Ahmedabad: બાંગ્લાદેશીઓના આધાર-પાનકાર્ડ ભાજપ-કોંગ્રેસના કોર્પોરેટરોના લેટરપેડથી બન્યાના આરોપ!

Ahmedabad: પહેલગામ આતંકી હુમલા બાદ પાકિસ્તાન અને બાંગ્લાદેશના નાગરિકોની હાકલપટ્ટી કરવાનું શરુ કરાયું હતુ. સાથે સાથે અમદાવાદના ચંડોળામાં વસતાં બાંગ્લાદેશીઓ સામે કાર્યાહી કરવામાં આવ હતી. ત્યારે તપાસમાં જાણવા મળ્યું હતુ કે બાંગ્લાદેશીઓએ વર્ષોથી રહેતાં હોવાનું જણાવી પુરાવા પણ બતાવ્યા હતા. જેની તપાસ કરતાં મોટો ઘટસ્ફોટ થયો છે. ભાજપ-કોંગ્રેસના લેટરપેડના આધારે જ આધારકાર્ડ અને પાનકાર્ડ જેવા ડોક્યુમેન્ટ બનાવાયા હોવાના આરોપ છે.

શહેઝાદ પઠાણ સહિતના કોંગ્રેસના કોર્પોરેટરના લેટરપેડનો ઉપયોગ

મિડિયા અહેવાલો અનુસાર અમદાવાદના ચંડોળા વિસ્તારમાંથી 200 જેટલા બાંગ્લાદેશીઓનો દેશનિકાલ કરાયો છે.  જો કે, પોલીસ તપાસમાં ચોકાવનારી વિગતો સામે આવી છે. અહીં રહેતા કેટલાક બાંગ્લાદેશીઓએ કોર્પોરેટરોના લેટરપેડના આધારે પાસપોર્ટ પણ બનાવી લીધા હોવાનું સામે આવ્યું છે. ગુજરાત એટીએસની ટીમે ડોક્યુમેન્ટ બનાવી આપનાર એક બાંગ્લાદેશી  એજન્ટ સહિત બેની અમદાવાદમાંથી ધરપકડ  કરવામાં આવી છે.  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા શહેઝાદ પઠાણ સહિતના કોંગ્રેસના કોર્પોરેટરના લેટરપેડનો ઉપયોગ કરાયો હોવાનું બહાર આવ્યું છે.

બે શખ્સોની ધરપકડ

ગુજરાત ATS એ બાતમીના આધારે રાણા સરકાર ઉર્ફે મોહમ્મદ દીદાર આલમ નામના બાંગ્લાદેશીની ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપીઓની દુકાનમાંથી અસંખ્ય બોગસ ડોક્યુમેન્ટ અને આઈડી પ્રુફ મળી આવ્યા છે. તે બાંગ્લાદેશીઓને આધારકાર્ડ, પાનકાર્ડ,ચૂંટણી કાર્ડ સહિતના ડોક્યુમેન્ટ બનાવી આપતો હતો. ચોંકાવનારી બાબત એ પણ સામે આવી છે કે, ઘૂસણખોરોના બોગસ આધારકાર્ડ અને પાનકાર્ડ જેવા આઈડી પ્રુફ બનાવવા માટે સ્થાનિક ભાજપ-કોંગ્રેસના કોર્પોરેટરના લેટરપેડનો પણ દુરુપયોગ કરવામાં આવ્યો હોવાનુ ખૂલ્યું છે. .

ATS એ રાણા સરકાર અને અન્ય એક શોએબ મોહમ્મદની ધરપકડ કરી છે. રાણા સરકાર મૂળ બાંગ્લાદેશનો નિવાસી છે. હાલ બંને વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચોઃ

‘સાંજ ઢળતાં પહેલા ભાજપા નેતા Vijay Shah નું રાજીનામું જોઈએ’, મોદીએ સિંદૂરનો સોદો કેમ કર્યો?

વડોદરાની દિકરીનું અપમાન કરનાર ભાજપા નેતાએ માફી માગી, પાર્ટીએ ખખડાવ્યા! | Vijay Shah

Rajkot: 13 વર્ષની સગીરાના 33 અઠવાડિયાના ગર્ભપાતને કોર્ટની મંજૂરી, ભાઈએ આચર્યું હતું દુષ્કર્મ!

ભારતના BSF જવાન પૂર્ણમ કુમાર સાહુને પાકિસ્તાનને 20 દિવસ પછી પરત આપ્યો | Poornam Kumar Sahu

Kheda: શેઢી બ્રિજની કામગીરી વખતે શ્રમિક 50 ફૂટ નીચે નદીમાં ખાબક્યો, થયું મોત

CJI BR Gavai: જસ્ટિસ ભૂષણ રામકૃષ્ણ ગવઈ નવા CJI બન્યા, કેટલો કાર્યકાળ રહેશે?

