UP: 4 બાળકોના ગળા કાપી પિતાએ કેમ કર્યો આપઘાત?, હચમચવી નાખતો કિસ્સો

  • India
  • March 27, 2025
  • 1 Comments

UP:  ઉત્તર પ્રદેશના શાહજહાંપુર જિલ્લામાંથી એક હચમાચવી નાખતો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક પિતાએ કથિત રીતે પોતાના 4 બાળકોનું ગળું કાપીને હત્યા કરી પોતે આપઘાત કરી લીધો છે. આ ઘટનાથી સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા છે. આસપાસના વિસ્તારમાં સન્નાટો છવાઈ ગયો છે. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને મૃતદેહોને કબજે લીધા છે. હાલ પોલીસ ઘટના પાછળનું કારણ શોધવા કામ લાગી છે.

જાણો સમગ્ર મામલો

આ કેસની માહિતી આપતાં પોલીસ અધિક્ષક રાજેશ દ્વિવેદીએ જણાવ્યું હતું કે રોઝા પોલીસ સ્ટેશન વિસ્તારના માનપુર ચાચરી ગામના રહેવાસી રાજીવ કુમાર(ઉ.વ. 36) એ તેના ચાર બાળકો – સ્મૃતિ(ઉ.વ. 12), કીર્તિ(ઉ.વ. 9), પ્રગતિ(ઉ.વ. 7) અને ઋષભ(ઉ.વ. 5) ની તેના ઘરમાં તીક્ષ્ણ હથિયારથી ગળું કાપીને હત્યા કરી હતી અને પછી બીજા રૂમમાં ફાંસી લગાવીને પોતે પણ આપઘાત કરી લીધો હતો. પોલીસ અધિક્ષકે વધુમાં કહ્યું પરિવારના સભ્યોની પૂછપરછ કરવામાં આવી રહી છે. ગુરુવારે સવારે 7 વાગ્યે જ્યારે રાજીવના ઘરનો દરવાજો ખુલ્યો નહીં, ત્યારે તેના પિતા છત પર ચઢી ગયા અને સીડી દ્વારા ઘરની અંદર ગયા હતા. ત્યારબાદ તેમને આખી ઘટનાની જાણ થતાં પોલીસને જાણ કરી હતી.

ઘટનાને અંજામ આપવા હથિયારને ધારદાર બનાવ્યું

મૃતકના પિતા પોલીસને આપેલી માહિતી અનુસાર રાજીવનો એક વર્ષ પહેલા અકસ્માત થયો હતો, જેના કારણે તેને માથામાં ગંભીર ઈજા થઈ હતી અને તેની સારવાર ચાલી રહી હતી. તેમણે કહ્યું કે આ કારણે રાજીવ ઘણીવાર ગુસ્સે થઈ જતો હતો અને બુધવારે રાજીવની પત્ની તેની માતાના ઘરે ગઈ હતી. પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે ઘટનાને અંજામ આપતાં પહેલા રાજીવે બુધવારે રાત્રે હથિયાર પણ ધારદાર બનાવ્યું હતું. પોલીસે ઘટના સ્થળેથી સેન્ડપેપર અને તીક્ષ્ણ હથિયારો જપ્ત કર્યા છે. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.

આ પણ વાંચોઃ Gandhinagar: 2100થી વધુને છૂટા કર્યા પણ આરોગ્ય કર્મચારીઓ અડગ, હડતાળનો 11મો દિવસ

આ પણ વાંચોઃ 30 એપ્રિલથી ચારધામ યાત્રા શરૂ, યુટ્યુબર્સનેને નો એન્ટ્રી, VIP દર્શન બંધ, 9 લાખ શ્રદ્ધાળુઓની નોંધણી

આ પણ વાંચોઃ Gandhinagar: સ્કોર્પિયોએ 2 વર્ષિય બાળકીને કચડી, ગ્રામજનોએ કારને સળગાવી દીધી

આ પણ વાંચોઃ US report: ચીન જ નહીં ભારત પણ ફેન્ટાનાઇલ ડ્રગ્સનું મોટું ઉત્પાદક, આ ડ્રગ્સ શું છે?

