ચૂંટણી પહેલા જ નગરપાલિકાઓ ઉપર ભાજપનો કબ્જો; નેતાઓએ બંધારણને ચડાવ્યો માળવે

  • Gujarat
  • February 4, 2025
  • 0 Comments

ગુજરાતમાં નગરપાલિકાઓની ચૂંટણીઓ યોજાઈ રહી છે. પરંતુ ચૂંટણી પહેલા જ નગરપાલિકાઓ પર બીજેપી પોતાનો કબ્જો જમાવી રહી છે. ગુજરાતની અનેક નગરપાલિકાઓમાં શામ-દામ-દંડની રાજનીતિ અપનાવીને કોંગ્રેસના ઉમેદવારો પાસે ફોર્મ પરત ખેંચવા માટે મજબૂર કરવામાં આવતા હોવાનો આરોપ કોંગ્રેસ લગાવી રહી છે. તો બીજી તરફ ગ્રાઉન્ડ લેવલે પણ આપ અને કોંગ્રેસના ઉમેદવારો દ્વારા ફોર્મ પરત ખેંચવાનો સિલસિલો યથાવત છે.

આમ બીજેપી બંધારણીય પ્રક્રિયામાં રોડા નાંખીને ખોટી રીતે નગરપાલિકાઓની ચૂંટણીમાં જીત મેળવી રહી હોવાનું પણ દેખાઈ રહ્યું છે. આમ ગુજરાતમા બીજેપી નેતાઓએ બંધારણને માળવે ચડાવીને ગેરકાયદેસર રીતે જીત મેળવીને ધડાકા-ભડાકા સાથે નિર્લજ્જ રીતે ખુશી પણ માણે છે.

ગુજરાતમાં મહાનગર પાલિકાની ચૂંટણીનું મતદાન પહેલા જ કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું છે. નગરપાલિકા, તાલુકા-જિલ્લા પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારોના ફોર્મ ચકાસણીના અંતે કેટલીક પાલિકા-પંચાયતમાં ભગવો લહેરાયો હતો.

જોકે, મુક્ત-પારદર્શક ચૂંટણી યોજાઈ રહી નહોવાને લઈને કોંગ્રેસે આરોપ-પ્રત્યારોપ કર્યા છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, ભાજપે પોલીસ અને વહીવટીતંત્રનો ઉપયોગ કરીને કોંગ્રેસના ઉમેદવારોને ડરાવી ધમકાવી ફોર્મ પરત ખેંચવા માટે મજબૂર કર્યા છે.

જાફરાબાદ નગરપાલિકામાં ધારાસભ્ય હીરા સોલંકી દ્વારા નગરપાલિકામાં 16 ઉમેદવારો સત્તાવાર રીતે બિનહરીફ વરણી થઈ છે. બિનહરીફ ચૂંટાયેલા સદસ્યો ધારાસભ્ય હીરા સોલંકીના નિવાસસ્થાને પહોંચ્યા હતા.

ભાજપના કાર્યકરો ઉમટ્યાં હતા. ઢોલ-નગારા સાથે ચૂંટાયેલા સદસ્યોના મોં મીઠા કર્યા હતા. જણાવી દઈએ કે, ગઈ ટર્મમાં આખી જાફરાબાદ નગરપાલિકા બિનહરીફ કરાઈ હતી.

લાઠી આમ આદમી પાર્ટીના બે મહિલા ઉમેદવારો ઉમેદવારી પાછી ખેંચી લીધી. લાઠીના વોર્ડ નં 1 રૂબીનાબેન રાઠોડ અને 3ના બિલ્કિશબેન ખોખર આમ આદમી પાર્ટીના મહિલા ઉમેદવારોએ ફોર્મ પાછું ખેંચી લીધું છે. લાઠી નગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીમાં ભંગાણ જોવા મળી રહ્યું છે.

