
27 ડિસેમ્બર 2025
Chotila News: સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ખરેડી ગામે રહેતા ચોટીલા ભાજપ અનુસુચિત જાતિ મોરચા મહામંત્રી કાનજીભાઈ વીરાભાઈ વાઘેલાનું કેટલાક ઈસમોએ બળજબરીપૂર્વક કારમાં બેસાડી અપહરણ કરી ઢોર માર મારવામાં આવ્યો હોવાની ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં ભારે સનસનાટી મચાવી છે.વિગતો મુજબ ભાજપના નેતા કાનજીભાઈ વીરાભાઈ વાઘેલાને કારમાં બેસાડી અપહરણ કર્યા બાદ ઢોરમાર મારવામાં આવતા તેઓને તાત્કાલિક ચોટીલા અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાની વિગતો જાણવા મળી છે.
ભાજપના અગ્રણી કાનજી ભાઈને અપહરણકારોએ સતત ત્રણ કલાક સુધી ગોંધી રાખી અલગ-અલગ વિસ્તારોમાં ફેરવી ઢીકાપાટુ અને ઢોરમાર મારી ઈંટ વડે પણ હુમલો કરી ઇજાગ્રસ્ત હાલતમાં અપહરણકારોએ તેમને બાબુભાઈ ચાવડા નામના વ્યક્તિના ઘરે છોડી દેતા તેઓને હોસ્પિટલમાં લઈ જવાયા હતા.આ આખી બબાલ કૌટુંબિક હોવાનું સામે આવી રહ્યું છે.વિગતો મુજબ રાત્રે 10 વાગ્યા આસપાસ તેઓ ચોટીલાના મારુતિનગર સોસાયટીમાં હતા ત્યારે મનોજ, વિપુલ અને તેની સાથેના મહિલા સહિત લોકોએ ઝઘડો કર્યો હોવાની વાત કહેવામાં આવી રહી છે.
આખી ઘટનામાં કૌટુંબિક ભાણેજ વહુને તેના કૌટુંબિક માસા મનોજ બાઇક ઉપર બેસાડી જતો હતો તે ભાજપના નેતા જોઈ જતા તેઓએ આ અંગેની જાણ તેઓએ રાજકોટમાં રહેતા ભાણેજને કરી દીધી હતી કે તારી પત્નીને મનોજ બાઇક ઉપર બેસાડીને લઈ જતો પોતે જોયો હતો બાદમાં તે લોકો વચ્ચે થયેલા ડખ્ખામાં રાગદ્રેષ ચાલતો હતો જેમાં મનોજે કાનજી વાઘેલાને ફોન કરી ઉગ્ર બોલાચાલી કરી હતી અને આ બોલાચાલી બાદ મનોજ ઉર્ફે માધાએ તેના સમાધાન માટે કાનજી વાઘેલાને ચોટીલા બોલાવ્યો હતો.
દરમિયાન કાનજી ભાઈ સમાધાન માટે જતા મનોજ અને વિપુલ તેમને બળજબરી પૂર્વક કારમાં અપહરણ કરી નગર પાલિકાના સ્મશાન પાસે લઈ ગયા હતા અને મોઢા પરજ પાંત્રીસ ઝાપટો મારી હતી અને ઢોરમાર માર સાથે ઈંટ માર મારવાનો આક્ષેપ થયો છે અને મુંઢ માર મારતા સિવિલ હોસિપટલમાં દાખલ કરાયા હોવાનું જાણવા મળ્યું છે.આ ઘટનાને પગલે ભારે ચકચાર મચી જવા પામી છે.
આ પણ વાંચો:
Bauxite mineral theft: ખેડાના અમૃતપુરા ગામે 62 હેક્ટર ગૌચરની જમીનમાંથી કોલસો ખોદાશે!









