Exam: 27 ફેબ્રુઆરીથી ધો.10 અને 12 બોર્ડની પરીક્ષા: પરિક્ષા આપતાં પહેલા આટલું વાચવું જરુરી!

  • Gujarat
  • February 13, 2025
  • 0 Comments

Board Exam:  ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષા આગામી 27 ફેબ્રુઆરીથી યોજાવાની છે. આ પરીક્ષાને હવે ગણતરીના દિવસો બાકી છે. ટૂંક સમયમાં વિદ્યાર્થીઓને આ પરીક્ષાને લઈ રીસીપ્ટ આપવામાં આવશે. ત્યારે આ વખતે બોર્ડની પરીક્ષાને લઈને બોર્ડ દ્વારા નિયમો વધુ કડક કરવામાં આવ્યા છે. જેથી કરીને બોર્ડની પરીક્ષામાં ગેરરીતિને કોઈ અવકાશ ન રહે. સાથે જ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓને ખોટી અફવાઓ, નકલી પ્રશ્નપત્રોની લાલચ અને ગેરરીતિના પેંતરાથી દૂર રહેવા અપીલ પણ કરવામાં આવી છે.

પરીક્ષા પૂર્વે અને પરીક્ષા દરમિયાન તેમજ પરીક્ષાના દિવસે વિદ્યાર્થીઓ અને તેના વાલીઓએ ખાસ પરીક્ષાને ધ્યાને રાખીને કેવા પ્રકારની તૈયારી કરવી જોઈએ. તે માટે શિક્ષણ શાસ્ત્રી અને મનોચિકિત્સકો એ તેમના પ્રતિભાવો આપ્યા છે.

પરીક્ષાના દિવસે વિદ્યાર્થીઓ માટે સૂચનો

પરીક્ષાના દિવસે વિદ્યાર્થીઓએ હળવો ખોરાક લેવાની સાથે પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી લેવું જોઈએ, પુરતી ઊંઘ લેવી જોઈએ, પરીક્ષાના દિવસો દરમિયાન કોઈપણ પ્રકારના ઉત્તેજના કે ભય અને ગુસ્સો આવે તે પ્રકારના તમામ પ્રસંગોથી પ્રત્યેક પરીક્ષાર્થીએ દૂર રહેવું જોઈએ, પરીક્ષાના દિવસોમાં માત્ર અભ્યાસ સિવાયની કોઈપણ પ્રવૃત્તિ ન કરવી જોઈએ, પરીક્ષામાં ઉપયોગી સાધનો પેન, પેન્સિલ, રબર, કંપાસ પરીક્ષાના દિવસો દરમિયાન તૈયાર રાખવો જોઈએ, જેમાં પરીક્ષા ખંડમાં ઉપયોગી અને અનિવાર્ય રીસીપ્ટ પણ સાથે રાખવી.

પરીક્ષાની રીસીપ્ટને લેમિનેશન ન કરાવવી જોઇએ

મોટા ભાગના વિદ્યાર્થીઓ રીસીપ્ટને લેમિનેશન કરાવે છે, જો કે તેમણે આવું ન કરવું જોઈએ. આ રીસીપ્ટ ક્યારેય લેમિનેશન ન કરાવવી જોઈએ. કેમ કે આ રીસીપ્ટ આધારે તમને પરીક્ષા આપવામાં આવશે અને તેમાં સુપરવાઇઝર આ રીસીપ્ટમાં પ્રશ્નપત્ર નંબર, જવાબવાહી નંબર સાથે સહી કરશે.

