
Aravalli firing: ભિલોડાના ભાણમેર ગામમાં વરઘોડા ફાયરિંગ કરવામાં આવ્યું છે. જેમાં 9 વર્ષની બાળકી સહિત 3 લોકો ઈજાનો ભોગ બન્યા છે. જેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જાણવા મળી રહ્યું છે કે આ ફાયરિંગ : નિવૃત PSI પુત્ર દ્વારા કરવામાં આવ્યું છે.
અરવલ્લીના ભિલાડા તાલુકામાં આવેલા ભાણભેર ગામમાં જાન લઈને પરત ફરી રહેલા જાનૈયાઓ પર અચાનક ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ફાયરિંગ નિવૃત્ત PSI કનૈયાલાલ બરંડા અને તેના દીકરા વૈભવે સર્વિસ રિવોલ્વરથી લોકો પર 5-6 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતુ. જેમાં એક 9 વર્ષની બાળકી, એક આધેડ અને એક યુવક ઈજાગ્રસ્ત થયો છે. ફાયરિંગના કારણે ત્યાં નાસભાગ મચી ગઈ હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે ભિલોડા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જો કે હાલત વધુ નાજૂક લાકતાં હિંમતનગર ખસેડાયા છે.
બનાવની જાણ થતાં ભિલોડા પોલીસ અને એલસીબીની ટીમએ તુરંત ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરિંગ કરનાર પુત્ર અને તેના પિતા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પ્રાથમિક માહિતી અનુસાર, હુમલાનું કારણ જૂની અદાવત હોવાનું સામે આવ્યું છે. જો કે પિતાપુત્રની હજુ સુધી ધરપકડ કરાઈ છે કે નહીં તેની માહિતી સામે આવી નથી.
આ પણ વાંચોઃ
Lions Census: ગુજરાતમાં સિંહોની 16મી વસ્તી ગણતરી થશે, 3 દિવસમાં કેવી રીતે કરશે ગણતરી?
ધ વાયરની વેબસાઇટ સરકારે બ્લોક કેમ કરી? | The wire
ગોદી મિડિયા સરકારના ડાહ્યા થવામાં ભારતનું અહિત ન કરી દે!, શું છે Media Advisory જુઓ?
Share Market Down: રોકાણકારોને નુકસાન, સેન્સેક્સ 900 પોઈન્ટ ઘટ્યો, શું છે કારણો?
PIB Fact Check: વાઈરલ થયેલા 7 ખોટા વીડિયો અંગે PIBનું ફેક્ટ ચેક, શું સામે આવ્યું?
Vadodara: ન્યાયના એજન્ડા સાથે લડી રહેલા ભાજપા કોર્પોરેટર આશિષ જોશીને સસ્પેન્શનની બક્ષીશ
