
ભરૂચના દહેજમાં આવેલ GFL કંપનીમાં ગેસ ગળતરને કારણે 4 શ્રમિકોમાં મોત થતાં પરિવારોમાં આક્રંદ છે. આ ઘટના બાદ અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. ઘટનાની જાણકારી થતાં જ ફાયર વિભાગ અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
ગઈકાલે GFL કંપનીના સીએમએસ પ્લાન્ટમાં આ દુર્ઘટના બની હતી. ગેસલાઈનનો વાલ્વ લીકેજ થતા કામ કરતા કામદારોને તેની અસર થવા લાગી હતી. બનાવની ગંભીરતાને ધ્યાને લઈને અસરગ્રસ્ત કામદારોને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા. જ્યા કામદારોના મોત થયા હતા. જે બાદ મૃતદેહોના પોસ્ટમોર્ટમ કરાવી પરિવારને સોંપ્યા છે. આ ઘટનાથી શ્રમિક પરિવારોમાં ભારે દુઃખ છવાયું છે. આવી ઘટનાઓ વારંવાર બનતી રહે છે. જોથા શ્રમિકોની સુરક્ષાઓને લઈ સવાલ ઉભા થયા છે.
કંપની મૃતકોના પરિવારને આપશે 25 લાખનું વળતર
ઘટના બાદ કંપનીના ડેપ્યુટી જનરલ મેનેજર જીગ્નેશ પરમારે જણાવ્યું હતું કે, ગત રોજ રાત્રિના કંપનીમાં એક દુઃખદ બનાવ બન્યો છે. કંપની તરફથી આ લોકોને હાલમાં 25 લાખ વળતર રૂપે આપવાનું નક્કી કર્યું છે .વધુમાં વહીવટી તંત્ર દ્વારા જે નક્કી કરવામાં આવશે તે પ્રમાણે સહયોગ આપીને વળતર ચૂકવીશું.
મૃતકોના નામ
રાજેશકુમાર સુરેશચંદ્ર મગણાદીયા ઉ.વ.48, રહે. ભરૂચ
મહેશ નંદલાલ ઉ.વ.25 હાલ રહે. અંભેટા.તા.વાગરા જિ.ભરૂચ મુળ રહે. ઉત્તરપ્રદેશ
સુચિતકુમાર સુગ્રિમ પ્રસાદ ઉ.વ.39 હાલ રહે. અભેટા, તા.વાગરા, જી.ભરૂચ મૂળ રહે.ઉત્તરપ્રદેશ
મુદ્રિકા ઠાકોર પ્રસાદ યાદવ ઉ.વ.29 હાલ રહે. રાજેન્દ્રભાઈ ગોહિલની કોલોનીમાં તા.વાગરા જિ.ભરૂચ મુળ રહે.ઝારખંડ