
રવિવારે પાટણમાં બેતાલીસ લેઉવા પાટીદાર સમાજ સેવા મંડળ દ્વારા ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જાણિતા ઉદ્યોગપતિ અને નિરમા કંપની માલિક કરસન પટેલે ખાસ હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે ઘટસ્ફોટ કરતાં પોતાના નિવેદનમાં સ્પષ્ટ રીતે જણાવ્યું હતુ કે, ‘પાટીદાર અનામત આંદોલન’ માત્ર આનંદીબેન પટેલને હટાવવાનું કાવતરું હતું. તેમના આ નિવેદન બાદ રાજકીય હલચલ વધી ગઈ છે.
જાણિતા ઉદ્યોગપતિ અને નિરમા કંપનીના માલિક કરસન પટેલના રાજકીય નિવેદનના કારણે રાજકીય ગલીઓમાં હલચલ વધી ગઈ છે. તેમણે સ્પષ્ટ અને બિન્દાસ્ત રીતે પોતાના નિવેદનમાં કોઈપણનું નામ લીધા વગર કહ્યું હતું કે પાટીદાર અનામત આંદોલ આનંદીબેન પટેલને મુખ્યમંત્રી પદેથી હટાવવાનું કાવતરું હતું. લેઉવા પાટીદાર સમાજની દીકરીને મુખ્યમંત્રી પદેથી દૂર કરીને આંદોલન કરનારાઓએ રાજકીય રોટલા શેક્યા છે.
પાટીદાર સમાજ એટલે ખેડૂત અને ખેડૂત કોઇ દિવસ હાથ લંબાવે નહી, તે હંમેશા કંઇ ને કંઇ આપે. આપણા ત્યાં આંદોલન થયું તે આંદોલન કરનારા પાટીદાર જ હતા. આંદોલનમાં કશું મળ્યું નહી, આપણા પાટીદાર યુવાનોએ શહીદી વ્હોરી. ખરેખર આ આંદોલન હતું કે પછી કોઇને કાઢવા માટેનું કાવતરું હતું, કારણ કે પટેલો પટેલોને જ કાઢે એ શક્ય નથી. આ એક સંશોધનનો વિષય છે.
આ પણ વાંચો-સેન્સેક્સમાં 1200 તો નિફ્ટીમાં 390 પોઇન્ટનો કડાકો; HMPV વાયરસ જવાબદાર