આ પણ વાંચો- સંસદમાં પીએમ મોદીનું ભાષણ: અમે ગરીબોને ખોટા નારા નહીં, પણ સાચો વિકાસ આપ્યો

હાલોલ નગરપાલિકા પર ચૂંટણી પહેલા જ બીજેપીનો કબ્જો

પંચમહાલની હાલોલ નગરપાલિકાની સ્થાનિક ચૂંટણી પહેલા મોટા સમાચાર સામે આવ્યા છે. હાલોલ નગરપાલિકામાં મતદાન પ્રક્રિયા પૂર્વે જ ભાજપ સત્તામાં આવ્યું છે. ભાજપ 20 બેઠકો પર બિનહરીફ વિજેતા જાહેર થયું છે. ચૂંટણી અધિકારી દ્વારા 9 વોર્ડની 36 બેઠકો માટે 72માંથી 67 ઉમેદવારી પત્રો માન્ય રાખવામાં આવ્યા હતા, 5 ફોર્મ રદ કરવામાં આવ્યા હતા, જેમાં ભાજપના મેન્ડેટ વગરના 4 અને આપનું 1 ફોર્મ સામેલ છે.

ત્યારબાદ 15 ઉમેદવારોએ ઉમેદવારી પત્ર પરત ખેંચી લીધા હતા. હાલ સમાચાર સામે આવી રહ્યા છે કે, હાલોલ નગરપાલિકામાં ભાજપના 20 ઉમેદવારો બિનહરીફ થયા છે. 9 વોર્ડમાંથી 5 વોર્ડમાં ભાજપ બિનહરીફ વિજેતા જાહેર થયું છે. કોંગ્રેસ પેનલે ફોર્મ પરત ખેંચતા કોંગ્રેસને ઝટકો લાગ્યો છે. બીજી તરફ ઉમેદવારોને ફોર્મ પરત ખેંચવા દબાણ કરાતું હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે.

જૂનાગઢમાં કોંગ્રેસના 60 ઉમેદવારોમાંથી 9 ઉમેદવારોએ ભાજપનાં સમર્થનમાં ફોર્મ પરત ખેંચી લીધા છે. મતદાન પહેલા જ બે વોર્ડના ભાજપના 8 ઉમેદવારો બિનહરીફ થઈ ગયા છે. વોર્ડ નં.12ના કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લીધુ છે પરંતુ ત્યાં અન્ય ઉમેદવાર હોવાથી બેઠક બિનહરીફ થઈ નહી.

દિલીપ ગલે બક્ષીપંચ બેઠક પર ઉમેદવારીપત્ર ભર્યું હતું, તેણે પણ ભાજપના સમર્થનમાં ઉમેદવારીપત્ર પરત ખેંચી લીધુ છે. આજે ફોર્મ ચકાસણીનો દિવસ હતો. ફોર્મ ચકાસણી માટેની પ્રક્રિયા પુરી થતા કોંગ્રેસના જે ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા તે તમામ ઉમેદવારના ફોર્મ માન્ય રહ્યા હતા. ફોર્મ માન્ય થઈ ગયા બાદ પરત ખેંચી લેતા રાજકીય ભૂકંપ સર્જાયો છે.

ભચાઉમાં મતદાન પહેલાં જ ભગવો લહેરાય તે માટેના કાવાદાવા

ભચાઉ નગરપાલિકાના 7 વોર્ડની 28 બેઠકોમાંથી 11 બેઠકો ચૂંટણી પ્રક્રિયા પહેલાં જ ભાજપના ફાળે આવી ગઈ છે. તંત્રની બલિહારી કહો કે કોંગ્રેસની ભૂલ, હવે કોંગ્રેસના 17 જ ઉમેદવારો મેદાનમાં રહ્યાં છે. જો કે, કચ્છ ભાજપના આગેવાનો અંદરખાને દાવો કરે છે તે સાચો ઠરે તો કોંગ્રેસના 17 ઉમેદવારોમાંથી મોટાભાગના ભાજપના સંપર્કમાં છે.

આ પણ વાંચો- ભારત સરકારના પ્રતિબંધ છતાં ઈશા અંબાણી-મુકેશ અંબાણીએ ચીનની શીન એપ્લિકેશનની દેશમાં કરાવી રિ-એન્ટ્રી

દાવો તો ત્યાં સુધી કરાઈ રહ્યો છે કે, મંગળવારે છેલ્લા દિવસે બચેલા 17 ઉમેદવારોમાંથી એક-બેને બાદ કરતાં મોટાભાગના કોંગ્રેસી ઉમેદવારી પાછી ખેંચી લેશે. ભચાઉની 28 બેઠકો ઉપર ભાજપના તમામ 28 ઉમેદવારીપત્રો માન્ય રહ્યાં છે. ભચાઉમાં ભાજપનો ભગવો લહેરાય તેવા કાવાદાવાની સફળતાનું સત્તાવાર ચિત્ર આજે સ્પષ્ટ થઇ જશે.

