અંધભક્તિની બધી હદ્દો પાર; નરેન્દ્ર મોદી પાછલા જન્મમાં છત્રપતિ શિવાજી મહારાજ હતા

  • India
  • March 18, 2025
  • 0 Comments
  • ભાજપના સાંસદે કહ્યું- ‘નરેન્દ્ર મોદી પાછલા જન્મમાં છત્રપતિ શિવાજી મહારાજ હતા’

નવી દિલ્હી: ભારતમાં અંધભક્તિની તમામ હદ્દો પાર કરવા માટે હોડ લાગી હોય તેવું લાગી રહ્યું છે. તેમાંય ખાસ કરીને બીજેપી અને તેમના પ્રશંસકોમાં સ્પર્ધા ગળાકાપ થઈ ગઈ છે. આ સ્પર્ધામાં ભાજપના સાંસદ પ્રદીપ પુરોહિતના સૌથી આગળ નિકળી ગયા છે. હવે તો તેમને પીએમ મોદીને શિવાજી મહારાજ જ બનાવી દીધા છે. તમને સ્પષ્ટ રીતે જણાવી દીધું છે કે, પાછલા જન્મમાં મોદીજી શિવાજી મહારાજ હતા. આમ શિવાજી મહારાજ કરતાં પણ પીએમ મોદીને આગળ મોકલી દીધા છે. તેઓ કહેવા માંગે છે કે, પાછલા જન્મમાં પીએમ મોદી જ મુઘલો સામે લડતા હતા. આ નિવેદન થકી તો તેમને શિવાજી મહારાજના અસ્તિત્વને જ ફગાવી દીધું છે. અંધભક્તિ અને ચરણચૂંબકની પણ એક હદ્દ હોય છે. બીજેપી અને તેમના સમર્થકો ક્યારે સમજશે. આ અંધભક્તિના કારણે દેશ પ્રતિદિવસ 20મી સદીમાં ધકેલાઈ રહ્યું છે. 

એક તરફ દુનિયા આખી ટેકનોલોજીના સહારે ગ્રોક સાથે વાતો કરી રહી છે, સુનિતા વિલિયમ્સ 9 મહિના પછી પરત ધરતી ઉપર આવી રહ્યા છે. ચીન એઆઈમાં અમેરિકાને ટક્કર આપવા માટે અવનવા અખતરા કરી રહ્યું છે, ત્યારે આપણે 300 વર્ષ પહેલાના ઇતિહાસને ખોદીને ઓરંગજેબના હાંડકાઓને બહાર લાવવાની વાતો કરી રહ્યાં છીએ. ખરેખર તો, આ માત્ર એક ડાયવર્જન છે. વાત તો મોદીની નિષ્ફળતાઓને છૂપાવવાની જ છે પરંતુ મોદીની નિષ્ફળતાઓ છૂપાવવા માટે સમાજને તોડવું કેટલું યોગ્ય છે?

ભાજપના સાંસદ પ્રદીપ પુરોહિતે પીએમ મોદી અને છત્રપતિ શિવાજી વિશે એવું નિવેદન આપ્યું છે, જેનાથી હોબાળો મચી ગયો છે. તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદી તેમના પાછલા જન્મમાં છત્રપતિ શિવાજી મહારાજ હતા. તેમના નિવેદન પછી ડેપ્યુટી સ્પીકરે તેમના નિવેદનને ગૃહની કાર્યવાહીમાંથી દૂર કરવાનો આદેશ આપવો પડ્યો છે.

પ્રદીપ પુરોહિતે શું કહ્યું?

ભાજપના સાંસદ પ્રદીપ પુરોહિતે કહ્યું, ‘ગિરિજા બાબા નામના એક સંતે મને કહ્યું કે દેશના પીએમ નરેન્દ્ર મોદીનો પૂર્વ જન્મ છત્રપતિ શિવાજી મહારાજ તરીકે થયો હતો.’ એટલા માટે તે રાષ્ટ્ર નિર્માણમાં કામ કરી રહ્યા છે.

વિપક્ષે નિશાન બનાવ્યું

ભાજપના સાંસદ પ્રદીપ પુરોહિતના આ નિવેદન પર હોબાળો મચી ગયો છે. તેમના આ નિવેદનની સોશિયલ મીડિયા પર પણ ઘણી ટીકા થઈ રહી છે. કોંગ્રેસના સાંસદ વર્ષા એકનાથ ગાયકવાડે ભાજપના સાંસદનો વીડિયો પોસ્ટ કરીને કહ્યું કે, ‘અવિભાજિત ભારતના આદરણીય દેવતા છત્રપતિ શિવાજી મહારાજનું વારંવાર અપમાન કરવા અને મહારાષ્ટ્ર અને વિશ્વભરમાં શિવભક્તોની પ્રતિષ્ઠાને કલંકિત કરવા માટે ભાજપ નેતૃત્વ દ્વારા એક સુનિયોજિત કાવતરું ઘડવામાં આવી રહ્યું છે.’

