
Gujarat bridges close: ગુજરાતમાં ગંભીરા બ્રિજ દુર્ગટના ઘટ્યા બાદ ભાજપ સરકાર સફાળી જાગી છે. તેને નબળી ગુણવત્તાવાળા બનેવેલા પુલો બંધ કરાવાનું કાર્ય હાથ ધર્યું છે. ગત અઠવાડિયે રાજ્યના 1800થી વધુ પુલોનું નિરીક્ષણ કર્યા બાદ સરકારે 133 પુલોને બંધ કરવાનો નિર્ણય લીધો છે. આમાંથી 20 પુલોને દરેક પ્રકારના વાહનો માટે સંપૂર્ણ રીતે બંધ કરવામાં આવ્યા છે, જ્યારે 113 પુલોને આંશિક રૂપે ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યા છે. આ માહિતી રાજ્ય સરકારના પ્રવક્તા અને મંત્રી ઋષિકેશ પટેલે આપી હતી.
પુલોનું નિરીક્ષણ અને સુરક્ષા
રાજ્યના રોડ એન્ડ બિલ્ડિંગ (R&B) વિભાગ દ્વારા ગયા અઠવાડિયે રાજ્યના વિવિધ પ્રદેશોમાં આવેલા પુલોનું વ્યાપક નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. આ નિરીક્ષણમાં એન્જિનિયરો, સલાહકારો અને અધિકારીઓની ટીમોએ 1800થી વધુ પુલોની તપાસ કરી હતી. જેથી સરકારના પાપે ગંભીરા જેવી દુર્ઘટના ફરી ના બને. નિરીક્ષણ દરમિયાન ઘણા પુલો જર્જરિત હોવાનું અને તેમાં માળખાગત ખામીઓ હોવાનું જણાયું, જેના કારણે સરકારે તાત્કાલિક આ પગલું ભર્યું.
સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે જણાવ્યું, “જનસુરક્ષા એ અમારી સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. પુલોની સ્થિતિનું નિરીક્ષણ કર્યા બાદ અમે 133 પુલોને બંધ કરવાનો નિર્ણય લીધો છે, જેમાંથી 20 પુલો સંપૂર્ણ રીતે અને 113 પુલો આંશિક રૂપે બંધ કરવામાં આવ્યા છે.”
પુલોની સ્થિતિ અને બંધનું કારણનિરીક્ષણ દરમિયાન જાણવા મળ્યું કે ઘણા પુલોની ઉંમર વધુ હોવાને કારણે તેમની માળખાગત મજબૂતી ઘટી છે. કેટલાક પુલો ભારે વાહનોના વજનને સહન કરવા માટે સક્ષમ ન હતા, જેના કારણે તેમને આંશિક રૂપે બંધ કરવાનો નિર્ણય લેવાયો. 20 પુલો એવી સ્થિતિમાં હતા કે તેમનો ઉપયોગ સંપૂર્ણ રીતે બંધ કરવો જરૂરી હતો, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. આ ઉપરાંત, નદીઓ અને નહેરો પરના કેટલાક પુલો ચોમાસાની ઋતુમાં વધેલા પાણીના પ્રવાહને કારણે પણ જોખમી બન્યા હતા.જનજીવન પર અસર અને વૈકલ્પિક વ્યવસ્થાઆ 133 પુલોના બંધ થવાથી રાજ્યના ઘણા વિસ્તારોમાં ટ્રાફિક અને પરિવહન પર અસર પડી શકે છે. ખાસ કરીને, ગ્રામીણ વિસ્તારોમાં આવેલા પુલોના બંધ થવાથી સ્થાનિક લોકો અને વેપારીઓને અસુવિધા થઈ શકે છે.
સરકારે નાગરિકોને અપીલ કરી છે કે તેઓ બંધ કરાયેલા પુલોનો ઉપયોગ ન કરે અને સ્થાનિક ટ્રાફિક પોલીસ અથવા સરકારી અધિકારીઓ દ્વારા સૂચવેલા વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરે.
ગંભીરા બ્રિજ નવો બનશે
ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ સરકાર પોતાનું પાપ છૂપાવવા નવો બ્રિજ બનાવશે. મુજપુર પાસે મહીસાગર નદી પર નવો બ્રિજ બનશે. નવા ટુ લેન હાઈલેવલ બ્રિજ માટે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 212 કરોડ મંજૂર કરાયા છે. દુર્ઘટનાગ્રસ્ત બ્રિજની સમાંતર નવો બ્રિજ તૈયાર કરાશે. 18 મહિનામાં પૂલ નિર્માણ માટે ટેન્ડરિંગ પ્રક્રિયાનો તાબડતોડ આરંભ કરાયો છે.