વલસાડ જિલ્લાની ધરમપુર નગરપાલિકામાં ત્રણ દાયકાથી શાસન હોવાં છતાં વિકાસનાં કામો નહીં થતાં લોક આક્રોશને પગલે ભાજપ વિકાસનાં નામે મતો માંગી જીતવાને બદલે શામ, દામ અને દંડની નીતિ અપનાવી કોંગ્રેસ અને વિરોધીઓના ઉમેદવારોને બેસાડી દેવાનાં પ્રયાસો આદર્યા છે, ત્યારે વોર્ડ નં.1નાં 4 અને વોર્ડ નં.3નો 1 સહિત કુલ 5 કોંગ્રેસી ઉમેદવારોને સંપર્ક વિહોણા કરી દેતાં કોંગ્રેસી નેતાઓ પ્રચાર કરવાનાં બદલે પાંચેય ઉમેદવારોને શોધવાં રાત દિવસ એક કરી રહ્યા છે અને સાથે ભાજપ પર ગંદી રાજનીતિ રમી રહ્યા હોવાનાં આક્ષેપો કરતા ધરમપુરનું રાજકારણ ગરમાયું છે.

કોડિનાર નગરપાલિકામાં ગેરકાયદેસર મંડળી રચી ભાજપના પૂર્વ સાંસદે જ વાતાવરણ ડહોળ્યુ હતું. આ ઉપરાતં માણસામાં ભાજપના ધારાસભ્યએ કોંગ્રેસના ઉમેદવારો પર સતત રાજકીય દબાણ કરી ફોર્મ પરત ખેચે તેવા હથકંડા અપનાવ્યા હતા.

હળવદ નગરપાલિકામાં તો રવિવારની રાત્રિથી કોંગ્રેસના ઉમેદવારોને સતત ધમકી આપવામાં આવી રહી છે. આ કારણોસર નાછૂટકે ઉમેદવારોને પોલીસ રક્ષણ માગવું પડ્યું હતું. પોલીસે પણ યોગ્ય પ્રત્યુતર ન પાઠવતા પ્રાંત અધિકારીને રજૂઆત કરવામાં આવી છે.

બિલીમોરા નગરપાલિકામાં ખુદ ચૂંટણી અધિકારીએ ભાજપને મદદરુપ થવા ગેરબંધારણીય વર્ણતૂક કરી છે. મહિસાગર જિલ્લાના જોધપુર તાલુકા પંચાયતમાં ભાજપના ઉમેદવારનું જાતિ પ્રમાણપત્ર અંગે કોંગ્રેસે વિસ્તૃત રજૂઆત કરી છતાંય ચૂંટણી અધિકારીએ એકતરફી નિર્ણય કરી ફોર્મ મજૂર કર્યું હતું જેથી રાજ્ય ચૂંટણીપંચમાં રજૂઆત કરવામાં આવશે.

તો રાણાવાવ નગરપાલિકામાં કોગ્રસના 10 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા હોવાના સમાચાર પણ સામે આવી રહ્યાં છે.

આ પણ વાંચો- સ્કોર્પિયો લઈને જમવા નિકળ્યા વિદ્યાર્થી; કંટ્રોલ ગુમાવતા સર્જોયો ગમખ્વાર અકસ્માત- બેના મોત

  • Related Posts

    Gujarat News: ગુજરાતમાં કેટલાક પેટ્રોલ પંપો પર ‘નો સ્ટોક’ના બોર્ડ લાગ્યા! લોકોમાં ગેસ બાદ હવે પેટ્રોલ લેવા લાગી કતારો ! સરકાર કહે છે, “અફવા છે!”
    • March 23, 2026

    Gujarat News: : ઈરાન યુદ્ધના કારણે દેશમાં ગેસ બાદ હવે પેટ્રોલની તંગી ઉભી થઇ હોવાના અહેવાલો છે ત્યારે ગુજરાતમા મોટાભાગના શહેરોમાં સાદા પેટ્રોલનો જથ્થો ખૂટી પડતા અનેક પેટ્રોલ પંપો બંધ…

