
તાજેતરમાં અમેરલીમાંથી લેટરકાંડ સામે આવ્યો હતો. જેમાં એક પાટીદાર યુવતીનું નામ સામે આવતાં તેને ઘરેથી ઉઠાવી પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવી હતી. જ્યાં તેને રાત વિતાવ્યા બાદ કોર્ટ દ્વારા જામીન આપવામાં આવતાં છૂટી હતી. ત્યારે આ મામલો ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો છે. કારણ કે કોઈ પોલીસ દ્વારા મહિલાની સાંજ પછી કે રાત્રે ધરપકડ થઈ શકે નહી. તો આ યુવતીની રાત્રે કેવી રીતે ધરપકડ કરાઈ?. પોલીસ દ્વારા રાત્રે ધરપકડ કરતાં રક્ષક જ કાયદાના ભક્ષક બન્યા. સાથે જ દિકરીને આખા સમાજમાં બદનામ કરી છે. આ મામલાને લઈ ગુજરાતભરમાં રોષ ભભક્યો છે. તેના સમર્થનમાં પાટીદારો સહિત રાજકીય નેતાઓ આવ્યા છે. મહિલા કોંગ્રેસ નેતા જેનીબેન ઠુમ્મરે તંત્ર પર આકરા પ્રહાર કર્યા છે. સાથે પાટીદાર યુવતીએ ટાઈપ કરેલો લેટર સાચું હતો કે ખોટો? તે તમામ સવાલો અંગે THE ગુજરાત REPORTના ફાઉન્ડર અને એડિટર મયૂર જાનીએ કોંગ્રેસ મહિલા નેતા જેનીબેન ઠુમ્મરે સાથે ચર્ચા કરી. જુઓ આ ખાસ વિડિયો.
આ સમાચાર પણ વાંચોઃ ચીનમાં ફેલાતા HMPV વાયરસથી ભારતમાં ગભરાટ, 6 કેસ નોંધાયા, જાણો ક્યા લોકોને વધુ જોખમ?