નવા વર્ષે રાજ્ય સરકારની મોટી જાહેરાત; વાવ-થરાદ નવો જિલ્લો જાહેર; ગેની બેને સરકારના નિર્ણયને આવકાર્યો

નવા વર્ષે ગુજરાત સરકારે એક મોટી જાહેરાત કરી છે. આ જાહેરાત સાથે જ બનાસકાંઠાના બે મહત્વપૂર્ણ વિસ્તારોને જિલ્લાઓ બનાવી દેવામાં આવ્યા છે. ગુજરાત સરકારે વાવ-થરાદને નવા જિલ્લા તરીકે જાહેર કરી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનિય છે કે, પાછલા ઘણા સમયથી વાવ-થરાદને નવો જિલ્લો બનાવવાની માંગણી કરવામાં આવી રહી હતી.

બનાસકાંઠા જિલ્લાનાં સાંસદ અને કોંગ્રેસ નેતા ગેનીબેન ઠાકોર રાજ્ય સરકારનો વાવ-થરાદને જિલ્લો બનાવવાના નિર્ણયને આવકાર્યો છે. તો થરાદના પૂર્વ ધારાસભ્ય અને કોંગેસના નેતા ગુલાબસિંહ રાજપૂતે પણ સકારાત્મક પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, થરાદને જીલ્લાનું હેડક્વાટર બનાવવામાં આવશે તો ખુશી થશે.

ઉલ્લેખનિય છે કે, થરાદ તાલુકાના સરપંચ એસોસીયેશન દ્વારા થરાદને જિલ્લો બનાવવાની લેખિત રજૂઆત કરી હતી. આથી મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા જિલ્લા કલેકટર મારફત થરાદના નાયબ કલેકટર પાસે થરાદને જિલ્લો બનાવવા અંગેનો અભિપ્રાય મંગાવવામાં આવ્યો હતો. તો જણાવી દઈએ કે, બનાસકાંઠા જિલ્લા વિભાજનમાં પાટણ જિલ્લાના કોઈ પણ ભૂભાગનો સમાવેશ કરવામાં આવ્યો નથી.

થરાદના નાયબ કલેકટર શિવાજી એસ. તબિયારે થરાદને જિલ્લો ભૌગોલિક, વિકાસ અને સામાજિક દૃષ્ટીએ કઇ રીતે યોગ્ય છે તે અંગેની ઝીણવટભરી માહિતી સાથેનો હકારાત્મક રીપોર્ટ સરકારને મોકલાવ્યો હતો. જોકે, તે બાદ દિયોદર અને થરાદમાંથી જિલ્લો કોને જાહેર કરવો એની અસમંજસ સરકારમાં હતી. આમ તમામ ચર્ચાઓ વચ્ચે આજે થરાદને જિલ્લો બનાવવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. થરાદનું અંતર પાલનપુરથી 80 કિલોમીટર દુર છે, જેને જિલ્લો જાહેર કરાતા વહીવટી કામોમાં સરળતા રહેશે અને વિકાસ કામગીરીને વેગ મળશે.

ગુજરાતમાં હાલ 33 જિલ્લાઓ છે જેમાં વધુ એક જિલ્લાને કેબિનેટ બેઠકમાં મંજૂરી મળી છે. બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને થરાદ-વાવને નવો જિલ્લો બનાવાશે. જેમાં થરાદ જિલ્લામું મુખ્ય મથક રહેશે. સાથે આજે પાટણ, મહેસાણા, નવસારી, પાલડી અને વાપી સહિત પાલિકાને નવી 9 મહાનગરપાલિકાની પણ સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવશે.

નવા વર્ષે જ બનાસકાંઠાવાસીઓને સરકારે ભેટ આપી છે. વાવ-થરાદને જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે. હાલ બનાસકાંઠા જિલ્લામાં 14 તાલુકા છે, જેમાંથી હવે 8 તાલુકાઓનો થરાદ જિલ્લામાં સમાવેશ કરવામાં આવશે.

