સુરતની ઘટના બાદ અમદાવાદ DEOએ જાહેર કર્યો પત્ર, ફી બાકી હોય તો વિદ્યાર્થીઓને બહાર ન કાઢી શકાય

  • Gujarat
  • January 23, 2025
  • 1 Comments

સુરત(surat)ના ગોડાદરામાં ધોરણ 8ની વિદ્યાર્થિની(student)એ આપઘાત(Suicide) કરી લેતાં ગુજરાતના શિક્ષણ વિભાગમાં ખળભળાટ મચાવી દીધો છે. આદર્શ પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીની ફી બાકી હોવાથી સ્કૂલના શિક્ષકે ઈન્ટર્નલ પરીક્ષામાં બેસવા દીધી ન હતી અને આખો દિવસ ક્લાસ બહાર ઊભી રાખી હોવાનો પરિવારજનોએ ગંભીર આક્ષેપ કર્યા હતા. હાલ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.

ત્યારે હવે અમદાવાદનું શિક્ષણ વિભાગ સફાળું જાગ્યું છે. શાળાઓ માટે સૂચનો તૈયાર કરાયા છે. અમદાવાદ શહેરના શિક્ષણ અધિકારી રોહિત ચૌધરીએ એક પત્ર જાહેર કર્યો છે. જેમાં શાળા કે અન્ય શૈક્ષણિક સંકુલોમાં બાળકોને હેરાન ન કરવા સૂચનો અપાયા છે. બાળકોના હિતમાં જિલ્લા શાસનાધિકારી દ્વારા જાહેર કરેલ સૂચના અને જાહેરનામું પાલન કરવા કહેવાયું છે.

આ પણ વાંચોઃ BREAKING: ભાજપને ઝટકો, 100 જેટલા કાર્યકરોએ કમળ છોડી કોંગ્રેસનો હાથ પકડ્યો

ફી બાકી હોય તો પણ પરિક્ષામાં વિદ્યાર્થીઓને બેસવા દેવા 

પત્રમાં જણાવ્યું છે કે બાળકના સર્વાંગી વિકાસનું કાર્ય શાળાઓ દ્વારા થતું હોય છે, આવા ઉમદા કાર્યના ભાગીદાર થવું તે દરેક શાળાનો ધ્યેય હોવો જોઈએ. શિક્ષક દ્વારા બાળકને સૌમ્યભરા વાતાવરણમાં શિક્ષણ કાર્ય થાય તે ખૂબ જ જરૂરી છે. કેટલી શાળાઓ દ્વારા વિદ્યાર્થીની ફી બાકી હોવાને કારણે વિદ્યાર્થીને પરિક્ષામાં ન બેસાડવા, હોલ ટીકીટ ન આપવા, રીઝલ્ટ ન આપવા જેવી ફરિયાદ અત્રે આવતી હોય છે. તેમજ શાળા દ્વારા ફી ભરવા બાબતે વિદ્યાર્થી સાથે વારંવાર મૌખિક રજુઆત કરવામાં આવે છે. જેથી બાળકના કુમળા માનસ પર વિપરિત અસર થાય છે. જેથી તમામ શાળાઓને ફી બાકી અંગે વાલી જોડે જ રજૂઆત કરવાની રહેશે. તેમજ વિદ્યાર્થીની ફી બાકી હોય તો પણ વિદ્યાર્થીને પરિક્ષામાં બેસાડવા, હોલ ટીકીટ આપવા, રીઝલ્ટ આપવા કડક સૂચન કરાયું છે.

બાળકો સાથે ખોટું વર્તન કરશે પગલાં લેવાશે

બાળકો માટે શાળા અને શિક્ષક  આદર્શ હોય છે જો કે શિક્ષકો દ્વારા જ અઘટિત કાર્ય કરવામાં આવે તો બાળકોના માનસપટલ પર વિપરિત અસર કરે છે. જેના લીધે બાળક માનસિક રોગનાભોગી પણ બની શકે છે. જો કોઈપણ વ્યક્તિ દ્વારા આ જોગવાઈનું ઉલ્લંઘન થતું માલૂમ પડશે અથવા તએ અંગે કોઈ રજૂઆત કે ફરિયાદ મળશે અને તેમા તથ્ય જણાશે તો શિસ્તભંગના પગલાં લેવામાં આવશે.

