
Amreli-Rajula Triple Accident: અમરેલીના રાજુલા નજીક આજે ભયંકર ટ્રિપલ અકસ્માત થયો છે. અમરેલી-ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર રાજુલાના હિંડોરણા રોડ પાસે મીરા દાતાર પાસે બસ, કાર અને બાઈક વચ્ચે અકસ્માત થયો છે. આ ઘટનામાં કારમાં સવાર ત્રણ લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત થઈ ગયા છે. જ્યારે અન્ય ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડાયા છે. અકસ્માત બાદ ટ્રાફિક જામ થઈ ગયો હતો. લોકોના ટોળેટોળા પણ એકઠા થઈ ગયા હતા. હાલ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
બાઈક ચાલક એસટી બસમાં ઘૂસી ગયો
જાણવા મળી રહ્યું છે કે સ્વિફ્ટ કારમાં ત્રણ લોકોના મોત થયા છે. તે પાદરાના વતની હોવાનું સામે આવ્યું છે. તેઓ દીવ તરથી આવી રહ્યા હતા. જ્યારે બાઈકચાલકને એસટી બસ પાછળ ઘૂસી જવાને કારણે ઇજાગ્રસ્ત થયો છે. પ્રાથમિક માહિતી મુજબ રોંગ સાઈડથી આવતી સ્વિફ્ટ કાર ઊછળીને એસટી બસની સાઇડમાં આવી જતાં આ અકસ્માત થયો.
ઘટનાની જાણ થતાં જ રાજુલા પોલીસ અને એસટી ડેપોના અધિકારીઓ અકસ્માત સ્થળે દોડી ગયા હતા.
આ પણ વાંચોઃ
વડોદરાની દિકરીનું અપમાન કરનાર ભાજપા નેતાએ માફી માગી, પાર્ટીએ ખખડાવ્યા! | Vijay Shah
Rajkot: 13 વર્ષની સગીરાના 33 અઠવાડિયાના ગર્ભપાતને કોર્ટની મંજૂરી, ભાઈએ આચર્યું હતું દુષ્કર્મ!
ભારતના BSF જવાન પૂર્ણમ કુમાર સાહુને પાકિસ્તાનને 20 દિવસ પછી પરત આપ્યો | Poornam Kumar Sahu
Kheda: શેઢી બ્રિજની કામગીરી વખતે શ્રમિક 50 ફૂટ નીચે નદીમાં ખાબક્યો, થયું મોત
CJI BR Gavai: જસ્ટિસ ભૂષણ રામકૃષ્ણ ગવઈ નવા CJI બન્યા, કેટલો કાર્યકાળ રહેશે?
ભારતના BSF જવાન પૂર્ણમ કુમાર સાહુને પાકિસ્તાનને 20 દિવસ પછી પરત આપ્યો
BJP નેતા દિલીપ ઘોષના પુત્રનું મોત, ફ્લેટમાંથી લાશ મળી, માતાના બીજા લગ્નથી પુત્ર શું નારાજ હતો?
Rajkot: નર્સને છરીથી રહેંસી નાખી, પાડોશીની ધરપકડ, અમદાવાદથી રાજકોટ થઈ હતી બદલી
The Gujarat report NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:
