
Chardham yatra: આ વખતે ઉત્તરાખંડમાં 30 એપ્રિલથી ચારધામ યાત્રામાં શરૂ થવાની છે. આ વખતે ઘણી અલાયદી વ્યવસ્થાઓ કરાઈ છે. યાત્રા દરમિયાન રીલ બનાવનારાઓ અને યુટ્યુબર્સને મંદિર પરિસરમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. કેદારનાથ-બદ્રીનાથ પાંડા સમાજે નિર્ણય લીધો છે કે જો કોઈ ભક્ત વીડિયો રીલ બનાવવાનો પ્રયાસ કરશે તો તેને દર્શન કર્યા વિના પાછા મોકલી દેવામાં આવશે.
આ અંગે વહીવટીતંત્રને પણ જાણ કરવામાં આવી છે. આ વખતે પૈસા આપીને VIP દર્શન કરવાની પ્રથા પણ નાબૂદ કરી દેવામાં આવી છે. બદ્રીનાથ ધામના પાંડા પંચાયતના ખજાનચી અશોક ટોડારિયાએ કહ્યું કે પૈસા લઈને દર્શન કરાવવા ખોટું છે અને તે ભગવાનની ગરિમાની વિરુદ્ધ છે. ચાર ધામ યાત્રામાં ભક્તો પૂર્ણ ભક્તિભાવ સાથે આવશે અને દર્શન કરશે, અને યાત્રાને વધુ સારી બનાવવા માટે વહીવટીતંત્રે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.
ચારધામ યાત્રાનું સમયપત્રક
ચારધામ યાત્રા 30 એપ્રિલથી શરૂ થશે. પહેલા મા ગંગોત્રી અને યમુનોત્રીના દરવાજા ખોલવામાં આવશે. આ પછી, 2 મેના રોજ કેદારનાથ ધામના દરવાજા ભક્તો માટે ખોલવામાં આવશે અને 4 મેના રોજ બદ્રીનાથ ધામના દરવાજા ખોલવામાં આવશે. યાત્રા દરમિયાન ખરાબ હવામાન ટાળવા માટે 10 સ્થળોએ હોલ્ડિંગ પોઈન્ટ બનાવવામાં આવશે. અહીં યાત્રાળુઓને આરામ, ભોજન અને જરૂરી સેવાઓનો લાભ મળશે. અત્યાર સુધીમાં 9 લાખ શ્રદ્ધાળુઓએ યાત્રા માટે નોંધણી કરાવી છે, જેમાંથી સૌથી વધુ નોંધણી કેદારનાથ ધામ માટે છે.
પ્રવાસ સંબંધિત ખાસ બાબતો
- બદ્રીનાથ ધામ: ભગવાન વિષ્ણુને સમર્પિત, આ મંદિર નર-નારાયણનું પૂજા સ્થળ છે.
- કેદારનાથ ધામ: અહીં ભગવાન શિવની પૂજા થાય છે અને આ વિસ્તાર ભગવાન શિવના નિવાસસ્થાન તરીકે પ્રખ્યાત છે.
- ગંગોત્રી: ગંગા નદીનું ઉદ્ગમ સ્થાન અને દેવી ગંગાનું પૂજા સ્થળ.
- યમુનોત્રી: યમુનાજીનું ઉદ્ગમ સ્થાન, જ્યાં દેવી યમુનાની પૂજા થાય છે.
આ પણ વાંચોઃ Gandhinagar: સ્કોર્પિયોએ 2 વર્ષિય બાળકીને કચડી, ગ્રામજનોએ કારને સળગાવી દીધી
આ પણ વાંચોઃ US report: ચીન જ નહીં ભારત પણ ફેન્ટાનાઇલ ડ્રગ્સનું મોટું ઉત્પાદક, આ ડ્રગ્સ શું છે?
આ પણ વાંચોઃ Surat: AAPએ માગ્યું ગૃહમંત્રી હર્ષ સંઘવીનું રાજીનામું, ‘ડ્રગ્સનો કરો ખુલાસો’
આ પણ વાંચોઃ Disha Salian: દિશા સલિયનના મોત મામલે 4 મોટી હસ્તીઓ સામે FIR,આદિત્ય ઠાકરે પણ સામેલ