ બાદ કોંગ્રેસનો વીડિયો હુમલો, PM મોદીના જૂના નિવેદનને લઈને BJP પર સાધ્યું નિશાન

  • May 9, 2026
  • 3 views
Congress Attack On Pm Modi: શુભેન્દુ અધિકારીના શપથ બાદ કોંગ્રેસનો વીડિયો હુમલો, PM મોદીના જૂના નિવેદનને લઈને BJP પર સાધ્યું નિશાન

Arvind Kejriwal: ‘મોદી રાજમાંથી મુક્તિ અપાવશે પંજાબ’, કેજરીવાલે PM મોદીની ઔરંગઝેબ સાથે કરી તુલના

  • May 9, 2026
  • 4 views
Arvind Kejriwal: ‘મોદી રાજમાંથી મુક્તિ અપાવશે પંજાબ’, કેજરીવાલે PM મોદીની ઔરંગઝેબ સાથે કરી તુલના

Sabarmati Jail Sewage Water Farming: સાબરમતી જેલના ‘ઝેરી’ શાકભાજી? ગટરના પાણીથી થતી ખેતીનો પર્દાફાશ!

  • May 9, 2026
  • 9 views
Sabarmati Jail Sewage Water Farming: સાબરમતી જેલના ‘ઝેરી’ શાકભાજી? ગટરના પાણીથી થતી ખેતીનો પર્દાફાશ!

Abhishek Banerjee: શુભેન્દુ અધિકારી CM બનતા અભિષેક બેનર્જીનો ભાજપ પર પ્રહાર, ચૂંટણી પ્રક્રિયા અને એજન્સીઓની ભૂમિકા પર ઉઠાવ્યા સવાલ

  • May 9, 2026
  • 9 views
Abhishek Banerjee: શુભેન્દુ અધિકારી CM બનતા અભિષેક બેનર્જીનો ભાજપ પર પ્રહાર, ચૂંટણી પ્રક્રિયા અને એજન્સીઓની ભૂમિકા પર ઉઠાવ્યા સવાલ

Gujarat 50 lakh houses promise: નરેન્દ્ર મોદીના ગુજરાત ચૂંટણી ૨૦૧૨ના વચનોનું સરવૈયું, કેટલા મકાનો મળ્યા?

  • May 9, 2026
  • 8 views
Gujarat 50 lakh houses promise: નરેન્દ્ર મોદીના ગુજરાત ચૂંટણી ૨૦૧૨ના વચનોનું સરવૈયું, કેટલા મકાનો મળ્યા?

Palanpur Haridwar Fraud Case: પાલનપુરમાં ‘ચાલો હરિદ્વાર’ના નામે મોટું કૌભાંડ, ઠગબાજોએ લોકોની આસ્થાને બનાવી કમાણીનું સાધન

  • May 9, 2026
  • 6 views
Palanpur Haridwar Fraud Case: પાલનપુરમાં ‘ચાલો હરિદ્વાર’ના નામે મોટું કૌભાંડ, ઠગબાજોએ લોકોની આસ્થાને બનાવી કમાણીનું સાધન