ભારતના BSF જવાન પૂર્ણમ કુમાર સાહુને પાકિસ્તાનને 20 દિવસ પછી પરત આપ્યો

The Gujarat report NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:

https://chat.whatsapp.com/LjEq7pr7nY4Ij0y0yswrPF

 

Related Posts

Jungleshwar Demolition Food Bill: ૨૭ લાખનો નાસ્તો, શું રાજકોટ મનપાના અધિકારીઓ માટે જંગલેશ્વર ડિમોલિશન એક ‘પાર્ટી’ હતી?
  • June 26, 2026

Jungleshwar Demolition Food Bill: રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ગત ફેબ્રુઆરી મહિનામાં થયેલું મેગા ડિમોલિશન એક તરફ હજારો પરિવારો માટે તેમના જીવનનો સૌથી કાળો અધ્યાય બનીને રહ્યું, તો બીજી તરફ આ જ…

Continue reading
Gujarat Fake Blood Plasma Racket: ગુજરાતમાં નકલી બ્લડ પ્લાઝ્માના કરોડોના કથિત કારોબારનો પર્દાફાશ
  • June 26, 2026

Gujarat Fake Blood Plasma Racket: ગુજરાતમાંથી એક અત્યંત ચોંકાવનારી અને માનવતાને લાંછન લગાડે તેવી ઘટના સામે આવી છે, જ્યાં કૅન્સર અને હીમોફીલિયા જેવા જીવલેણ રોગોની સારવાર માટે વપરાતા ‘પીળા બ્લડ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP Brahmin Politics: ઉત્તર પ્રદેશમાં બદલાતા રાજકીય સમીકરણો, શું બ્રાહ્મણ વોટ બેંકમાં સેંધ મારી શકશે સમાજવાદી પાર્ટી?

  • June 28, 2026
  • 4 views
UP Brahmin Politics: ઉત્તર પ્રદેશમાં બદલાતા રાજકીય સમીકરણો, શું બ્રાહ્મણ વોટ બેંકમાં સેંધ મારી શકશે સમાજવાદી પાર્ટી?

Bet Dwarka Temple Treasure Controversy: આ કયો મોરલો કળા કરી જાય છે ભાઈ? રામ પછી હવે કાનુડાના ઘેર ધાડ!

  • June 28, 2026
  • 6 views
Bet Dwarka Temple Treasure Controversy: આ કયો મોરલો કળા કરી જાય છે ભાઈ? રામ પછી હવે કાનુડાના ઘેર ધાડ!

Ayodhya Ram Mandir Donation Theft: VHP-BJP-RSSનું મંદિર ષડયંત્ર, ડો. તોગડિયાને હટાવનારાનું ખરું સત્ય

  • June 28, 2026
  • 10 views
Ayodhya Ram Mandir Donation Theft: VHP-BJP-RSSનું મંદિર ષડયંત્ર, ડો. તોગડિયાને હટાવનારાનું ખરું સત્ય

Madras High Court: ઇસ્લામ ધર્મ અપનાવનારાઓને પછાત વર્ગનો દરજ્જો નહીં મળે – મદ્રાસ હાઈકોર્ટ

  • June 27, 2026
  • 6 views
Madras High Court: ઇસ્લામ ધર્મ અપનાવનારાઓને પછાત વર્ગનો દરજ્જો નહીં મળે – મદ્રાસ હાઈકોર્ટ

Venkat Narayana Appointment Controversy: વિજયની ફિલ્મના નિર્માતા વેંકટ નારાયણને દિલ્હીમાં તમિલનાડુના વિશેષ પ્રતિનિધિ બનાવાતા રાજકીય વિવાદ

  • June 27, 2026
  • 7 views
Venkat Narayana Appointment Controversy: વિજયની ફિલ્મના નિર્માતા વેંકટ નારાયણને દિલ્હીમાં તમિલનાડુના વિશેષ પ્રતિનિધિ બનાવાતા રાજકીય વિવાદ

Indian Visa Challenges: ભારતીયો માટે વિદેશી વિઝા મેળવવું કેમ બન્યું છે વધુ મુશ્કેલ? બદલાતી વૈશ્વિક ધારણા અને વધતી શંકા

  • June 27, 2026
  • 9 views
Indian Visa Challenges: ભારતીયો માટે વિદેશી વિઝા મેળવવું કેમ બન્યું છે વધુ મુશ્કેલ? બદલાતી વૈશ્વિક ધારણા અને વધતી શંકા