  • Related Posts

    CAG Report UC Pending: ₹54,282 કરોડનો હિસાબ ક્યાં? CAG રિપોર્ટમાં કેન્દ્રના 15 મંત્રાલયો પર ગંભીર સવાલ
    • August 6, 2026

    CAG Report UC Pending: ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક (CAG) દ્વારા રજૂ કરાયેલી તાજેતરની ઓડિટ રિપોર્ટમાં કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયો અને વિભાગોની નાણાકીય વ્યવસ્થા અંગે ગંભીર મુદ્દાઓ સામે આવ્યા છે.…

    Continue reading
    Gurugram OC Fraud: ગુરુગ્રામમાં OCના નામે મોટો ખેલ? અધૂરી ઇમારતોને પ્રમાણપત્ર આપી ફ્લેટ ખરીદદારો સાથે છેતરપિંડી
    • August 6, 2026

    Gurugram OC Fraud: ગુરુગ્રામમાં રહેણાંક પ્રોજેક્ટ્સને ઓક્યુપન્સી સર્ટિફિકેટ (OC) આપવાની પ્રક્રિયા ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી છે. અનેક ફ્લેટ ખરીદનારાઓનો આરોપ છે કે બિલ્ડરોએ વિશ્વસ્તરીય સુવિધાઓના વચનો આપીને ફ્લેટ વેચ્યા,…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    CAG Report UC Pending: ₹54,282 કરોડનો હિસાબ ક્યાં? CAG રિપોર્ટમાં કેન્દ્રના 15 મંત્રાલયો પર ગંભીર સવાલ

    • August 6, 2026
    • 5 views
    CAG Report UC Pending: ₹54,282 કરોડનો હિસાબ ક્યાં? CAG રિપોર્ટમાં કેન્દ્રના 15 મંત્રાલયો પર ગંભીર સવાલ

    Gurugram OC Fraud: ગુરુગ્રામમાં OCના નામે મોટો ખેલ? અધૂરી ઇમારતોને પ્રમાણપત્ર આપી ફ્લેટ ખરીદદારો સાથે છેતરપિંડી

    • August 6, 2026
    • 7 views
    Gurugram OC Fraud: ગુરુગ્રામમાં OCના નામે મોટો ખેલ? અધૂરી ઇમારતોને પ્રમાણપત્ર આપી ફ્લેટ ખરીદદારો સાથે છેતરપિંડી

    Rahul Gandhi Prayagraj: પ્રયાગરાજમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પર વિવાદ, ગ્રાઉન્ડ બુકિંગ રદ થતાં રાજકીય ઘમાસાણ

    • August 6, 2026
    • 4 views
    Rahul Gandhi Prayagraj: પ્રયાગરાજમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પર વિવાદ, ગ્રાઉન્ડ બુકિંગ રદ થતાં રાજકીય ઘમાસાણ

    UP Advertisement Budget: UP સરકારનો જાહેરાત ખર્ચ 8 વર્ષમાં ₹6,811.94 કરોડ, કેન્દ્રની મોદી સરકારને પાછળ છોડી

    • August 6, 2026
    • 6 views
    UP Advertisement Budget: UP સરકારનો જાહેરાત ખર્ચ 8 વર્ષમાં ₹6,811.94 કરોડ, કેન્દ્રની મોદી સરકારને પાછળ છોડી

    Tarun Tejpal Case: તેહેલકાના પૂર્વ એડિટર તરુણ તેજપાલ કેસમાં મોટો ચુકાદો, બળાત્કાર કેસમાં દોષિત

    • August 6, 2026
    • 7 views
    Tarun Tejpal Case: તેહેલકાના પૂર્વ એડિટર તરુણ તેજપાલ કેસમાં મોટો ચુકાદો, બળાત્કાર કેસમાં દોષિત

    Youth Vote India: યુવા મતદારો બદલશે ચૂંટણીનું ગણિત? CJP બાદ ભારતના રાજકારણમાં શું બદલાશે?

    • August 6, 2026
    • 5 views
    Youth Vote India: યુવા મતદારો બદલશે ચૂંટણીનું ગણિત? CJP બાદ ભારતના રાજકારણમાં શું બદલાશે?