
Ahmedabad: અમદાવાદના વાસણા વિસ્તારમાંથી પસાર થતી ફતેહવાડી કેનાલમાં સ્કોરિયો કાર ખાબકી હતી. ત્યારે આખ રીતની ભારે જહેમત બાદ બે લોકોના મૃતદેહ મળ્યા હતા. ત્યારે આજે ન્ય એક વ્યક્તિ ક્રિશ દેવનો મૃતદેહ મળી આવ્યો છે.
ફતેહવાડી કેનાલમાં રીલ્સના ચક્કરમાં 3 યુવકો સ્કોર્પિયો કાર સાથે કેનાલમાં ખાબક્યા હતા. યુવકો ભાડે સ્કોર્પિયો લઈને રિલ્સ બનાવવા આવ્યા હતા. જેમાંથી સગીર વયના યશ સોલંકીને ગાડી ચલાવતાં આવડતું ન હતુ. તેમ છતાં તેને રિલ્સ બનાવવા કેનાલ પર ગાડી ચલવી હતી. જેમાં ટર્ન ન વાગતાં સીધી કેનાલમાં ખાબકી ગઈ હતી.
આ ઘટના 5 તારીખે સાંજે બની હતી. કેનાલમાં પાણી પ્રવાહ વધુ હતો. જેથી ત્રણેય લોકો તણાઈ ગયા હતા. ફાયર વિભાગની ટીમે 6 માર્ચે સવાર સુધી બે યુવકના મૃતદેહને શોધ્યા હતા. પરંતુ એક મળી આવ્યો ન હતો. ત્યારે આજે 7 માર્ચે ત્રીજા ક્રિશ દેવનો મૃતદેહ મળી આવ્યો છે. હવે ગાડી ભાડે આપનાર સામે ગુનો નોંધાવામાં આવ્યો છે.
કાર ભાડે લાવ્યા હતા
યુવકો કાર 3500 રૂપિયામાં ચાર કલાક ભાડેથી લાવવામાં આવી હતી. જેથી તેઓ રીલ્સ બનાવીને પોતાનો રોલો પાડી શકે. આ સમગ્ર ઘટના અંગે એમ ડિવિઝન ટ્રાફિફ પોલીસે તપાસ શરૂ કરી છે. મૃતક ત્રણ સિવાય અન્ય લોકો પણ રિલ્સ બનાવવા આવ્યા હતા.
મોતને ભેટેલા વ્યક્તિોઓના નામ
યક્ષ ભંકોડિયા
યશ સોલંકી
ક્રિશ દવે
આ પણ વાંચોઃ ગુજરાતનું ભવિષ્ય કુપોષિત; રાજ્ય સરકારના ‘કુપોષણમુક્ત ગુજરાત’ના દાવા માત્ર દંભ
આ પણ વાંચોઃ ચીનને એકાએક ભારતની દોસ્તી યાદ આવી, કહ્યું- ‘ડ્રેગન-હાથી સાથે મળીને દુનિયા બદલી શકે છે’