ભૂપેન્દ્ર પટેલના સાશનમાં બનેલી દુર્ઘટનાઓ
ઉલ્લેખનીય છે ગુજરાત રાજ્યમાં ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બન્યા પછી અનેક મોટી દુર્ઘટનાઓ બની છે. જેમાં અઢળક નિર્દોષ લોકોના જીવ ગયા છે. જો કે તેમ છતાં સરકાર દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા નક્કર પગલા લેવાયા નથી. જેના પરિણામો નિર્દોષ જનાત ભોગવી રહી છે. ભૂપેન્દ્ર પટેલના રાજમાં મોટી દુર્ઘટનાઓ નીચે મુજબ છે.
મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના (30 ઓક્ટોબર 2022)
મોરબીમાં મચ્છુ નદી પરનો ઝૂલતો પુલ તૂટી પડ્યો, જેમાં 135 લોકોના મોત થયા અને 100થી વધુ લોકો ઘાયલ થયા. આ પુલ નવીનીકરણ બાદ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, પરંતુ નબળી જાળવણી અને ભીડના નિયંત્રણના અભાવે આ દુર્ઘટના સર્જાઈ. આ ઘટનાએ રાજ્ય સરકારની દેખરેખ અને સલામતી ધોરણો પર પ્રશ્નો ઉભા કર્યા.
વડોદરા બોટ દુર્ઘટના (જાન્યુઆરી 2024)
વડોદરાના હરણી લેક ઝોનમાં બોટ પલટી જવાની ઘટનામાં 12 બાળકો સહિત 14 લોકોના મોત થયા. આ ઘટનામાં બોટની ઓવરલોડિંગ અને લાઈફ જેકેટ્સના અભાવે મોટી જાનહાનિ થઈ. આ ઘટનાએ સ્થાનિક વહીવટ અને સલામતી નિયમોના અમલ પર પ્રશ્નો ઉભા કર્યા.
રાજકોટ ગેમ ઝોન આગકાંડ (25 મે 2024)
રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી ભીષણ આગમાં 27 લોકોના મોત થયા, જેમાં મોટાભાગના બાળકો અને યુવાનો હતા. આ ઘટનામાં ફાયર સેફ્ટી નિયમોનું ઉલ્લંઘન અને અધિકારીઓની બેદરકારી બહાર આવી. આગ ઝડપથી ફેલાઈ કારણ કે ગેમ ઝોનમાં જ્વલનશીલ સામગ્રીનો ઉપયોગ થયો હતો અને ફાયર એક્ઝિટની વ્યવસ્થા નહોતી. આ ઘટનાએ રાજ્યમાં સલામતી નિયમોના અમલ પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા.
અમદાવાદ એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના (12 જૂન 2025)
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પરથી લંડન જતું એર ઇન્ડિયાનું બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાન ટેકઓફ બાદ તરત જ મેઘાણી વિસ્તારમાં ક્રેશ થયું. આ દુર્ઘટનામાં 242 મુસાફરો અને 12 ક્રૂ મેમ્બર્સ હતા, જેમાંથી મોટાભાગના લોકોના મોત થયા. વિમાનમાં ભરેલું ઇંધણ આગની તીવ્રતા વધારવા માટે જવાબદાર હતું. આ ઘટનાએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે હલચલ મચાવી.
ગંભીરા બ્રિજ દુર્ઘટના (9 જુલાઈ 2025)
આણંદ અને વડોદરાને જોડતા ગંભીરા બ્રિજનો એક ગાળો તૂટી પડ્યો, જેમાં 20 લોકોના મોત થયા અને અનેક લોકો ઘાયલ થયા. આ ઘટનામાં 4 વાહનો મહીસાગર નદીમાં પડ્યા હતા. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, દાયકાઓ જૂના આ પુલના સમારકામ માટે વારંવાર ફરિયાદો કરવામાં આવી હતી, પરંતુ 2020માં થયેલા 2 કરોડના ખર્ચે કરાયેલા સમારકામમાં હલકી ગુણવત્તાના કારણે ખાડા પડી ગયા હતા, જેનું કોઈએ જવાબદારી લીધી ન હતી. આ ઘટનાએ રાજ્યના ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ગુણવત્તા અને ભ્રષ્ટાચાર પર પ્રશ્નો ઉભા કર્યા હતા. . આ ઘટના પછી રાજ્ય સરકારે તરત મૃતકોના સ્વજનોને ચાર લાખ રૂપિયાના વળતરની અને ઈજાગ્રસ્તોને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી.
આ પણ વાંચોઃ
Corruption Bridge: અમદાવાદ- રાજકોટ ધોરીમાર્ગ પર મીઠાપુર ગામે નવા રસ્તા પોપડા ઉખડ્યા | PART- 5
Corruption Bridge: પૂર્વ મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલે ટોલ વેરા બંધ કરાવી દીધા હતા | PART- 4








