
સુરત(surat)ના ગોડાદરામાં ધોરણ 8ની વિદ્યાર્થિની(student)એ આપઘાત(Suicide) કરી લેતાં ગુજરાતના શિક્ષણ વિભાગમાં ખળભળાટ મચાવી દીધો છે. આદર્શ પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીની ફી બાકી હોવાથી સ્કૂલના શિક્ષકે ઈન્ટર્નલ પરીક્ષામાં બેસવા દીધી ન હતી અને આખો દિવસ ક્લાસ બહાર ઊભી રાખી હોવાનો પરિવારજનોએ ગંભીર આક્ષેપ કર્યા હતા. હાલ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.
ત્યારે હવે અમદાવાદનું શિક્ષણ વિભાગ સફાળું જાગ્યું છે. શાળાઓ માટે સૂચનો તૈયાર કરાયા છે. અમદાવાદ શહેરના શિક્ષણ અધિકારી રોહિત ચૌધરીએ એક પત્ર જાહેર કર્યો છે. જેમાં શાળા કે અન્ય શૈક્ષણિક સંકુલોમાં બાળકોને હેરાન ન કરવા સૂચનો અપાયા છે. બાળકોના હિતમાં જિલ્લા શાસનાધિકારી દ્વારા જાહેર કરેલ સૂચના અને જાહેરનામું પાલન કરવા કહેવાયું છે.
આ પણ વાંચોઃ BREAKING: ભાજપને ઝટકો, 100 જેટલા કાર્યકરોએ કમળ છોડી કોંગ્રેસનો હાથ પકડ્યો
ફી બાકી હોય તો પણ પરિક્ષામાં વિદ્યાર્થીઓને બેસવા દેવા
પત્રમાં જણાવ્યું છે કે બાળકના સર્વાંગી વિકાસનું કાર્ય શાળાઓ દ્વારા થતું હોય છે, આવા ઉમદા કાર્યના ભાગીદાર થવું તે દરેક શાળાનો ધ્યેય હોવો જોઈએ. શિક્ષક દ્વારા બાળકને સૌમ્યભરા વાતાવરણમાં શિક્ષણ કાર્ય થાય તે ખૂબ જ જરૂરી છે. કેટલી શાળાઓ દ્વારા વિદ્યાર્થીની ફી બાકી હોવાને કારણે વિદ્યાર્થીને પરિક્ષામાં ન બેસાડવા, હોલ ટીકીટ ન આપવા, રીઝલ્ટ ન આપવા જેવી ફરિયાદ અત્રે આવતી હોય છે. તેમજ શાળા દ્વારા ફી ભરવા બાબતે વિદ્યાર્થી સાથે વારંવાર મૌખિક રજુઆત કરવામાં આવે છે. જેથી બાળકના કુમળા માનસ પર વિપરિત અસર થાય છે. જેથી તમામ શાળાઓને ફી બાકી અંગે વાલી જોડે જ રજૂઆત કરવાની રહેશે. તેમજ વિદ્યાર્થીની ફી બાકી હોય તો પણ વિદ્યાર્થીને પરિક્ષામાં બેસાડવા, હોલ ટીકીટ આપવા, રીઝલ્ટ આપવા કડક સૂચન કરાયું છે.
બાળકો સાથે ખોટું વર્તન કરશે પગલાં લેવાશે
બાળકો માટે શાળા અને શિક્ષક આદર્શ હોય છે જો કે શિક્ષકો દ્વારા જ અઘટિત કાર્ય કરવામાં આવે તો બાળકોના માનસપટલ પર વિપરિત અસર કરે છે. જેના લીધે બાળક માનસિક રોગનાભોગી પણ બની શકે છે. જો કોઈપણ વ્યક્તિ દ્વારા આ જોગવાઈનું ઉલ્લંઘન થતું માલૂમ પડશે અથવા તએ અંગે કોઈ રજૂઆત કે ફરિયાદ મળશે અને તેમા તથ્ય જણાશે તો શિસ્તભંગના પગલાં લેવામાં આવશે.
અમદાવાદ શહેર શિક્ષણ અધિકારી રોહિત ચૌધરીએ શું કહ્યું?
આ પણ વાંચોઃ AHMEDABAD COLDPLAY CONCERT: મુંબઈથી અમદાવાદ બે દિવસ સ્પેશિયલ ટ્રેનો દોડશે, લોકોની સુવિધામાં વધારો