Gujarat News: ગુજરાતમાં કેટલાક પેટ્રોલ પંપો પર ‘નો સ્ટોક’ના બોર્ડ લાગ્યા! લોકોમાં ગેસ બાદ હવે પેટ્રોલ લેવા લાગી કતારો ! સરકાર કહે છે, “અફવા છે!”

Gujarat News: : ઈરાન યુદ્ધના કારણે દેશમાં ગેસ બાદ હવે પેટ્રોલની તંગી ઉભી થઇ હોવાના અહેવાલો છે ત્યારે ગુજરાતમા મોટાભાગના શહેરોમાં સાદા પેટ્રોલનો જથ્થો ખૂટી પડતા અનેક પેટ્રોલ પંપો બંધ હાલતમાં જોવા મળ્યા છે. જે પંપો ચાલુ છે ત્યાં પ્રીમિયમ અથવા પાવર પેટ્રોલ જ મળતું હોવાથી મોંઘા ભાવનું પાવર પેટ્રોલ પુરાવવા માટે પણ લોકોની લાંબી કતારો લાગી છે, ઘણાતો રસ્તામાં પેટ્રોલ ખૂટી જવાથી અને નજીકના પંપો બંધ હોવાથી અનેક વાહનચાલકો ધક્કા મારીને અન્ય પેટ્રોલ પંપ સુધી ભર તડકામાં જતા નજરે પડ્યા હતા.

રાજ્યમાં અમદાવાદ, રાજકોટ અને વડોદરા જેવા મહાનગરોમાં કેટલાક પેટ્રોલ પંપો પર ‘સ્ટોક નથી’ ના બોર્ડ લાગી ગયા છે. સપ્લાય ખોરવાવાને કારણે અનેક પંપો બંધ રહેતા તેની સીધી અસર ચાલુ પંપો પર જોવા મળી રહી છે જ્યારે અમુક પેટ્રોલ પંપો ખુલ્લા છે, ત્યાં વાહનચાલકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે.

જોકે,રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આ વાતને અફવા ગણાવી રહયા છે અને તેઓએ જણાવ્યું છે કે રાજ્યમાં ઈંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને નાગરિકોએ ગભરાવાની જરૂર નથી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ બાબતે દર બે દિવસે આ બાબતનો ખાસ રિવ્યૂ લઈ રહ્યા હોવાનું સરકાર જણાવી રહી છે તો બીજી તરફ પેટ્રોલ પંપ બંધ થયાની વાસ્તવિક સ્થિતિ છે અને લોકોમાં પેટ્રોલ લેવા પડાપડી શરૂ થઈ છે.
જે રીતે સરકાર કહે છે કે ગેસનો પુરવઠો ઉપલબ્ધ છે અને ચિંતાની વાત નથી અને ગેસની શોર્ટજ વચ્ચે લોકો લાઈનો લગાવી રહયા છે.
આમ સરકાર કહે છે કે કોઈ મુશ્કેલી નથી પણ જમીની હકીકત વિપરીત છે તેવું લાઈનમાં ઉભેલા લોકોનું કહેવું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે લોક સભામાં પણ આજે PM નરેન્દ્ર મોદીએ પોતાના નિવેદનમાં એવી અપીલ કરી છે કે જેમ આપણે સૌએ કોરનાનો સામનો કર્યો તેમ વર્તમાન પરિસ્થિતિનો પણ સાથે મળીને સામનો કરવો પડશે. આ નિવેદનની દેશવાસીઓમાં ઘેરી અસર પડી છે અને કોરોના જેવી લોકડાઉનની પરિસ્થિતિ પેદા થવાનો ડર જોવા મળ્યો છે અને લોકો ઘરમાં ઘર વપરાશની ચીજ વસ્તુઓ સહિત પેટ્રોલ-ડિઝલનો સ્ટોક કરવા નીકળી પડતા અફરા તફરી સર્જાઈ હોવાના અહેવાલ છે.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

Related Posts

Chaitar Vasava: ચૈતર વસાવાને ૭ વર્ષની સજા, આદિવાસીઓના અવાજને દબાવવાનું રાજકીય ષડયંત્ર?
  • June 23, 2026