પરીક્ષા ખુલ્લા મને આપવી જોઈએ

પરીક્ષા આપવા જતી વખતે સાથે કોઈપણ પ્રકારના પુસ્તકોને લઈને જવાની વૃતિ ટાળવી જોઈએ, પરીક્ષા ખંડમાં ખૂબ જ સ્વચ્છ અને શરીરને આરામ આપે તે પ્રકારે ઢીલા કપડાં પહેરવા જોઈએ. ઉપરાંત હાથમાં નેપકીન કે મોટો રૂમાલ રાખવો જોઈએ, સ્વચ્છ અને સ્વસ્થ મનથી આપવામાં આવેલી પરીક્ષા પ્રત્યેક પરીક્ષાર્થીના ઉત્સાહ અને હિંમતમાં વધારો કરે છે. જેથી પ્રફુલ્લિત મન સાથે પરીક્ષા આપવા જવું જોઈએ. ચશ્મા પહેરતા હોવ તો તે અવશ્ય તપાસવા જોઈએ. પરીક્ષા સેન્ટરની નજીક સંબંધી કે પરિચિતનાં સરનામા રાખો, પરીક્ષાર્થીએ પોતાની ઘડિયાળમાં પરીક્ષા સમયને અનુરુપ સમય ગોઠવવો જોઈએ, પરીક્ષા સ્થળ સુધી પહોંચવા માટેનો સમય નિર્ધારિત કરીને ઘરેથી પરીક્ષા આપવા માટે નીકળવું જોઈએ.

પરિક્ષા સમયે વાહન ચાલવવાનું ટાળો

આ સાથે છેલ્લાં દિવસોમાં બને ત્યાં સુધી વાહન ન ચલાવો. અકસ્માત થાય તો વિદ્યાર્થી પરિક્ષા આપવીથી વંચિત રહી જાય છે.

 

આ પણ વાંચોઃ Vadodara: PhD થયેલા યુવકે મિત્રની પુત્રીને કર્યા અડપલા, પુત્રી ઓળખી ગઈ

આ પણ વાંચોઃ SURAT: અડાજણમાં કાળ બનીને આવેલું પાલિકાનું ડમ્પર વિદ્યાર્થિનીને ભરખી ગયું

Related Posts

Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન
  • March 19, 2026

Mini storm: રાજ્યમાં સાયકલોનિક સર્ક્યુલેશન,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદી માહોલ સર્જાયો છે સમગ્ર રાજ્યમાં ધૂળની ડમરી સાથે ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ થયો છે.વડોદરામાં પણ સાંજના સમયે ધૂળની…

Continue reading
Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!
  • March 19, 2026

■ શ્રી સત્ય યોગ ફાઉન્ડેશન આશ્રમમાં જ નકલી નોટો છાપવાનું ચાલુ કરી ફોર્ચ્યુનર ગાડી ઉપર ‘ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા આયુષ મંત્રાલય’નું બોર્ડ ઠપકારી હેરાફેરી ચાલુ કરી પણ વટાણા વેરાઈ ગયા અને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન

  • March 19, 2026
  • 3 views
Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન

Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!

  • March 19, 2026
  • 7 views
Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!

MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે PM મોદીને સવાલ!!

  • March 19, 2026
  • 15 views
MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે  PM મોદીને સવાલ!!

America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ

  • March 19, 2026
  • 4 views
America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ

PM Modi: CM નરેન્દ્ર મોદી પર ₹ 1 લાખ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર ‘ઝડફિયા’ હવે આજ પાર્ટીના ‘વફાદાર નેતા’ બની ગયા છે!

  • March 19, 2026
  • 12 views
PM Modi: CM નરેન્દ્ર મોદી પર ₹ 1 લાખ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર ‘ઝડફિયા’ હવે આજ પાર્ટીના ‘વફાદાર નેતા’ બની ગયા છે!

Iran War Updates: ઈઝરાયેલે ઈરાનના ઊર્જા ક્ષેત્ર પર હુમલો કર્યા બાદ ઈરાને કતારના ગેસ હબ પર કર્યો વળતો પ્રહાર! ઈરાનની ધમકી હવે દુશ્મનોના ઉર્જા ક્ષેત્રો રાખમાં ફેરવી નાખીશું! ભારતનું અર્થતંત્ર ખોરવાશે!

  • March 19, 2026
  • 10 views
Iran War Updates: ઈઝરાયેલે ઈરાનના ઊર્જા ક્ષેત્ર પર હુમલો કર્યા બાદ ઈરાને  કતારના ગેસ હબ પર કર્યો વળતો પ્રહાર! ઈરાનની ધમકી હવે દુશ્મનોના ઉર્જા ક્ષેત્રો રાખમાં ફેરવી નાખીશું! ભારતનું અર્થતંત્ર ખોરવાશે!