
Dang Accident: ડાંગ જિલ્લાના સાપુતારા(saputara) ઘાટ માર્ગમાં આજે વહેલી સવારે 4 વાગે એક ભયંકર અકસ્માત થયો છે. જેમાં યાત્રા કરી પરત ફરતાં 5 યાત્રાળુઓને(pilgrims) કાળ ભરખી ગયો છે. જ્યારે 35 યાત્રિકો ઈજાગ્રસ્ત થયા છે. ખાનગી બસમાં 48 લોકો સવાર હતા.
નાશિક તરફથી આવી રહી હતી બસ
સાપુતારાથી અઢી કિલોમીટર તરફ જતાં રસ્તામાં માલેગામ ફોરેસ્ટ ગેસ્ટહાઉસની સામેના ઘાટમાં નાશિક તરફથી આવતી એક ખાનગી બસ 35 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી. આ બસમાં મધ્યપ્રદેશના 48 જેટલા પ્રવાસી સવાર હતા. જેમાં 5 યાત્રિકોના મોત થયા છે. ઇજા થનાર 35 જેટલા યાત્રાળુઓને નજીકની 108 એમ્બ્યુલન્સ શામગહાન અને સુરતની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ઘટનાની જાણ થતાં જ પોલીસ સહિત અધિકારીઓને કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે. હાલ આ ઘટના અંગે વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે.
આ પણ વાંચોઃ IAS transfer and Promotion: બંછાનીધી પાની અમદાવાદના નવા મ્યુનિસિપલ કમિશનર બન્યા