અમદાવાદ શહેર શિક્ષણ અધિકારી રોહિત ચૌધરીએ શું કહ્યું?

 

 

આ પણ વાંચોઃ AHMEDABAD COLDPLAY CONCERT: મુંબઈથી અમદાવાદ બે દિવસ સ્પેશિયલ ટ્રેનો દોડશે, લોકોની સુવિધામાં વધારો

આ પણ વાંચોઃ Maharashtra: ટ્રેન અકસ્માતમાં મૃત્યુઆંક 13 પર પહોંચ્યો, મુસાફરો એક ટ્રેનમાંથી કુદ્યા તો બીજી ટ્રેન નીચે કચડાયા

Related Posts

Gujarat ST: પોરબંદર-વેરાવળ લોકલ બસને એક્સપ્રેસ બનાવી દીધી, ગુજરાત ST ની તહેવારી લૂંટ! 
  • October 28, 2025

Gujarat ST Bus Negligence: દિવાળીના તહેવારની રોણક વચ્ચે ગુજરાત રાજ્ય પરિવહન નિગમ (એસટી)એ મુસાફરોની મજબૂરીનો ફાયદો ઉઠાવીને એક નવો વિવાદ સર્જ્યો છે. પોરબંદરથી વેરાવળ જતી નિયમિત લોકલ બસ (સાંજે 5:30…

Continue reading
 Amreli:રાજુલાના ધારેશ્વરની ધાતરવડી નદીમાં ન્હાવા પડેલા 4 યુવાનો ડૂબ્યા, મામલતદાર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી
  • October 28, 2025

Amreli: અમરેલીના રાજુલા તાલુકાના ધારેશ્વર ગામ નજીક વહેતી ધાતરવડી નદીમાં ન્હાવા જતા ચાર યુવાનો પાણીમાં ડૂબી ગયા હોવાની દુઃખદ ઘટના સામે આવી છે. આ યુવાનો રાજુલા તાલુકાના બર્બટાણા ગામના રહેવાસી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gujarat ST: પોરબંદર-વેરાવળ લોકલ બસને એક્સપ્રેસ બનાવી દીધી, ગુજરાત ST ની તહેવારી લૂંટ! 

  • October 28, 2025
  • 3 views
Gujarat ST: પોરબંદર-વેરાવળ લોકલ બસને એક્સપ્રેસ બનાવી દીધી, ગુજરાત ST ની તહેવારી લૂંટ! 

Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!

  • October 28, 2025
  • 5 views
Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!

 Amreli:રાજુલાના ધારેશ્વરની ધાતરવડી નદીમાં ન્હાવા પડેલા 4 યુવાનો ડૂબ્યા, મામલતદાર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી

  • October 28, 2025
  • 12 views
 Amreli:રાજુલાના ધારેશ્વરની ધાતરવડી નદીમાં ન્હાવા પડેલા 4 યુવાનો ડૂબ્યા, મામલતદાર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી

કચ્છમાં મોટા પ્રમાણમાં મેન્ગ્રોવ ઉછેરવાનો દાવો PM મોદીનો ખોટો? | Mangrove Trees

  • October 28, 2025
  • 15 views
કચ્છમાં મોટા પ્રમાણમાં મેન્ગ્રોવ ઉછેરવાનો દાવો PM મોદીનો ખોટો? | Mangrove Trees

BOTAD:કપાસના કળદા વિવાદમાં મોદીની બેઇમાની, 2010 માં મનમોહનને જવાબદાર ઠેરવતા આજે તો પોતાની જ સરકારની નીતિઓએ ખેડૂતોને બરબાદ કર્યા!

  • October 28, 2025
  • 6 views
BOTAD:કપાસના કળદા વિવાદમાં મોદીની બેઇમાની, 2010 માં મનમોહનને જવાબદાર ઠેરવતા આજે તો પોતાની જ સરકારની નીતિઓએ ખેડૂતોને બરબાદ કર્યા!

8th Pay Commission: 8મા પગાર પંચની રચનાને કેન્દ્ર સરકારે આપી મંજૂરી, 18 મહિનામાં ભલામણો આપશે, જાણો વધુ

  • October 28, 2025
  • 14 views
8th Pay Commission: 8મા પગાર પંચની રચનાને કેન્દ્ર સરકારે આપી મંજૂરી, 18 મહિનામાં ભલામણો આપશે, જાણો વધુ