Chaitar Vasava: ગુજરાતના રાજકારણમાં એક મોટા ભૂકંપ સમાન ઘટનામાં, નર્મદા જિલ્લાની ડેડિયાપાડા વિધાનસભા બેઠકના આમ આદમી પાર્ટી (AAP) ના ધારાસભ્ય ચૈતર વસાવાને રાજપીપળાની સેશન્સ કોર્ટે સાત વર્ષની જેલની સજા ફટકારી…

Continue reading
Student Suicide Crisis Gujarat: ગુજરાતમાં વિદ્યાર્થી આત્મહત્યાના ચોંકાવનારા આંકડા, ચાર વર્ષમાં 1063 વિદ્યાર્થીઓએ જીવન ટૂંકાવ્યું, કોંગ્રેસે સરકારને ઘેરી
  • June 23, 2026

Student Suicide Crisis Gujarat: ગુજરાતમાં છેલ્લા ચાર વર્ષમાં વિદ્યાર્થીઓની આત્મહત્યાના આંકડાએ સમગ્ર શિક્ષણ વ્યવસ્થાની પોલ ખોલી નાખી છે. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ રજૂ કરેલા ચોંકાવનારા આંકડા મુજબ, ૨૦૨૦-૨૧…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

India Anti-Defection Law: સંસદ કે પક્ષનું પાંજરું? પક્ષપલટા વિરોધી કાયદો લોકશાહી માટે કેમ શાપરૂપ છે?

  • June 25, 2026
  • 2 views
India Anti-Defection Law: સંસદ કે પક્ષનું પાંજરું? પક્ષપલટા વિરોધી કાયદો લોકશાહી માટે કેમ શાપરૂપ છે?

UPSC CSAT Controversy: UPSC ની CSAT રમત, પ્રતિભાને ઓળખવાની પરીક્ષા કે ગ્રામીણ વિદ્યાર્થીઓને બહાર કાઢવાનું ષડયંત્ર?

  • June 25, 2026
  • 5 views
UPSC CSAT Controversy: UPSC ની CSAT રમત, પ્રતિભાને ઓળખવાની પરીક્ષા કે ગ્રામીણ વિદ્યાર્થીઓને બહાર કાઢવાનું ષડયંત્ર?

Modi Foreign Policy: મોદીની વિદેશ નીતિ સોશિયલ મીડિયા સુધી સીમિત? વિશ્વગુરુના દાવા વચ્ચે ભારતની વૈશ્વિક ભૂમિકા પર સવાલ

  • June 25, 2026
  • 6 views
Modi Foreign Policy: મોદીની વિદેશ નીતિ સોશિયલ મીડિયા સુધી સીમિત? વિશ્વગુરુના દાવા વચ્ચે ભારતની વૈશ્વિક ભૂમિકા પર સવાલ

Chaitar Vasava Case: ગુજરાતમાં 1 લાખ 25 હજાર જન પ્રતિનિધિમાં 20 ટકા આરોપી

  • June 25, 2026
  • 6 views
Chaitar Vasava Case: ગુજરાતમાં 1 લાખ 25 હજાર જન પ્રતિનિધિમાં 20 ટકા આરોપી

Shiv Sena Rebellion History: શિવસેનાનો ઇતિહાસ અને બળવાનો સિલસિલો, ભુજબલથી લઈને શિંદે અને હવે વધુ ૬ સાંસદો થયા અલગ

  • June 24, 2026
  • 7 views
Shiv Sena Rebellion History: શિવસેનાનો ઇતિહાસ અને બળવાનો સિલસિલો, ભુજબલથી લઈને શિંદે અને હવે વધુ ૬ સાંસદો થયા અલગ

Lucknow Coaching Centre Fire: લખનૌ કોચિંગ સેન્ટર અગ્નિકાંડ: ૧૫ માસૂમોના મોત, તપાસમાં ખુલ્યું ૧૦ વર્ષ જૂનું ગેરકાયદે બાંધકામનું કૌભાંડ

  • June 24, 2026
  • 7 views
Lucknow Coaching Centre Fire: લખનૌ કોચિંગ સેન્ટર અગ્નિકાંડ: ૧૫ માસૂમોના મોત, તપાસમાં ખુલ્યું ૧૦ વર્ષ જૂનું ગેરકાયદે બાંધકામનું કૌભાંડ