
● ભ્રષ્ટાચાર વિરુદ્ધ ઝુંબેશ શરૂ કરવા માટે અણ્ણા હજારેને ગુજરાત આવવાનું આમંત્રણ અપાયું હતું 2011માં તેઓએ પોતાના અનુભવોમાં આ વાત કહી હતી.
સિનિયર પત્રકાર દિલીપ પટેલે આ અંગે વિસ્તૃત છણાવટ કરી છે જે વિડીયો જોવાનું ચૂકશો નહિ.
Anna Hazare: ૧૧ એપ્રિલ, ૨૦૧૧ ની આસપાસની આ વાત છે કે જ્યારે અન્ના હજારે ગુજરાતમાં આવ્યા અને જે જોયું તે જાણી ચોંકી ગયા હતા અહીં તેઓએ દારૂબંધીના લીરેલીરા જોયા આ સિવાય એવું ઘણું જોયું ત્યારબાદ કૌભાંડોની ભૂમિ કહી હતી.
● અણ્ણાએ નરેન્દ્ર મોદીને લોકાયુક્તની નિમણૂક કરવા અને જમીન કૌભાંડો રોકવા કહ્યું હતું.
અમદાવાદમાં ‘જન સુનવાણી’ પર જાહેર સુનાવણી માટે ગુજરાત વિદ્યાપીઠ ખાતે ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શન ચળવળના વરિષ્ઠ નેતા અણ્ણા હજારે આવ્યા હતાં,જોકે,એક સમયે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની પ્રશંસા કરનારા સામાજિક કાર્યકર્તા અણ્ણા હજારેએ બાદમાં રાજ્યને “કૌભાંડોની ભૂમિ” ગણાવ્યું, જ્યાં પ્રતિબંધ હોવા છતાં, “દૂધ કરતાં વધુ દારૂ વહે છે.” ગુજરાત માટે તેમના મનમાં જે ગાંધીજીની ભૂમિની જે છબી હતી તેનાથી તેઓને ગુજરાત “અલગ” લાગ્યુ હતું,અણ્ણાએ જે તે સમયે કહ્યું હતું કે તેઓ પોતાના સાથી કાર્યકર્તાઓ સ્વામી અગ્નિવેશ અને અરવિંદ કેજરીવાલ સાથે, જન લોકપાલ બિલના મુસદ્દા માટે “અહીં આવ્યા પછી, મને સમજાયું કે ગુજરાતમાં ઘણો ભ્રષ્ટાચાર છે”
ગુજરાતમાં ફક્ત કૌભાંડો જ છે, અને એ દુઃખદ છે કે મહાત્મા ગાંધીની ભૂમિ પર દૂધ કરતાં પણ વધુ દારૂ વહે છે, દારૂ પર પ્રતિબંધ હજુ પણ અમલમાં છે મોદીને શક્ય તેટલી વહેલી તકે લોકાયુક્તની નિમણૂક કરવા અને રાજ્યમાં જમીન કૌભાંડો રોકવા માટે પગલાં લેવા વિનંતી કરી હતી તેમણે કહ્યું કે રાજ્યને મહારાષ્ટ્ર પેટર્નને અનુસરવાની જરૂર છે, જ્યાં ઉદ્યોગોને ફાળવવામાં આવેલી કોઈપણ જમીન “ગ્રામ સભાઓ” (ગ્રામ પંચાયતો) દ્વારા મંજૂર થવી જોઈએ. જમીન કૌભાંડોને રોકવાનો આ શ્રેષ્ઠ માર્ગ છે. ઔદ્યોગિક જનલોકપાલ બિલનો વર્તમાન મુસદ્દો તૈયાર થયા પછી, “આવા બળજબરીથી સંપાદન અટકાવવા માટે જમીન સુધારણા માટે એક જન આંદોલન ગુજરાતમાં શરૂ કરવામાં આવશે.”
આ સમયે કેજરીવાલે પણ ચેતવણી આપી હતી કે જો સરકાર બળજબરીથી જમીન સંપાદિત કરવાનું ચાલુ રાખશે, તો તે ગૃહયુદ્ધ તરફ દોરી શકે છે,જાહેર સુનાવણીમાં હાજરી આપવા ઉપરાંત,અન્ના હજારે અને તેમના સમર્થકોએ કેટલાક બૌદ્ધિકો સાથે એક વાર્તાલાપ સત્રમાં ભાગ લીધો અને દિવસ દરમિયાન શહેરમાં એક જાહેર સભાને સંબોધિત કરી હતી.
હજારેએ તેમની જાહેર છબી સુધારવાની પહેલી તક ઝડપી લીધી, જે તેમના સમર્થકોને છબી મોદીની “વિકાસ નીતિઓ” ની પ્રશંસા કરવાથી ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી. જ્યારે “ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શન” ના રાજ્ય એકમના કન્વીનર અને નૃત્યાંગના મલ્લિકા સારાભાઈ અને અન્ય લોકોએ ધમકી આપી હતી કે જો અન્ના હજારે પોતાનું વલણ નહીં બદલે તો તેઓ આંદોલનથી અલગ થઈ જશે, ત્યારે ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ સુદર્શન આયંગરે તેમની ટિપ્પણીઓને “ઉતાવળી અને બિનજરૂરી” ગણાવી હતી આમ તે વખતે આ રીતનું વાતાવરણ બન્યું હતું.
આ મુદ્દા ઉપર સિનિયર પત્રકાર દિલીપ પટેલે કરેલું વિસ્તુત વિશ્લેષણ અત્રે પ્રસ્તુત છે, જુઓ વિડીયો.
આ પણ વાંચો:
Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા







