
સુરતના સચિન-મગદલ્લી રોડ પરથી પસાર થઈ રહેલી એક કારમાં બ્લાસ્ટ થયા બાદ આગ ફાટી નીકળી હતી. જેમાં કારચાલકનું મોત થયું છે.
કારમાં બ્લાસ્ટ બાદ આગ લાગતાં સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને કારચાલકને બચાવવાનો પ્રયાસ હાથ ધર્યા હતો, પરંતુ ચાલક આગની લપેટમાં આવી જતાં લોકો નજીક પહોંચી શક્યા ન હતા અને ચાલક કારની અંદર જ ભડથું થઈ ગયો. મૃતક કારચાલક દીિપક પટેલ કારના લે-વેચનો વ્યવસાય કરતા હોવાનું અને ચોર્યાસી તાલુકાના આભવા ગામના રહેવાસી હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે.
ફાયર બ્રિગેડની ટીમ પહોંચવા છતાં કાર આખી બળીને રાખ થઈ ગઈ હતી. આ આગ એક પેટ્રોલ કારમાં લાગી હતી. જો કે આગ કેવી રીતે અને કયા કારણોસર લાગી તે અંગે પોલીસે દ્વારા તપાસ હાથ ધરાઈ છે.