ગાયોના પેટમાં જમા થતું પ્લાસ્ટિક કાઢવાનો સચોટ દેશી ઉપાય; મળશે 100% રિઝલ્ટ

  • Others
  • February 9, 2025
  • 0 Comments
  • ગાયોના પેટમાં જમા થતું પ્લાસ્ટિક કાઢવાનો સચોટ દેશી ઉપાય; મળશે 100% રિઝલ્ટ

અમદાવાદ: દેશભરમાં વર્તમાન સમયમાં પેકેજિંગ માટે પ્લાસ્ટિકનો ઉપયોગ સૌથી વધારે થાય છે. તેથી કચરાના ઢગલાઓમાં સૌથી વધારે પ્લાસ્ટિંક જોવા મળે છે. તેવામાં શહેરો અને ગામડાઓમાં ગાયો પ્લાસ્ટિકને પણ ભોજન બનાવી દઈ રહી છે. ગામડાઓમાં તો ઠિક પણ શહેરોમાં ગાયોના પેટમાં વધારે પ્રમાણમાં પ્લાસ્ટિક જઈ રહ્યું છે. તેમાંય હરાયા ગાય અને આંખલાઓનો તો ખોરાક જ જાણે પ્લાસ્ટિક થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે.

આ પ્લાસ્ટિક ખાવાના કારણે ગાયોને ખુબ જ મુશ્કેલી પડતી હોય છે. સરકાર પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછું કરવાની જાહેરાત કરી રહી છે પરંતુ પ્લાસ્ટિક આપણા જીવન સાથે સંકળાઈ ગયું છે, તેથી તેની માત્રા ઓછી થવામાં થોડો સમય લાગશે. પરંતુ પ્લાસ્ટિક ખાવાથી ગાયોની તકલીફને દૂર કરવા માટે આપણે દેશી ઉપાય કરી શકીએ છીએ. જેથી ગૌમાતાને સરળતાથી બચાવી શકાય.

ગાયો દ્વારા અખાધ્ય પ્રદાર્થો ખાવાના લીધે તે પેટમાં જમા થાય છે અને એક સમય પછી તે એક ગાંઠ સ્વરૂપે બહાર પણ દેખાવા લાગે છે. પ્લાસ્ટિક કે ચામડું ખાવાના કારણે ક્યારેક ગાયનું મોત પણ થાય છે. જો આપણે ખરેખર ગાયને માતા માનતા હોઈએ અને તેને બચાવવા માંગતા હોઈએ તો કેટલાક દેશી ઈલાજ અપનાવી શકીએ છીએ.

200 ગ્રામ દીવેલ, 200 ગ્રામ તલનું તેલ, 200 ગ્રામ સરસીયું, 100 ગ્રામ હરડેનું ચૂર્ણ આટલું ભેગું કરીને તેના ત્રણ સરખા ભાગ કરીને ત્રણ વખત આપવાથી ગાયના પેટમાં રહેલું પ્લાસ્ટિક બહાર નિકળી જાય છે.

અન્ય એક દેશી ઉપચારમાં 100 ગ્રામ લીમડો, 100 ગ્રામ એરંડા અને 100 ગ્રામ સરસવને છાશમાં મેળવી મિશ્રણ કરવું. આ મિશ્રણ ગાયના પબેટમાં ગયા પછી રાસાણીક પ્રક્રિયા શરૂ થાય છે, તેના લીધે પેટમાં રહેલું બધુ જ પ્લાસ્ટિક મળ દ્વારા બહાર નિકળી જાય છે.

આ પ્રયોગ રાજસ્થાનની ત્રણ જેટલી ગૌશાળાઓમાં હાથ ધરવામાં આવ્યો અને તેમાં 100 ટકા સફળતા મળી હતી.

આ પણ વાંચો- શંકર ચૌધરીનું મોટું નિવેદન; થરાદ-વાવ જિલ્લામાં બનશે વધુ એક તાલુકો!

  • Related Posts

    Share Market Down: રોકાણકારોને નુકસાન, સેન્સેક્સ 900 પોઈન્ટ ઘટ્યો, શું છે કારણો?
    • May 9, 2025

    Share Market: આજે એટલે કે શુક્રવાર, 9 મેએ અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે શેરબજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ લગભગ 900 પોઈન્ટ (1.14%) ઘટીને 79,400 ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો…

    Continue reading
    Solar eclipse: શનિવારે ખંડગ્રાસ સૂર્યગ્રહણનો અદ્દભુત અવકાશી નજારો જોવા મળશે
    • March 25, 2025

    Solar eclipse: 29મી માર્ચ અને શનિવારના રોજ ખંડગ્રાસનો સૂર્યગ્રહણનો અદભુત અવકાશી નજારો બનવાનો છે. આ ગ્રહણ ભારતમાં દેખાશે નહિ જયારે યુરોપ, ઉત્તર રશિયા, દક્ષિણ-પશ્ચિમ આફ્રિકામાં આહલાદક જોવા મળવાનું છે. આ…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Gujarat Rain Update: આજે ગુજરાતના આ વિસ્તારોમાં પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

    • June 16, 2025
    • 2 views
    Gujarat Rain Update: આજે ગુજરાતના આ વિસ્તારોમાં પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

    Ayodhya News: બહરાઈચ, બારાબંકી બાદ અયોધ્યામાં પણ દાદા મિયાં ઉર્સ પર પ્રતિબંધ

    • June 16, 2025
    • 4 views
    Ayodhya News: બહરાઈચ, બારાબંકી બાદ અયોધ્યામાં પણ દાદા મિયાં ઉર્સ પર પ્રતિબંધ

    પૂર્વ મુખ્યમંત્રી Vijay Rupani ના આજે થશે અંતિમ સંસ્કાર, અત્યાર સુધીમાં આટલા મૃતકોના DNA સેમ્પલ મળ્યા

    • June 16, 2025
    • 5 views
    પૂર્વ મુખ્યમંત્રી Vijay Rupani ના આજે થશે અંતિમ સંસ્કાર, અત્યાર સુધીમાં આટલા મૃતકોના DNA સેમ્પલ મળ્યા

    Earthquake in Peru: પેરુમાં મોડી રાત્રે 6.1 ની તીવ્રતાના આંચકા અનુભવાયા, એકનું મોત, અનેક ઇમારતો ધરાશાયી

    • June 16, 2025
    • 6 views
    Earthquake in Peru: પેરુમાં મોડી રાત્રે 6.1 ની તીવ્રતાના આંચકા અનુભવાયા,  એકનું મોત, અનેક ઇમારતો ધરાશાયી

    Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

    • June 15, 2025
    • 22 views
    Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

    Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

    • June 15, 2025
    • 22 views
    Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?