    Continue reading
    Bhavnagar News: ભાવનગરમાં ગુનેગારોના રહેણાંક મકાનો ઉપર બુલડોઝર ફરી વળ્યાં! મહિલાઓમાં મચી રોકકળ
    • March 23, 2026

    Bhavnagar News: ઉત્તર પ્રદેશમાં યોગી સરકારે ગુનેગારોના મકાનો ઉપર બુલડોઝર ફેરવવાની કરેલી પહેલ બાદ હવે ગુજરાતમાં પણ ભુપેન્દ્ર પટેલની સરકારે રાજ્યમાં ગુનેગારોના ઘરો તોડવાનું અભિયાન ચલાવ્યું છે જેમાં અત્યારસુધીમાં અલગ…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Gujarat News: ગુજરાતમાં કેટલાક પેટ્રોલ પંપો પર ‘નો સ્ટોક’ના બોર્ડ લાગ્યા! લોકોમાં ગેસ બાદ હવે પેટ્રોલ લેવા લાગી કતારો ! સરકાર કહે છે, “અફવા છે!”

    • March 23, 2026
    • 4 views
    Gujarat News: ગુજરાતમાં કેટલાક પેટ્રોલ પંપો પર ‘નો સ્ટોક’ના બોર્ડ લાગ્યા! લોકોમાં ગેસ બાદ હવે પેટ્રોલ લેવા લાગી કતારો ! સરકાર કહે છે, “અફવા છે!”

    Tata: ટાટા કેમિકલ્સ સામે અન્નજળનો ત્યાગ કરનાર દેવરામ કાકાના ઉપવાસ તૂટ્યા!!GPCB સામે ગંભીર આક્ષેપ!

    • March 23, 2026
    • 6 views
    Tata: ટાટા કેમિકલ્સ સામે અન્નજળનો ત્યાગ કરનાર દેવરામ કાકાના ઉપવાસ તૂટ્યા!!GPCB સામે ગંભીર આક્ષેપ!

    UP: ભાજપના રાજમાં ગૌહત્યાઓ કેમ વધી રહી છે ? મથુરા પણ સુરક્ષિત નહિ! ફરસા વાલે બાબાની હત્યા કે અકસ્માત? જુઓ ખાસ વિશ્લેષણ

    • March 23, 2026
    • 18 views
    UP: ભાજપના રાજમાં ગૌહત્યાઓ કેમ વધી રહી છે ? મથુરા પણ સુરક્ષિત નહિ! ફરસા વાલે બાબાની હત્યા કે અકસ્માત? જુઓ ખાસ વિશ્લેષણ

    SHANKARACHARY: જ્યોતિર્મઠના શંકરાચાર્યનો ચોંકાવનારો દાવો ‘ RSS’ ના આ આગેવાને 10 લાખ હિન્દૂ છોકરીઓને મુસ્લિમો સાથે પરણાવી દીધી!’ આતે કેવા સનાતની કહેવાય?

    • March 23, 2026
    • 12 views
    SHANKARACHARY: જ્યોતિર્મઠના શંકરાચાર્યનો ચોંકાવનારો દાવો ‘ RSS’ ના આ આગેવાને 10 લાખ હિન્દૂ છોકરીઓને મુસ્લિમો સાથે પરણાવી દીધી!’ આતે કેવા સનાતની કહેવાય?

    Rich Temples: ધનવાન ભગવાનના ખજાનાની રકમ લોક કલ્યાણમાં વપરાશેતો દેશની અડધી સમસ્યાઓ સોલ્વ થઈ જશે! જુઓ, વરીષ્ઠ પત્રકાર મયુર જાની શુ કહે છે!

    • March 23, 2026
    • 12 views
    Rich Temples: ધનવાન ભગવાનના ખજાનાની રકમ લોક કલ્યાણમાં વપરાશેતો દેશની અડધી સમસ્યાઓ સોલ્વ થઈ જશે! જુઓ, વરીષ્ઠ પત્રકાર મયુર જાની શુ કહે છે!

    Narendra Modi: મોદીજી,”અબ ઝોલા ઉઠાઇયે ઔર ચલ પડો!” સંજય રાઉતે PM પર કર્યા આકરા પ્રહાર

    • March 23, 2026
    • 12 views
    Narendra Modi: મોદીજી,”અબ ઝોલા ઉઠાઇયે ઔર ચલ પડો!” સંજય રાઉતે PM પર કર્યા આકરા પ્રહાર