
Bharuch Murder Case: ભરૂચના વાલીયામાં શિક્ષક દંપતીની હત્યા મામલે મોટો ખુલાસો થયો થયો છે. પોલીસે સઘન તપાસ હાથ ધરી હત્યારા જમાઈને ઝડપી લીધો છે. જમાઈને શેર માર્કેટમાં ખોટ જતાં નાણાં મેળવવાની લાલચમાં શિક્ષક દંપતિની જમાઈએ હત્યા કરી નાખી હોવાનું સામે આવ્યુ છે. જેથી વાલિયા પોલીસે હાલ આરોપી જમાઈ વિરુધ્ધ કાર્યવાહી હાથ ધરી છે.
મળતી જાણકારી અનુસાર ભરૂચના વાલીયામાં ગણેશ ગાર્ડન સોસાયટીમાં શિક્ષક દંપતીની હત્યા થઈ હતી. જમાઈને શેર માર્કેટમાં 35 લાખની ખોટ ગઈ હતી. જે ભરપાઈ કરવા વાલીયાની ગણેશ ગાર્ડન સોસાયટીમાં રહેતા શિક્ષક જીતેન્દ્રસિંહ બોરાધરા અને તેમના પત્ની લતા બોરાધરાના તીક્ષ્ણ હત્યારો વડે હત્યા કરી નાખી હતી.
જમાઈ માઇ વિવેક દુબે કરીએ કરી હત્યા
હત્યાનો ભોગ બનેલા શિક્ષક દંપતિનો જમાઈ શેર માર્કેટમાં રુપિયા રોકતો હતો. જો કે શેર માર્કેટમાં ખોટ જતાં તેના 35 લાખ ડૂબી ગયા હતા. જેથી આર્થિક સંકડામણમાં આવેલા જમાઈ માઇ વિવેક દુબે પર દેવું પણ થઈ ગયું હતુ. જેથી તેણે આ દેવું ચૂકવવા અને વધુ કમાણી કરવા માટે સાસુ-સસારની હત્યા અને લૂંટને અંજામ આપ્યો હતો. પોલીસે આરોપી જમાઈ પાસેથી લૂંટના 43 હજાર રૂપિયા અને સોનાના દાગીના કબજે કર્યા છે. હાલ પોલીસે જમાઈની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
જમાઈ જ હત્યારો નીકળતાં પંથકમાં ખળભળાટ મચી ગયો છે. લોકો વિશ્વાસથી સંબંધ બાંધતાં હોય છે. ત્યારે આવી ઘટનાઓ માનવતા અને આ દુનિયાના સંબંધ પરથી વિશ્વાસ ઓછો કરવાનું કામ કરે છે. દુનિયામાં રોજેરોજ હત્યા, બળાત્કાર, છેતપીંડ સહિતના બનાવો એક માનવ તરીકે ન શોભે તેવા કરતાં હોય છે. જેથી આ દુનિયના લોકો, સમાજમાં એક ખોટો સંદેશ જાય છે.
આ પણ વાંચોઃ Gujarat heatwave: આજે તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચશે, હીટવેવની આગાહી
આ પણ વાંચોઃGir Somanath: દિનુ બોઘાએ પોતે કરેલા દબાણો દૂર કરવા બૂલડોઝર લઈ પહોંચ્યા?, શું છે કારણ?