આ લોકોએ નરેન્દ્ર મોદીના માથા પર છત્રપતિ શિવાજી મહારાજની માનદ ટોપી મૂકીને તેમનું ઘોર અપમાન કર્યું છે. હવે આ ભાજપના સાંસદનું આ ઘૃણાસ્પદ નિવેદન સાંભળો. શિવાજીનું વારંવાર અપમાન કરવા બદલ અમે ભાજપની જાહેરમાં નિંદા કરીએ છીએ. ભાજપ શિવ-દ્રોહી છે. અમે શિવાજીનું અપમાન ક્યારેય સહન નહીં કરીએ. નરેન્દ્ર મોદીએ તાત્કાલિક દેશની માફી માંગવી જોઈએ અને આ સાંસદને સસ્પેન્ડ કરવા જોઈએ.

તમને જણાવી દઈએ કે આ સમયે દેશમાં મુઘલ સમ્રાટ ઔરંગઝેબને લઈને ઘણી ચર્ચા ચાલી રહી છે. તેથી, દેશમાં છત્રપતિ શિવાજી અને મરાઠા સામ્રાજ્ય અંગે ઘણી વાતો ચાલી રહી છે અને મુઘલ સામ્રાજ્યની ટીકા થઈ રહી છે. તમને જણાવી દઈએ કે છત્રપતિ શિવાજી મહારાજે ઔરંગઝેબનું જીવન મુશ્કેલ બનાવી દીધું હતું.

Related Posts

India Census: 2027 માં વસ્તી ગણતરી થશે, જાતિગત વસ્તીગણતરીનો કોઈ ઉલ્લેખ નહીં
  • June 16, 2025

India Census 2027: ભારત સરકારે જાહેરાત કરી છે કે દેશની આગામી વસ્તી ગણતરી(India Census) વર્ષ 2027 માં હાથ ધરવામાં આવશે. આ માટે ગૃહ મંત્રાલય દ્વારા એક સૂચના બહાર પાડવામાં આવી…

Continue reading
New Delhi: લીગલ રાઈટ્સ કાઉન્સિલ ઈન્ડિયાની ઐતિહાસિક બેઠક: મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન, નવા નેતૃત્વની પસંદગી
  • June 16, 2025

New Delhi: નવી દિલ્હીના કોન્સ્ટિટ્યુશનલ ક્લબ ખાતે લીગલ રાઈટ્સ કાઉન્સિલ ઈન્ડિયાની રાષ્ટ્રીય અને રાજ્ય કાર્યકારિણીની બેઠક અત્યંત સફળતાપૂર્વક સંપન્ન થઈ. આ બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના પૂર્વ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્યામ જાજુ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Bhavnagar : મહુવામાં ભારે વરસાદના કારણે 30 વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા, તંત્ર પાસે માંગી મદદ

  • June 16, 2025
  • 4 views
Bhavnagar : મહુવામાં ભારે વરસાદના કારણે 30 વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા, તંત્ર પાસે માંગી મદદ

Visavadar, Kadi By-Election: શંકરસિંહ વાઘેલાનો ચૂંટણી પંચ પર આક્ષેપ, કહ્યું 10 જૂન પછી ક્યારેય ચૂંટણીઓ થઈ નથી

  • June 16, 2025
  • 5 views
Visavadar, Kadi By-Election: શંકરસિંહ વાઘેલાનો ચૂંટણી પંચ પર આક્ષેપ, કહ્યું 10 જૂન પછી ક્યારેય ચૂંટણીઓ થઈ નથી

Vijay Rupani નો પાર્થિવ દેહ રાજકોટ પહોંચ્યો, શ્રદ્ધાંજલિ આપવા ભીડ ઉમટી

  • June 16, 2025
  • 9 views
Vijay Rupani નો પાર્થિવ દેહ રાજકોટ પહોંચ્યો,  શ્રદ્ધાંજલિ આપવા ભીડ ઉમટી

Mahesh Jirawala missing: મહેશ જીરાવાલા કોણ છે? જે વિમાન ક્રેશની ઘટના બાદ મળ્યા નથી!

  • June 16, 2025
  • 6 views
Mahesh Jirawala missing: મહેશ જીરાવાલા કોણ છે? જે  વિમાન ક્રેશની ઘટના બાદ મળ્યા નથી!

Banaskantha: લૂંટ વિથ ડબલ મર્ડરની ઘટના, લૂંટારુઓએ ઊંઘમાં જ PI ના માતા-પિતાનું ઢીમ ઢાળી દીધું

  • June 16, 2025
  • 13 views
Banaskantha: લૂંટ વિથ ડબલ મર્ડરની ઘટના, લૂંટારુઓએ ઊંઘમાં જ PI ના માતા-પિતાનું ઢીમ ઢાળી દીધું

Surat Airport: સુરતમાં ગટર પરથી વિમાન ઉડે છે, પછી શું થાય!

  • June 16, 2025
  • 19 views
Surat Airport: સુરતમાં ગટર પરથી વિમાન ઉડે છે, પછી શું થાય!