Dahod: જજની નકલી ઓળખ આપી છેતરપિંડી કરતો મહાઠગ પકડાયો, કોર્ટ કેસનો નિકાલ લાવી આપવાની કરી હતી વાત

  • Gujarat
  • September 18, 2025
  • 0 Comments

Dahod: રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી નકલીની ભરમાર જોવા મળી રહી છે. જેમા ખાસ કરીને દાહોદ જિલ્લામાં. દાહોદમાં, નકલી સરકારી કચેરી, નકલી કર્મચારી, નકલી ચલણી નોટોનું રેકેટ, નકલી દસ્તાવેજોથી લોન આપવાનું SBI કૌભાંડ, નકલી જમીન કૌભાંડ, નકલી તેલ,નકલી NA પ્રકરણ, નકલી IT જેવા કૌભાંડો સામે આવ્યા બાદ હવે નકલી જજ પણ પકડાયો છે.

દાહોદમાંથી નકલી જજ ઝડપાયો

દાહોદમાં વધુ એક વખત નકલીનો પર્દાફાશ થયો છે. દાહોદ જિલ્લામાં જજની નકલી ઓળખ આપી લોકોને ભરમાવી કોર્ટ કેસોના નિકાલના નામે છેતરપિંડી કરતો મહાઠગ પોલીસના હાથમાં આવ્યો છે. આ આરોપી, જે મૂળ બનાસકાંઠા જિલ્લાના યુવાન તરીકે ઓળખાયો છે, વિવિધ હોદ્દાઓની ખોટી ઓળખ દર્શાવીને લોકોને ધમકાવતો હતો. પોલીસને મળેલા પુરાવાઓમાં વકીલ, જજ તથા અન્ય અધિકારીઓની ભૂમિકા ભજવવાના નકલી દસ્તાવેજો જોવા મળ્યા છે.

આ રીતે લોકો સાથે કરતો હતો ઠગાઈ

મળતી માહિતી મુજબ ઘટનાની શરૂઆત દાહોદ નજીકના એક પેટ્રોલ પંપ પર થઈ, જ્યાં આ મહાઠગ જજ તરીકે રજૂ થઈને કર્મચારીને કોર્ટ કેસમાંથી મુક્તિની વાત કરી રૂપિયાની માંગ કરી હતી. પરંતુ પેટ્રોલ પંપના કર્મચારીએ સંશય વ્યક્ત કરતાં આરોપી ભાગી ગયો હતો. કર્મચારીની ફરિયાદ પર પોલીસે તપાસ શરૂ કરી અને સુરત નજીકથી આરોપીની ધરપકડ કરી. તપાસમાં જાણવા મળ્યું કે આ મહાઠગ દાહોદ અને આસપાસના વિસ્તારોમાં લોકોને કોર્ટ કેસોના નિકાલ, જમીન વિવાદો અને અન્ય કાનૂની મુદ્દાઓના નામે લાખો રૂપિયાની છેતરપિંડી કરતો હતો. તે વાતચીતમાં લોકોને ભરમાવવા માટે નકલી કોર્ટ દસ્તાવેજો અને ફોન કોલ્સનો ઉપયોગ કરતો હતો.

રાજ્યમાં આ પ્રકારની છેતરપિંડીઓ વધી રહી છે, જેમાં આરોપીઓ કાનૂની વ્યવસ્થાનો દુરુપયોગ કરે છે. જેથી કોઈપણ અજાણ્યા વ્યક્તિની વાત પર વિશ્વાસ ન કરી, સત્તાવાર માહિતી મેળવવી જોઈએ.

આ પણ વાંચો:   

Gandhinagar: અપહરણ કરાયેલ યુવતી પોલીસ સ્ટેશનમાં થઈ હાજર, કહ્યું- પતિ ધમકી આપતો હતો

Ahmedabad: અમદાવાદમાં હવાના પ્રદૂષણમાં ભ્રષ્ટાચારનું પ્રદૂષણ, ધૂળના કારણે અમદાવાદની હવા પ્રદૂષિત

Devayat khavad case: દેવાયત ખવડ ફરી જેલમાં, કોર્ટે જામીન અરજી ફગાવી, જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા

Ahmedabad: પગ લપસ્યો અને 128 કિલોની પત્ની પતિ પર પડી, પછી બની દુઃખદ ઘટના

The gujarat report ના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:

https://chat.whatsapp.com/LjEq7pr7nY4Ij0y0yswrPF

Related Posts

Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન
  • March 19, 2026

Mini storm: રાજ્યમાં સાયકલોનિક સર્ક્યુલેશન,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદી માહોલ સર્જાયો છે સમગ્ર રાજ્યમાં ધૂળની ડમરી સાથે ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ થયો છે.વડોદરામાં પણ સાંજના સમયે ધૂળની…

Continue reading
Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!
  • March 19, 2026

■ શ્રી સત્ય યોગ ફાઉન્ડેશન આશ્રમમાં જ નકલી નોટો છાપવાનું ચાલુ કરી ફોર્ચ્યુનર ગાડી ઉપર ‘ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા આયુષ મંત્રાલય’નું બોર્ડ ઠપકારી હેરાફેરી ચાલુ કરી પણ વટાણા વેરાઈ ગયા અને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Iran War : ઈરાન હવે વિશ્વની ઉર્જા ચેઇન ખતમ કરવાના મૂડમાં છે! કતારે ગેસ પ્લાન્ટ બંધ કર્યો! ઈઝરાયેલના ઉર્જા સેન્ટર પણ ઈરાને મિસાઇલ છોડી! ટ્રમ્પ ઢીલા પડ્યા!

  • March 20, 2026
  • 6 views
Iran War : ઈરાન હવે વિશ્વની ઉર્જા ચેઇન ખતમ કરવાના મૂડમાં છે! કતારે ગેસ પ્લાન્ટ બંધ કર્યો! ઈઝરાયેલના ઉર્જા સેન્ટર પણ ઈરાને મિસાઇલ છોડી! ટ્રમ્પ ઢીલા પડ્યા!

Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન

  • March 19, 2026
  • 6 views
Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન

Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!

  • March 19, 2026
  • 11 views
Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!

MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે PM મોદીને સવાલ!!

  • March 19, 2026
  • 16 views
MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે  PM મોદીને સવાલ!!

America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ

  • March 19, 2026
  • 6 views
America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ

PM Modi: CM નરેન્દ્ર મોદી પર ₹ 1 લાખ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર ‘ઝડફિયા’ હવે આજ પાર્ટીના ‘વફાદાર નેતા’ બની ગયા છે!

  • March 19, 2026
  • 16 views
PM Modi: CM નરેન્દ્ર મોદી પર ₹ 1 લાખ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર ‘ઝડફિયા’ હવે આજ પાર્ટીના ‘વફાદાર નેતા’ બની ગયા છે!