ઉલ્લેખનિય છે કે, પાછલા દિવસોમાં વડનગરને પણ જિલ્લો બનાવવાની વાત સામે આવી રહી હતી. જોકે, હાલમાં વડનગરને જિલ્લો બનાવવાને લઈને કોઈ જ નિર્ણય લેવામાં આવ્યો નથી.

  • Related Posts

    Bhavnagar: ‘BJP હટાવો દેશ બચાવો’, ભાજપ નેતા યોગેશ બદાણીએ જ પોસ્ટ મૂકી દીધા પછી શું કહ્યું?
    • August 7, 2025

    Bhavnagar: ભાજપના નેતાએ જ ‘BJP હટાવો દેશ બચાવો’ લખાણ ફેસબૂક પર પોસ્ટ કરતાં ખળભળાટ મચ્યો છે. આ મામલે ભાજપ નેતા યોગેશભાઈ બદાણીએ ખૂલાસો કર્યો છે. જાણો તેમણે શું કહ્યું? ભાવનગર…

    Continue reading
    High Court: ગુજરાત હાઈકોર્ટમાં મૃતક સામે કેસ ચાલતો, કારણ જાણી ચોકી જશો!
    • August 7, 2025

    High Court: ગુજરાત હાઇકોર્ટમાં એક જૂની અપીલના કેસમાં ચોંકાવનારો ઘટનાક્રમ સામે આવ્યો છે, જેમાં ખેડા પોલીસ અને સરકારી વકીલની કચેરી વચ્ચેના સંકલનના અભાવે ન્યાયિક પ્રક્રિયાને ગંભીર રીતે અસર કરી છે. આ…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    આખરે EC-BJP ની ચોરી બહાર આવી, રાહુલ ગાંધીએ પુરાવા સાથે કાંડ બતાવ્યા, જુઓ

    • August 7, 2025
    • 13 views
    આખરે EC-BJP ની ચોરી બહાર આવી, રાહુલ ગાંધીએ પુરાવા સાથે કાંડ બતાવ્યા, જુઓ

    Indian Airports On High Alert: વધુ એક આતંકી હુમલાના ભણકાર, સરકારના દાવા કેમ ખોટા?

    • August 7, 2025
    • 8 views
    Indian Airports On High Alert: વધુ એક આતંકી હુમલાના ભણકાર, સરકારના દાવા કેમ ખોટા?

    Bhavnagar: ‘BJP હટાવો દેશ બચાવો’, ભાજપ નેતા યોગેશ બદાણીએ જ પોસ્ટ મૂકી દીધા પછી શું કહ્યું?

    • August 7, 2025
    • 195 views
    Bhavnagar: ‘BJP હટાવો દેશ બચાવો’, ભાજપ નેતા યોગેશ બદાણીએ જ પોસ્ટ મૂકી દીધા પછી શું કહ્યું?

    Udaipur Files:’સર તને જુદા’નો ડાયલોગ અને કન્હૈયાલાલની જીંદગી ખતમ, સત્ય ઘટના પર આધારિત ફિલ્મ ‘ઉદયપુર ફાઇલ્સ’ નું નવું ટ્રેલર રિલીઝ

    • August 7, 2025
    • 20 views
    Udaipur Files:’સર તને જુદા’નો ડાયલોગ અને કન્હૈયાલાલની જીંદગી ખતમ, સત્ય ઘટના પર આધારિત ફિલ્મ ‘ઉદયપુર ફાઇલ્સ’ નું નવું ટ્રેલર રિલીઝ

    Jammu-Kashmir: CRPF જવાનો ભરેલું વાહન 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યું

    • August 7, 2025
    • 17 views
    Jammu-Kashmir: CRPF જવાનો ભરેલું વાહન 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યું

    High Court: ગુજરાત હાઈકોર્ટમાં મૃતક સામે કેસ ચાલતો, કારણ જાણી ચોકી જશો!

    • August 7, 2025
    • 40 views
    High Court: ગુજરાત હાઈકોર્ટમાં મૃતક સામે કેસ ચાલતો, કારણ જાણી ચોકી જશો!